In India food has received the status of ‘Brahman’. A Rishi of Upnishada has introduced food as medicine. Taking food is a pleasant phenomenon, almost as good as a festival. In the process of taking food a lively contact with life is established. In breakfast or dinner on a dinning table, if in the food stuff a scream, a struggle or a shiver of fear of a dumb animal is felt, that foodstuff will not give health and comfort. When a hunter follows a deer, the deer in order to save life runs very fast and finally gets tired. If the hunter has a jeep car, the car does not get tired. At this stage the deer comes in the range of hunter’s gun. When the deer finds death just a moment away a final scream erupts from the deer’s mouth. Meat-eater in the fashionable darkness of a grand hotel, or on the shinning dinning table at home, ever listens to the death –scream of the killed animal, while relishing his dish? Perhaps not. A living cow simply becomes ‘beef’ for him and a living hen a ‘chicken’. A living pig becomes ‘pork’. If only, just once, let man put himself in the place of that helpless animal.
Posted in philosophy and spiritualism | Tagged Mahavir, Upnishad, vegetarianism | Leave a Comment »
પોતાની માતૃભાષામાં શિક્ષણ પામવું એ પ્રત્યેક બાળકનો જન્મસદ્ધિ, જીવનસદ્ધિ અને શિક્ષણસદ્ધિ અધિકાર છે. એને ફન્ડામેન્ટલ રાઇટનો દરજજો મળવો જોઇએ
જગતની કોઇ પણ ભાષામાં નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં (મોર્નિંગ પ્રેયર્સ) મળે ખરાં? જગતની પ્રત્યેક ભાષા કે બોલી મૂલ્યવાન છે કારણ કે એની ખુશબો (અરોમા) અનન્ય હોય છે. જાણી રાખવા જેવું છે કે ઈસુ ખ્રિસ્તની માતભાષા અંગ્રેજી ન હતી. એમની માતભાષા ‘આર્મેઇક’ હતી. એમણે જીવનના અંત ભાગે જે ઉપદેશ આપ્યો તે ગ્રીક ભાષાની એક બોલીમાં આપ્યો હતો. એ બોલીનું નામ ‘કોઇને’ હતું. જૂના કરારની ભાષા પણ અંગ્રેજી ન હતી, પણ હિબ્રૂ હતી. ભાષા સંસ્કાર અને સંસ્કતિનું વાહન છે.
શિક્ષણનું માઘ્યમ માતૃભાષા હોય એવો આગ્રહ રાખનાર માણસ અંગ્રેજીનો વિરોધી શા માટે હોય? શિક્ષણના માઘ્યમ અંગે આવી ચર્ચા રશિયા, ચીન, યુરોપના દેશો કે પછી જાપાન, કોરિયા અને ઇસ્લામી દેશોમાં કયાંય ચાલે છે ખરી? પોતાની માતૃભાષામાં શિક્ષણ પામવું એ પ્રત્યેક બાળકનો જન્મસદ્ધિ, જીવનસદ્ધિ અને શિક્ષણસદ્ધિ અધિકાર છે. એને ફન્ડામેન્ટલ રાઇટનો દરજજો મળવો જોઇએ.
પ્રખ્યાત વિજ્ઞાની નારલિકર તો ગણિત અને વિજ્ઞાન પણ માતૃભાષામાં જ ભણાવાય તેના ચુસ્ત આગ્રહી છે. આપણી માનસકિતા જ ગુલામીમાં ઝબોળાયેલી છે. આવી ચર્ચા કેવળ ભારતમાં જ ચાલે છે કારણ કે આપણું કોલોનિયલ માઇન્ડ હજી કાયમ છે.ચર્ચિલની માફક અમેરિકાના રોનાલ્ડ રેગનને પણ તીવ્ર કટાક્ષ દ્વારા પોતાની વાતને વળ ચડાવીને રજૂ કરવાની ફાવટ હતી.
અમેરિકન સેનેટમાં ગર્ભપાત અંગેના કાયદાની ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી ત્યારે પ્રમુખ રેગને એક એવું વિધાન ફટકાર્યું જેમાં ધારદાર કટાક્ષનો જાદુ હતો. એમણે કહ્યું : ‘અરે! જેઓ અહીં ગર્ભપાતના કાયદાનો વિરોધ કરી રહ્યા છે તે બધા તો એવા લોકો છે, જેઓ જન્મી ચૂકયા છે!’ આજની આ સભામાં ગુજરાતી ભાષાના એવા ભાવકો બેઠા છે, જેમનાં ઘરોમાં નાનાં બાળકો ખોટું ગુજરાતી અને ખોટું અંગ્રેજી બોલે તોય સ્માર્ટ ગણાય છે.
જે ભાષામાં બાળક રડે તે તેની માતભાષા ગણાય. સાવ ખોટા અંગ્રેજીમાં રડનારું ગુજરાતી બાળક લગભગ ‘અનાથ’ છે. આપણી તો ગેરસમજણ પણ ગ્લોબલ! આ સભા પૂરી થાય પછી ઘરે જાઓ ત્યારે તમારા ‘અનાથ’ વંશજોને મળશો ત્યારે જણાશે કે તેઓ અડધાંપડધાં પરાયાં બની ચૂકયાં છે. હાય રામ! યહ કૈસી મજબૂરી!
તમારું જ ડી.એન.એ. ધરાવનારાં નાનડિયાં કલાપીની ‘ગ્રામમાતા’થી અજાણ હોવાનાં. તેઓ ધૂમકેતુની વાર્તા ‘પોસ્ટ ઓફિસ’ નથી ભણવાનાં. તેઓ રા.વિ.પાઠકની વાર્તા ‘મુકુન્દરાય’થી અપરિચિત રહેવાનાં. મેઘાણીની કવિતા ‘છેલ્લો કટોરો’ તેઓ કયારેય નથી ગાવાનાં. તેમને મન નરસિંહ મહેતા કોણ અને દયારામ કોણ? તેમને મન વીર નર્મદ કોણ અને ઉમાશંકર જોશી કોણ?
તેઓને ‘વૈષ્ણવજન’ ભણાવનાર શિક્ષકે અંગ્રેજીમાં કહેવું પડશે : ‘વૈષ્ણવજન ઇઝ ધ વન, હુ ઇવન વ્હાઇલ ઓબ્લાઇજિંગ ધ અધર પર્સન ઇન ડિસ્ટ્રેસ, ડઝ નોટ ફીલ ઇગોઇસ્ટિક મેન્ટલી.’ બોલો! કવિતાનું કચુંબર થઇ ગયું ને? પોતાની સંસ્કતિમાં જે કશુંક સુંદર હોય કે અનન્ય હોય તેનું વાજબી અભિમાન રહે તે આત્મગૌરવ કહેવાય. અન્ય સંસ્કતિમાં જે સુંદર હોય કે અનન્ય હોય તેનો અસ્વીકાર એ મિથ્યાભિમાન ગણાય. રામાયણના નમ્ર વિધાર્થી તરીકે એક ગુસ્તાખી કરવી છે.
રામ લંકાથી પાછા અયોઘ્યા ગયા તે પણ ચાલતા જ ગયા હતા, પુષ્પક વિમાનમાં નહીં. પુષ્પક (બોઇંગ ૭૩૭) કલ્પનામાં શોભે, હકીકત તો રાઇટ બ્રધર્સના ખોળામાં જ બેઠી છે. પિશ્ચમ તરફથી આપણને ઓછું નથી મળ્યું. આપણે અગ્નિની પૂજા કરી અને કહ્યું : ‘ઇદમ્ અગ્નયે ઇદમ્ ન મમ.’
પિશ્ચમે અગ્નિનો વિનિયોગ કર્યોઅને સ્ટીમ એન્જિન બનાવ્યું. ટૂંકમાં અંગ્રેજી વિના ચાલવાનું નથી. ઇન્ટરનેટ અને કોમ્પ્યૂટરને કારણે દુનિયા ચણીબોર જેવડી બની છે. કોકાકોલા કંપની આપણને તાજી છાશ ન પીવી એમ કહે છે? મહુડીની તાજી સુખડીની તોલે કેડબરીની ચોકલેટ ન આવે. અંગ્રેજી પ્રત્યે કોઇ દ્વેષ ન રખાય, પરંતુ એક વાત નક્કી જાણવી. મારી માસી, ફોઇ, કાકી કે મામી ગમે તેટલી વહાલી હોય, તોય માતાની તોલે ન આવે. ચશ્માં ગમે તેટલાં ઉપયોગી હોય તોય આંખની તોલે ન આવે.
માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે. કલ્ચરલ એન્થ્રોપોલોજિસ્ટ માર્ગરેટ મીડ વર્ષોપહેલાં ૧૯૭૪માં કલિંગ પારિતોષિક લેવા ભારત આવ્યાં ત્યારે મુંબઇની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં મળવાનું બનેલું. મુલાકાત વખતે મારી સાથે આર.કે.કરંજિયાની દીકરી પણ બેઠી હતી. માર્ગરેટ મીડે જણાવેલું કે મનુષ્યને નજીકમાં જંગલ મળવું જોઇએ અને માતૃભાષાથી એ વંચિત ન રહેવો જોઇએ. આમ માતૃભાષા કેવળ માઘ્યમ નથી. એ તો જીવન-રસાયણ છે, કદાચ આપણું રુધિર છે.
માતૃભાષા પ્રત્યેનો અઢળક પ્રેમ કંઇ અંગ્રેજી ઉત્તમ આવડે તે વાતનો વિરોધી નથી, એ બાબત સમજવામાં ગાંધીજીનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. તેઓ ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકા પહોંરયા ત્યારે તેમની ઉમર ચોવીસ વર્ષની હતી.
ડરબનની કોર્ટમાં દાદા અબ્દુલ્લાના એર્ટની પાસે બેસતી વખતે ગાંધીજીએ પોતાની પાઘડી ન ઉતારી તેથી ત્યાંના અખબાર ‘ધ નાતાલ એડવર્ટાઇઝર’માં સમાચાર છપાયા જેનું મથાળું હતું : ‘એન અનવેલકમ વિઝિટર.’ તે જ દિવસે (તા.૨૬ મે,૧૮૯૩) ગાંધીજીએ તંત્રીને પત્ર લખીને પોતાના કહેવાતા અવિનય અંગે સ્પષ્ટતા કરી. ડરબનમાં ફાતિમા મીરને મળવા ગયો ત્યારે એમણે હસ્તાક્ષર કરીને એમનો ગ્રંથ, ‘ધ સાઉથ આફ્રિકન ગાંધી’ મને આપ્યો એમાં (પાન. ૧૧૨ પર) જે પત્ર છપાયો છે તે વાંચીને તો લાગે કે ચોવીસ વર્ષે ગાંધીજીએ જે સચોટ અંગ્રેજી ભાષા પ્રયોજી છે તે કોઇ પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારના તંત્રીલેખમાં વાંચવા મળે તેટલી અસરકારક છે.
માતૃભાષાને ભોગે જ અંગ્રેજી પાકું હોઇ શકે એવું કોણે કહ્યું? માઘ્યમના પ્રશ્ને ગાંધીજી આપણા ગુરુ થઇ શકે કારણ કે એમનું અંગ્રેજી ‘સોલિડ’ હતું. સ્વીડનમાં ઘણા દેશોમાંથી આવીને વસેલા પરિવારનાં બાળકોને માતૃભાષાનું જ્ઞાન આપવાની સગવડ સરકાર કરે છે. સ્ટોકહોમમાં પચ્ચીસ જેટલા ગુજરાતી પરિવારો વસે છે અને એ બાળકોને ગુજરાતી ભણવાની સગવડ સરકારે કરી છે.
થોડાંક વર્ષોપર સ્વેડિશ સરકારે મને બોલાવ્યો હતો ત્યારે ત્યાં વસનારી દુનિયાના દેશોની બધી લઘુમતીઓનાં બાળકોને એમની માતૃભાષા શીખવનારા શિક્ષકોનું મિલન ગોઠવાયેલું. એમાં બંગાળી, પંજાબી, જર્મન, રશિયન, મરાઠી, ફ્રેન્ચ, તમિળ, તેલુગુ અને કન્નડ ભાષાઓ ભણાવનારા શિક્ષકો હાજર રહ્યા હતા. પ્રવચન અંગ્રેજીમાં થયું ત્યારે અંતે કલાપીની ‘ગ્રામમાતા’ કવિતાનો ભાવાનુવાદ અંગ્રેજીમાં રજૂ કર્યોહતો. કવિતાને સરહદ કેવી? પ્રેક્ષકો તરીકે બેઠેલા સૌ શિક્ષકોએ ‘ગ્રામમાતા’નો આસ્વાદ માણ્યો હતો.
સ્ટોકહોમમાં વસેલા ગુજરાતી મિત્રોએ એક સાચો બનેલો પ્રસંગ કહ્યો હતો. ઇદિ અમીને યુગાન્ડામાંથી તગેડી મૂકેલું એક ગુજરાતી કુટુંબ સ્ટોકહોમમાં આશરો પામ્યું હતું. એ કુટુંબના વડાને ગુજરાતી બોલતાં આવડે પણ લખતાં-વાંચતાં ન આવડે. એ માણસના પિતાનો ભારતથી ગુજરાતીમાં પત્ર આવે પણ દીકરો વાંચી ન શકે.
સ્ટોકહોમમાં સ્વીડનની સરકારે બાળકોને ગુજરાતી ભણવાની વ્યવસ્થા કરી તેથી એ કમનસીબ બાપના બેટાને ગુજરાતી બોલતાં-લખતાં-વાંચતા આવડતું હતું. એ દીકરો જયારે જયારે દાદાએ ભારતથી ગુજરાતીમાં લખેલો પત્ર આવે ત્યારે બાપને વાંચી સંભળાવતો. બાપ રડતો જાય અને સાંભળતો જાય. આ બનેલી ઘટના છે.
મારો આક્ષેપ છે કે ગુજરાતી પ્રજા દુનિયામાં ઓછામાં ઓછું ‘ભાષાભિમાન’ ધરાવનારી પ્રજા છે. કણાર્ટકમાં પ્રથમ સાત વર્ષ માટે શિક્ષણનું માઘ્યમ કન્નડ ભાષા છે. વીર નર્મદે ‘દેશાભિમાન’ શબ્દ આપ્યો હતો. અહીં ‘ભાષાભિમાન’ શબ્દ પ્રયોજવાનું યોગ્ય લાગે છે. કોઇ અંગ્રેજ બાળકને ગુજરાતી, મરાઠી, ફ્રેન્ચ, રશિયન, જર્મન કે હિંદી ભાષાના માઘ્યમમાં ભણાવી તો જુઓ! તમને ન ગમે તોય એક આગાહી કરવી છે.
જો આજથી ન જાગીએ તો પચ્ચીસ વર્ષ પછી ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન કોઇ મોટી કોલેજના નાના વર્ગખંડમાં યોજાશે અને એ વર્ગખંડ પણ પૂરો નહીં ભરાય. (અમદાવાદ ખાતે ગુજરાતી ભાષા પરિષદ અને અન્ય ચૌદ સંસ્થાઓ દ્વારા યોજાયેલી ગુજરાતી બચાવ રેલી ગૂજરાત વિધાપીઠથી નીકળીને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં સમાપ્ત થઇ, ત્યારે સભામાં આપેલા વિશેષ વકતવ્યનું હોમવર્ક, તા.૧૪-૨-૨૦૦૯)
પાઘડીનો વળ છેડે
‘શિક્ષણનું અંગ્રેજી માઘ્યમ
એ ભારત પરની બ્રિટનની
મોટામાં મોટી બુરાઇ હતી.
એણે ગૌરવવંત પ્રજાને
રંગલા-જાંગલા જેવી
આત્મગૌરવ વિહોણી
બનાવી દીધી’- અંગ્રેજ કવિ કિટ્સ
Article by Dr. Gunvant B. Shah published in Divya Bhaskar Sunday on
Posted in language and education | Tagged language, Mother tongue | 3 Comments »

ગોકુળની ગોપીઓ ભકિતની વ્યાખ્યા જેવી હતી. ગોપીઓના ભાવજગતમાં કૃષ્ણ સિવાય અન્ય કોઇ બાબત માટે અવકાશ ન હતો. મથુરાથી ગોકુળ પહોંચેલા ઉઘ્ધવ માટે ગોપીઓનું ભાવજગત સાવ નવું હતું. ગોપીઓ કૃષ્ણપ્રિય હતી. કોઇ ગોપી જ્ઞાની કે યોગિની ન હતી. ગોપીઓ ઉઘ્ધવને કહે છે: ‘મન કાંઇ દસ કે વીસ હોતાં નથી. એક મન હતું તે તો શ્યામળા કષ્ણમાં પરોવાઇ ગયું. હવે ઇશ્વરની આરાધના કોણ કરવાનુંય ?
ઉધૌ! મન ન ભએ દસ બીસ,
એક હુતૌ સૌ ગયો સ્યામ સંગ
કો અબ આરાધે ઇસ!
ગોકુળમાં ત્રણ શબ્દોનું સામ્રાજય હતું: સૌંદર્ય, માધુર્ય અને સાહચર્ય. સૌંદર્યનું ઉપસ્થાન બાળકૃષ્ણ પોતે હતા. માધુર્યનું ઉપસ્થાન માતા યશોદાનું હૃદય હતું. સાહચર્યનું મંદિર રાસલીલામાં છલકાતા રસવૈભવમાં રચાતું રહેતું. ગોકુળ એક એવું ગામ હતું જયાં કોઇ ખલનાયક ન હતો. આખું ગામ કૃષ્ણમય હતું. શ્રીમદ્ભાગવતમાં શુકદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે વ્રજવાસીઓને જેટલા કૃષ્ણ વહાલા હતા, તેટલાં વહાલાં તો પોતાનાં છોકરાં પણ ન હતાં.
આ વાત સાંભળીને પરીક્ષિતે શુકદેવજીને તેનું કારણ પૂછ્યું. શુકદેવજીએ કહ્યું: ‘સર્વ પ્રાણીઓને પોતાનો આત્મા જ વહાલો હોય છે. ધન, સંતાન અને અન્ય પદાર્થોવહાલા લાગે છે તે પણ પોતાના આત્મા પ્રત્યેના વહાલને કારણે જ વહાલા લાગે છે. શ્રીકષ્ણ સર્વના આત્મસ્વરૂપ અંતર્યામી હતા તેથી તેમના પ્રત્યે ગોકુળના ગ્રામજનોને અલૌકિક પ્રેમ ઊપજતો હતો (૧૪/૫૦-૫). યાદ રહે કે બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્કયે બરાબર આવી જ વાત પોતાની આત્મપ્રિયા મૈત્રેયીને કરી હતી.
ગોકુળ એટલે ભોળપણની રાજધાની. તુકારામ કહેતા કે ભોળપણ એ તો ભકતનું ભૂષણ છે. નરસિંહ મહેતાએ ગોકુળિયા ભોળપણનો મહિમા કર્યો:
ભોળી રે ભરવાડણ, હરિને વેચવા ચાલી,
સોળ સહસ્ત્ર ગોપીનો, વહાલો મટુકીમાં ઘાલી.
અનાથના નાથને વેચે, આહિરની નારી,
શેરીએ શેરીએ સાદ પાડે: ‘લ્યો કોઇ મુરારિ.’
કષ્ણની વાંસળીના સૂર વહેતા થાય ત્યાં ગોપીઓ મુગ્ધ બનીને એ કોસ્મિક સમ્ફિનીના સ્વર ભણી ચાલવા માંડે. નરસિંહ મહેતા કહે છે:
વ્રજવનિતા વિઠ્ઠલને કાજે ,
સરવ તજી વન ચાલી રે.
શ્રાવણની ઝરમર વચાળે ઊભા રહીને આપણી જાતને ખાનગીમાં એક પ્રશ્ન પૂછવા જેવો છે: ‘જેના પર આપણે મુગ્ધ થઇ શકીએ એવું કશુંક જીવનમાં બરયું છે ખરું?’ વિગ્રહવાન મુગ્ધતાનું નામ છે રાધા! રવીન્દ્રનાથે આજની યુદ્ધપ્રધાન સંસ્કતિને ‘મેસ્કયુલિન સિવિલાઇઝેશન’ ગણાવી હતી.
પુરુષપ્રધાનતાથી ખરડાયેલો સમાજ યુદ્ધ માટે જવાબદાર છે. આજની યુદ્ધસંસ્કતિને મુગ્ધતાથી મઘમઘતો રાધાભાવ જ બચાવી શકે. સાચી ભકિત અંધશ્રદ્ધાની ઓશિયાળી નથી. ડેનિયલ ગોલમેન જેવો મનોવિજ્ઞાની જેને ‘ઇમોશનલ ઇન્ટેલિજન્સ’ કહે છે તેનો સંબંધ માનવીના ભાવજગત સાથે છે. ડેનિયલ હૃદયને ‘ઇમોશનલ બ્રેઇન’ કહે છે. માનવી પોતાના ભાવજગતને અવગણી શકે ખરો? ભકિતને વેવલાવેડાથી અને વ્યકિતપૂજાથી બચાવી લેવાની છે.
આપણા લોકો કષ્ણની ભકિત છોડીને કયારેક કષ્ણભકત બાવાશ્રીની પૂજા કરવા માંડે છે. ભકિતના ક્ષેત્રમાં પેસી ગયેલો આ પ્રરછન્ન ‘આતંકવાદ’ અંધશ્રદ્ધાના ભમ્મરિયા કૂવા પર બેઠેલો હોય છે. આપણે કૂવાનું થાળું છોડીને છેક યમુના કિનારે જવાનું છે. મેહુલો ગાજે ને માધવ નાચે! અરે! માધવ નાચે, નરસિંહ નાચે, મીરાં નાચે ને દયારામ નાચે તોય આપણે શ્રાવણમાં પણ કોંરા! દયારામ કષ્ણમય બન્યા હશે ત્યારે આવી પંકિતઓ એમને મુખેથી વહેતી થઇ હશે:
આજ ગૈ’તી કાલિંદીને તીરે , ભરવાને પાણી રે
ઊભા તીરે શ્રીહળધરવીરે રે, સારંગ પાણી રે!
મુસ્લિમ ભકતકવિ રસખાનની પંકિતઓમાં પણ આવી જ કષ્ણપ્રીતિ પ્રગટ થઇ છે.
ના માનુષ હૈ તો વહી રસખાની ,
બસૌ વ્રજ ગોકુલ ગાંવ કે ગ્વારન,
જો પશુ હૈ, તો કહા બસુ મેરો,
ચરૌ નિત નંદ કી ધેનુ મંઝારન.
દર્દથી છલોછલ એવા કોઇ હૃદયને નીરખવું એ રાધાને નીરખવા બરાબર છે. પ્રેમની છલોછલતા, મૌનની વાચાળતા અને કરુણા વહેવડાવતી આંખો કોઇ એક જ વ્યકિતમાં એકઠી થાય ત્યારે હૃદયતીર્થની પવિત્રતાનો પરચો મળે છે. એ જ આપણું કાશી, એ જ આપણું કાબા, એ જ આપણું બેથલહમ અને એ જ આપણું સારનાથ! ગોપીની મુગ્ધતા ન હોય એવી કુમારિકાઓની સંખ્યા ઝાઝી નથી હોતી. એવી કોઇ મુગ્ધાને પરણનારો લલ્લુ દહેજની રકમ સ્વીકારે ત્યારે સાક્ષાત્ કષ્ણતા અપમાનિત થતી હોય છે. આવા કોઇ માણસને યાત્રિક તરીકે પણ ગોકુળમાં પ્રવેશ ન મળવો જોઇએ. એ મથુરાથી પાછો ફરે તે યોગ્ય છે. જે સમાજ દીકરી અવતરે તે પહેલાં તેની ભ્રૂણહત્યા કરે તેને ‘રાધા’ શબ્દ બોલવાનો પણ અધિકાર નથી. બાલકષ્ણની પૂજા કરનારો સમાજ બાલમજૂરીને મંજૂર રાખે ત્યારે વૃંદાવનની તીર્થયાત્રા શા કામની?
પ્રેમક્રાંતિના પ્રારંભ માટે શ્રાવણથી ચડિયાતો કોઇ મહિનો નથી. સદીઓ વીતી તોય માનવજાતને આજે પણ એક યક્ષપ્રશ્ન સતાવી રહ્યો છે: ગોકુળ જોઇએ કે કુરુક્ષેત્ર? જો મેઘધનુષી પ્રેમક્રાંતિ નિષ્ફળ જાય તો મિસાઇલોની ડોક પર લટકતા અણુબોંબ તૈયાર જ છે. ભકિતની ભીનાશ વિનાનું જ્ઞાન-વિજ્ઞાન પ્રજાળે છે.
ભકિતની ભીનાશ વિનાનું કર્મ વૈતરું છે. શ્રાવણી ઝરમર તો કષ્ણની મનમોહક અને હૃદયલુભાવન સ્મિતવર્ષા છે. પ્રસન્નતા નથી ત્યાં સ્મિત નથી. પ્રસન્નતા ન હોય તો જ્ઞાન પણ બોજરૂપ છે. આજના ટેકનોમાનવને વારંવાર ડિપ્રેશન રહેતું હોય છે. એ તો સ્વધર્મ ભૂલેલા, સ્વભાવથી ભિન્ન એવા વ્યવહારમાં અટવાયેલા અને સ્વરૂપનું ભાન ગુમાવી બેઠેલા નગરમાનવનો વિષાદ છે. એ વિષાદનું મૂળ અને કુળ ‘અર્જુનવિષાદયોગ’માં પડેલું છે. ડિપ્રેશનનો લાભ લેવામાં અર્જુન આપણો ગુરુ બની શકે તેમ છે. ગ્ખ્પ્તઞ્ થ્ૂજઞ્ર્ ન્ગ્ણ્ર જગ્રરગ્થ્.
માખણચોરી પર અસંખ્ય ભજનો રચાયાં કારણ કે એ ચોરી પણ અલૌકિક અને અભૌતિક હતી. આજે માખણચોરીની જગ્યાએ દિલચોરી અને દાણચોરી ગોઠવાઇ ગઇ છે. આખો ને આખો સમાજ જાણે ‘વાણિયો’ બની ગયો! રાસલીલા ગાયબ અને કપટલીલા નોર્મલ! દયારામે ડિપ્રેશનથી છૂટવાનો ઉપાય બતાવ્યો છે:
મન તણો ગુરુ મન કરશે
તો સાચી વસ્તુ જડશે.
પાઘડીનો વળ છેડે
માત્ર બે જ બાબતો અનંત છે:
એક છે વિશ્વ
અને બીજી છે માણસની મૂર્ખતા.
અને હા, મને
પહેલી બાબતની ખાતરી નથી.
-આલ્બર્ટ આઇન્સ્ટાઇન
Article by Dr. Gunvant B. Shah in Divya Bhaskar Sunday published on 9 August 2009
Posted in philosophy and spiritualism, religion, politics and secularism | Tagged Albert Einstein, Daniel Goldman, Krishna, Radha, Raz Khan | Leave a Comment »

યાદ છે? વર્ષોપહેલાં ગુજરાતના રાજયપાલ મહેદી નવાઝ જંગ હતા. એમની દીકરી ડો.ઇસ્મત મહેદી ઇજિપ્તની ભારતીય એલચી કચેરીમાં કલ્ચરલ સેન્ટરની ડાયરેકટર હતી. કેરોમાં પૂરા પાંચ દિવસ રહેવાનું બન્યું ત્યારે ઇસ્મતબહેને એક સૂફી ફકીર સાથે મુલાકાત ગોઠવી આપેલી. લાંબી વાતો ચાલી ત્યારે સૂફી અબ્દલ હાઇએ વાતવાતમાં મને કહ્યું :
હું હસું છું કારણ કે
હું એકલો છું.
લોકો હસે છે કારણ કે
તેઓ સૌ સરખા છે.
સદીઓથી મનુષ્યના સ્વરાજય પર તરાપ મારવામાં સમાજને મજા પડતી રહી છે. માણસ પોતીકી રીતે જીવવાનું રાખે ત્યાં તરાપ પડવા માંડે છે. ધર્મ પરંપરાને નામે તરાપ મારે છે. સ્વજનો રિવાજના નામે તરાપ મારે છે. આપણું સ્વરાજય ઝૂંટવી લેવામાં સૌથી મોખરે આપણા પાડોશીઓ હોય છે.
સદીઓથી આપણા માથે એક તલવાર સતત લટકતી રહે છે : ‘લોકો શું કહેશે?’ જીવનની પ્રત્યેક બાબત પર લોકોનો સરેરાશ અભિપ્રાય તૈયાર જ હોય છે. કોઇ માણસ પોતાની ઇરછા મુજબ પરણે ત્યારે લોકોનો સરેરાશ અભિપ્રાય ઘણુંખરું જુદો હોય છે. અહીં ‘સરેરાશ’ શબ્દ જબરો ખતરનાક છે. સરેરાશ સાથે મેળ ન પડે એનું જ નામ ગુનો! સરેરાશ સાથે મેળ પડે એનું જ નામ સલામતી. ધન્ય છે, જેમણે સલામતીને ઠોકર મારી અને ‘ગુનો’ કર્યો. દુનિયા આવા ‘ગુનેગારો’ને કારણે રળિયાત છે.
ઇટાલીમાં એક મહાન ગુનેગાર થઇ ગયો. લોકોએ એને જીવતો બાળી મૂકેલો. એને ગુનો શો હતો? એણે લોકોને મોટે અવાજે કહ્યું કે પૃથ્વી સપાટ નથી, ગોળ છે. એ મહાન ગુનેગારનું નામ બ્રુનો હતું. બ્રુનો ચૂપચાપ બેસી રહ્યો હોત તો મરવું ન પડત. સંત તુકારામે અભંગ લખ્યા એટલે બ્રાહ્મણો ભારે નારાજ થયા. એમણે તુકારામને દેહૂ ગામની ઇન્દ્રાયણી નદીમાં પોતે રચેલા અભંગ પધરાવવાની ફરજ પાડી હતી. દેહૂ ગામે જઇને ઇન્દ્રાયણી નદીના કિનારે ગયો ત્યારે તુકારામના દિવ્ય ગુનાને વંદન કરવાની તક મળી હતી. ત્યાં તુકારામના વંશજને પણ મળવાનું થયેલું. તુકારામના શબ્દો યાદ આવ્યા :
‘હે ભગવાન!
તારી સાથે સંબંધ બાંધવો
એ જ મોટી ભૂલ છે.
તું હાથપગ વગરનો ઠૂંઠો છે.
તને નહીં શરમ, નહીં વિચાર,
તું નિર્લજજ છે.
તું ચોર છે.
સર્વસ્વ લૂંટી લેવું એ જ તારો ધંધો છે.
તું પોતે ચોર, તું અમને શું આપનાર?
તારી પાસેથી મળવાનું તો કાંઇ જ નહીં,
પણ શું કરીએ?
તારા સિવાય ગતિ નથી.
એટલે જ તારી પાછળ લાગીએ છીએ.’
લોકતંત્રની પ્રશંસા કરતી વખતે કહેવામાં આવે છે કે એવા શાસનમાં માણસને પોતાનો સાવ જુદો કે વિચિત્ર અભિપ્રાય પ્રગટ કરવાની છૂટ હોય છે. વાસ્તવિકતા જરા જુદી છે. આજે પણ ભણેલા-ગણેલા લોકોની માનસકિતા એવી છે કે જુદો અભિપ્રાય એટલે ખોટો અભિપ્રાય અને જુદો અભિપ્રાય ધરાવનાર માણસ આપણો શત્રુ. એની નિંદા તર્કનો કે દલીલનો કે સત્યનો આધાર લઇને ન કરવી. એના પર હેત્વારોપણ કરવું અને એને બચાવ કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી કરવી.
આવા આક્રમણ સામે ટકી જાય તે વીર અને ઝૂકી પડે તે વ્યવહારુ! જો મનુષ્યના સદ્ગુણોનું પ્રધાનમંડળ રચાય તો વડાપ્રધાન તરીકે ‘અભય’ સ્થાન પામે. શ્રીકષ્ણે ગીતામાં દૈવી સંપત્તિની યાદીમાં અભયને પ્રથમ ક્રમે મૂકયો છે. આખો સમાજ ‘વ્યવહારુ સરેરાશ’ પર જીવે છે. વ્યવહારુ માણસ મજબૂર જીવનનું વિકરાળ રહસ્ય સમજે છે :
ડરતાં ડરતાં જીવવાનું
ને જીવતેજીવત મરવાનું!
નિરાંતે જીવવાની આ ફોર્મ્યુલા સરેરાશના ચાસમાં ચાસ પાડનારી છે. એમાં જોખમ નથી, વિરોધ નથી, બદનામી નથી અને સ્વરાજય નામની બિહામણી ઘટનાનો ભય નથી. કલ્પનાને રવાડે ચડવામાં સાહસ છે. સાહસ હોય ત્યાં જોખમ હોવાનું. પોતે જે બની ન શકયો તેની ખોટ પૂરવા માટે મનુષ્યને કલ્પના આપવામાં આવી છે. વિનોદવૃત્તિ મનુષ્યને શા માટે મળી છે? જે આપણે ન પામી શકયાં તે માટેનું આશ્વાસન પૂરું પાડવા માટે વિનોદવૃત્તિ આપવામાં આવી છે. સંતાનો તમારી વાત ન સાંભળે તો તેની ચિંતા કરવા જેવી નથી. ખરી ચિંતા તો એ માટે કરવા જેવી છે કે તેઓ તમારી બધી રીતરસમો જોઇ રહ્યા છે. વ્યવહારુ મનુષ્યને માથે સૌથી મોટું કોઇ જોખમ હોય તો તે છે : ‘બાળકો બધું સમજી જાય છે.’
દુનિયાના ઇતિહાસમાં ડોકિયું કરનારને એક વાત સમજાઇ જશે કે માનવીના વિકાસમાં સરેરાશગ્રસ્ત વ્યવહારુ માણસોએ કશો જ ફાળો આપ્યો નથી. રિચાર્ડ બેકની યાદગાર વાર્તામાં જોનાથન નામનું સાગરપંખી સાવ જુદું વિચારે છે અને દેશનિકાલની સજા પામે છે. ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ’ પુસ્તક જગતના અવ્યવહારુ મનુષ્યોને અપાયેલી મહાન અંજલિ ગણાય.
જો વ્યવહારુ માણસોનું ચાલ્યું હોત, તો આજે પણ પૃથ્વી સપાટ ગણાતી હોત, આજે પણ અસ્પૃશ્યતા અને સતીપ્રથા ચાલુ હોત અને આજે પણ દુનિયામાં સ્ત્રીઓને મતાધિકાર પ્રાપ્ત થયો ન હોત. આપણે કદાચ એવા મનુષ્યો છીએ, જેમને માતપિતાએ વારંવાર ચેતવ્યા હતા છતાં સુધરવામાં સફળ ન થયા અને તેથી થોડાક આગળ વધી શકયા. જે સમાજ અવ્યવહારુ માણસોને સહન કરવાની તાકાત ગુમાવી બેસે છે, તે સમાજ ગમે તે ધર્મ પાળતો હોય તોય વાસ્તવમાં તાલિબાની સમાજ છે. પોતાની સઘળી માન્યતાઓને હડસેલો મારીને જીવવું એ જીવતેજીવત મરવાનો એક લોકપ્રિય પ્રકાર છે.
વિભિષણ મોટાભાઇ રાવણની સામે થયો ત્યારે અવ્યવહારુપણાનું સૌંદર્ય પ્રગટ થયું. બીજો અભિપ્રાય જેને સાવ જ અસહ્ય જણાય, તે માનવી પોતાની ભીતર પડેલા રાવણત્વનો રખેવાળ ગણાય. માનવીમાં રહેલું વિભિષણત્વ મૂલ્યવાન છે. જે સત્યને ખાતર ભાઇને ત્યજે તે વિભિષણ છે. જે ભાઇ ભાઇને ખાતર સત્યને જતું કરે તે કુંભકર્ણ છે. પસંદગી આપણા હાથમાં છે.
પાઘડીનો વળ છેડે
એ માણસ એટલો વિદ્વાન હતો
કે ઘોડાને માટે નવ નવ
ભાષાઓમાં કયો શબ્દ છે
તે જાણતો હતો,
પરંતુ એ એટલો બુદ્ધુ હતો કે
સવારી કરવા માટે
ગાય ખરીદી લાવ્યો!
-બેન્જામિન ફ્રેંકલિન
Article by Dr. Gunvant B. Shah in Divya Bhaskar Sunday published on September 13, 2009
To live afraid, and to die while living!
Do you remember? Several years ago, Mehdi Nawaz Jung was the Governor of Gujarat. His daughter Dr. Ismat Mehdi was the Director of the Cultural Centre in the Indian Embassy in Egypt. When I was in Cairo for 5 days, Dr. Ismat arranged a meeting with a Sufi fakir. During our long conversation, Sufi Abdul Hai said:
“I laugh because
I am alone.
People laugh because
They are like everyone else.”
Society has always revelled in curbing man’s freedom. When a man starts living individualistically, he starts getting attacked. Religion attacks in the name of tradition. Relatives attack in the name of custom. Our neighbors are at the forefront in snatching our freedom.
Since ages, a sword hangs above our necks, “What will people say?” People always have an opinion about every single thing in life. When a man marries according to his wishes, usually people have a different opinion. Here the key word is ‘average’ and it is dangerous. What doesn’t coincide with the average is a sin. What coincides with the average is an indicator of well-being. Bravo to those who defied well-being and committed a ’sin’. The world delights in such sinners.
There was a great sinner in Italy. People burnt him alive. What was his sin? He told people in a loud voice that the earth was not flat, it was round. That great sinner was called Bruno. If Bruno had kept silent, he would not have had to die.
Sant Tukaram wrote the abhangs which angered the Brahmans. They ordered him to submerge his abhangas in the Indrayani river of Dehu village. When I went to Dehu, on the banks of the Indrayani, I could pay homage to the glorious sin of Tukaram. I was also able to meet Tukaram’s descendants. I remembered the words of Tukaram:
“Oh God!
It is a big mistake
To know you.
You are a block of wood
Without hands or legs.
You have neither shame, nor thought.
You are shameless.
You are a thief.
It is your profession to loot everything.
You who are a thief, what can you give us?
We are not going to get anything from you.
But what can we do?
There is no motion without you.
That is why we follow you.”
Democracy is praised because it is said that it allows a man to have a difference of opinion. The truth is different. Even today, educated people feel that a different opinion is the wrong opinion and the man with a different opinion is our enemy. He is not to be criticized through the truth of logic and argument. But he has to be overcome by sophistry and be brought into a defensive position.
The one who can stand up before this attack is brave and the one who bows before it is practical. If there was a parliament of virtues, then fearlessness would be the Prime Minister. In the Bhagvad Gita, Shri Krishna has stated that amongst the godly qualities, fearlessness is the first. Society lives on practicality. The practical man understands the horror of the helpless life.
To live afraid, and to die while living!
To live without trouble, is the sugar syrup for the average. There is no danger in it, no opposition, no ill-repute and no fear of terrible freedom. It is daring to imagine. Where there is daring, there will be danger. Man was given imagination to compensate for what he could not be. Why did he get a sense of humour? To compensate for the loss of what he could not get.
There is no point in worrying when your children don’t listen to you. The true worry is that they are observing your every custom and habit. If there is any danger to the practical man it is that, children understand everything.
Anyone who dabbles in world history, will soon realize that the average practical man has contributed nothing to progress. In Richard Bach’s memorable story, the seagull Jonathan thinks differently and is exiled. ‘Jonathan Livingston Seagull’ is an ode to all impractical men.
If practical men had had their way, the earth would still have been considered flat, untouchability and Sati would have prevailed and women would not yet have got the right to vote. Maybe we are the kind of men who were warned repeatedly by their parents but did not listen and therefore moved a few steps ahead. The society that loses its ability to tolerate impractical men, no matter what religion it professes, is in reality a Talibani society. To push aside all one’s own beliefs is a popular way to die while living.
When Vibhishan stood up against his elder brother Ravan, the beauty of impracticality was revealed. The person who cannot tolerate any difference of opinion is a prisoner to the Ravan-atva inside him. The Vibhishan-atva inside a man is very precious. The one who can sacrifice his brother for truth is Vibhishan. The brother who can let go of truth for his brother’s sake is Kumbhkaran. The choice is yours.
Translated by Batul Mukhtiar, © 13 November, 2009
Posted in philosophy and spiritualism | Tagged Abdul Hai, Egypt, Giordano Bruno, Ismat Mehdi, Jonathan Livingston Seagull, Kumbhakaran, Mehdi Nawaz Jung, Ravan, Richard Bach, Sufism, Tukaram, Vibhishan | Leave a Comment »
જે કલાકો નકામા વીતી ગયા, તે જ કલાકો આપણને ઘડપણનો અનુભવ કરાવવા માટે જવાબદાર છે. જીવનમાં કેટલાક કલાકો ફણગાયેલા મગના દાણાની મૂછ જેવા સુકોમળ અને પુષ્ટિવર્ધક હોય છે. બાકીના કેટલાક નિર્જીવ કલાકો તો ઠરી ગયેલી ચિતાભસ્મમાં અટવાતા અર્ધદગ્ધ કોલસાના ટુકડા જેવા હોય છે.
પાકેલા ફળને ઝાડ પરથી નીચે પડવાનો ગમ નથી સતાવતો, પણ સડી રહેલા ફળને તો એક્ષ્સ્ટેન્શન મળે તેમાં બહુ રસ હોય છે. આપણો દેશ આજે સડી ગયેલી સિનિયોરિટીના અભિશાપથી પીડાઇ રહ્યો છે. કયારેક કોઇ કુમળા છોડને ઝારી વડે પાણી પાઇએ એવી વૃત્તિથી દિવસના એકાદ કલાકનું જળસિંચન કરવાનું શકય ખરું? જરાક થોભીને વિચારીએ તો સમજાય કે છોડને પાણી પાનારો પણ અંદરથી ઊગી રહ્યો હોય છે. કેટલાક ખાસ કલાકો દરમિયાન આપણે ‘આપણે’ હોઇએ છીએ. આવા પોતીકા લાગતા ચંદ કલાકોની પ્રતીક્ષા કરવી એ પણ જીવતા હોવાનો દાર્શનિક પુરાવો છે. પાઇલટની કરિયર વર્ષોમાં નહીં, ઉયનના કલાકોમાં નોંધાતી રહે છે.
જે કલાકો નકામા વીતી ગયા, તે જ કલાકો આપણને ઘડપણનો અનુભવ કરાવવા માટે જવાબદાર છે. જીવનમાં કેટલાક કલાકો ફણગાયેલા મગના દાણાની મૂછ જેવા સુકોમળ અને પુષ્ટિવર્ધક હોય છે. બાકીના કેટલાક નિર્જીવ કલાકો તો ઠરી ગયેલી ચિતાભસ્મમાં અટવાતા અર્ધદગ્ધ કોલસાના ટુકડા જેવા હોય છે. નિર્જીવ કલાકો એટલે એવા કલાકો, જે વખતે આપણે વહેતાં રહેવાને બદલે કેવળ ઘસડાતાં રહીએ છીએ. પ્રવાહમાં નછૂટકે ઘસડાતી હિમશિલા જેવા એ કલાકો ભારે બહુમતીમાં હોય છે. ઝરણું થનગનાટ સાથે વહેતું રહે છે. જીવન એટલે થોડાક થનગનતા-મનગમતા કલોકોની કવિતા! હિમશિલા અને થનગનાટને બાર ગાઉનું છેટું! માણસનું આયખું વર્ષોમાં માપવાનો કુરિવાજ એવો તો જામી ગયો છે કે કલાકોમાં આયુષ્ય માપવાની વાત જાણી વિચિત્ર લાગે.
નોકરીની લંબાઇ પણ વર્ષોમાં મપાય છે. પરિણામે સિનિયર લલ્લુ પણ કોઇ જીવંત જુનિયર આગળ અમથો રોફ મારી ખાય છે. કાર્યક્ષમતાની સમસ્યાઓ ઓછી નથી હોતી. બિનકાર્યક્ષમતા ખાસી નિરાંત આપે છે. જીનિયસ (પ્રતિભાસંપન્ન) માણસને સતાવનારો અને મિડિયોકર (મઘ્યમ કક્ષાના) માણસને જાળવવાનો સમાજ ગરીબીને લાડ લડાવતો રહે છે. ભારત સરકારના પ્રધાનમંડળમાં કયારેય જીનિયસ ગણાય તેવા પ્રધાનોની સંખ્યા ઝાઝી નથી હોતી.
સડેલી યુવાની તો ઘડપણનું જ બીજું નામ છે. થનગનતું ઘડપણ એ તો યુવાનીનો ઉત્તરાર્ધ છે. વર્ષો પહેલાં ભારતમાં રહેનારા ગ્રીસ દેશના એલચીનું નામ વાસિલિસ વિટસાકિસસ હતું. થનગનતો-મનગમતો કલાક કેવો હોય? એલચી હોવા છતાં કવિતા લખનારા એ જીવંત માણસની પંકિતઓ સાંભળો :
મેં સરોવરના ઊંડાણમાંથી
એક તારો ઉપાડયો
અને રાતના કામણમાં
એકલો એકલો ચળકયા કરે
તે માટે આકાશમાં ફંગોળ્યો છે.
અને એનું નામ તે તું!
જેનું નામ પણ સાંભળ્યું નથી
એવા સાગરમાં મેં મારી હોડી
તરતી મૂકી છે,
જયાં હોડીઓ અને તરસ્યા હોઠ
વાસ્તવિકતાના કિનારાઓથી
દૂર ને દૂર સરકતાં રહે છે
અને એનું નામ તે તું!
રણની રેત વચાળે મેં
ફૂલોનું ઉપવન ઉછેર્યું છે.
એમના રંગો તો મેં
મેઘધનુષ પાસેથી મેળવ્યા છે.
પૃથ્વીના શ્વાસ જેવી મીઠી મીઠી સુગંધ,
અને એનું નામ તે તું!
ભરતીનાં મોજાં પરથી
હું ચંદ્રમા પર પહોંચવા મથ્યો
ચંદ્રમા ખૂબ જ ઊચે હતો,
સૂર્ય ખૂબ જ ઉષ્ણ હતો,
પણ મેં તો એક કિરણ ઝાલી લીધું.
અને એનું નામ તે તું!
માણસ સૌથી ઓછો ઉપદ્રવકારી કયારે હોય છે? આ પ્રશ્ન પર બહુ લાંબો વિચાર કર્યા પછી જે જવાબ જડયો છે તે વહેંચી દેવાનો અભરખો છે. મનુષ્ય જયારે પ્રિયજન (સોલ-મેટ) સાથે બેસે ત્યારે એની પાસે ઉપદ્રવ કરવાનો સમય જ નથી હોતો. પૂજામાં બેઠેલા માણસને બિલાડી પર સાણસીનો ઘા કરતો જોયો છે. જાત્રાએ જનારા માણસને સહપંથી બિરાદરો સાથે બાખડતો જોયો છે. કષ્ણભકત ગણાતા માણસને દહેજ લેતો જોયો છે. સેવકને જૂઠું બોલતો જોયો છે.
બ્રહ્મચારીને ફલિર્ટંગ કરતો જોયો છે. સાધુને અર્થલોભમાં ડૂબેલો જોયો છે. મુલ્લાને ગાળ બોલતો જોયો છે. પાદરીને કપટ કરતો જોયો છે. હજુ સુધી વૃક્ષની નીચે ઊભા રહેનારા બે ‘મળેલા જીવ’ને કયારેય કોઇ ઉપદ્રવ કરતા ભાળ્યા નથી. પ્રેમક્રાંતિ વિના વિશ્વશાંતિ થાય એ વાતમાં માલ નથી. એકબીજામાં ઓતપ્રોત એવી બે વ્યકિતઓ વચ્ચે ચાલતી ગુફતેગૂમાં ખલેલ પહોંચે, તેમાં જ યુદ્ધ નામની બિભત્સ ઘટનાનો પ્રારંભ સંતાયેલો હોય છે. આ વાત માનવા કોઇ તૈયાર ખરું?
ભારતીય સંસ્કતિએ એક મહાન શબ્દ વિશ્વને આપ્યો : ‘આનંદ’. આ એક એવો શબ્દ છે, જેનો કોઇ વિરોધી શબ્દ નથી. સુખ હોય ત્યાં દુ:ખ હોવાનું. ઊચું હોય ત્યાં નીચું હોવાનું. દિવસ હોય ત્યાં રાત હોવાની. ‘આનંદ’ શબ્દનો પર્યાય અન્ય ભાષાઓમાં ઝટ નહીં જડે. આવો અનોખો શબ્દ આપનારી ભારતીય સંસ્કતિમાં આનંદ ક્ષીણ થતો ચાલ્યો છે. ગરીબીનો વિસ્તાર થતો રહે છે અને ઢગલાબંધ મરેલા મરેલા કલાકો કોઇ વિરાટ કન્વેયર બેલ્ટ પર વહી રહ્યા હોય એવી સ્થિતિ છે. સમય તો જાણે વેડફી મારવાની ચીજ હોય, એ રીતે લોકો ‘જીવી’ રહ્યા છે.
વર્ષે કે બે વર્ષે ઓટોરિક્ષા કે ખટારાને આર.ટી.ઓ.માં પાસ કરાવવો પડે છે. આપણને એવી કોઇ જફા નડતી નથી. કયારેક ઊગતા સૂરજ સામે માણસ એવી રીતે જુએ છે, જાણે પોતે આથમી ચૂકયો ન હોય! આપણી દિનચર્યામાં રોજ એકાદ ‘જીવતો’ કલાક પામવાની હઠ પકડયા વિના ઘડપણથી બચવાનો કોઇ ઉપાય નથી. જેની દિનચર્યા સુંદર, તેની જીવનચર્યા સુંદર! મગ જેવા મગનો દાણો પાણીના સંપર્કમાં આવે પછી એનું પ્રફુલ્લન (સ્પ્રાઉટિંગ) થાય છે. શું માણસ મગના દાણા કરતાંય ગયો?
પાઘડીનો વળ છેડે
ચર્ચિલ વ્હાઇટ હાઉસમાં પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટના મહેમાન હતા. સવાર પડી અને એમણે પોતાના સેક્રેટરીને ડિકટેશન લેવા માટે બાથરૂમમાં બોલાવ્યો. સેક્રેટરીએ જોયું તો ચર્ચિલ સંપૂર્ણપણે નગ્ન અવસ્થામાં સિગારનો દમ મારી રહ્યા હતા. ચર્ચિલે ડિકટેશન આપવાનું શરૂ કર્યું પછી શાવર નીચે સ્નાન કર્યું અને પાછું ડિકટેશન આપવાનું શરૂ કર્યું. એવામાં બારણા પર ટકોરા થયા. ચર્ચિલ હજી દિગંબર અવસ્થામાં જ હતા અને એમણે બારણું ખોલ્યું. સામે પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ ઊભા ઊભા ચર્ચિલની આંખો સામે તાકી રહ્યા હતા. આંખનું મટકું પણ માર્યા વિના ચર્ચિલે કહ્યું : ‘મિસ્ટર પ્રેસિડેન્ટ! તમે જોઇ શકો છો કે મારે કશુંય છુપાવવાનું નથી.’
Article by Dr. Gunvant B. Shah published in Divya Bhaskar Sunday on June 21, 2009
Posted in philosophy and spiritualism, poetry and nature | Tagged Happiness, leisure, time | Leave a Comment »
A little away from Mysore, the Kaveri flows through lovely rocks and trees. Birds from all over the globe migrate here. A migratory bird from China comes here, lays eggs and when the baby-birds grow up,it flies away. This bird sits still on the rock for hours together as if in meditation. It has an interesting name – Stone Flower.
Perhaps every man is like a stone flower. His existence consist of three things:
1. Stone-ness
2. Flower-ness
3. Bird-ness
Stone-ness is represented by materialism, money-mindedness, greed and the profit motive, i.e. an attitude fixed upon the mundane.
Flower-ness is the blooming of one’s self and it implies ’self-actualization’,the term coined by Abraham Maslow.
Bird-ness inspires the flight to reach the Supreme Being without beginning or end.
Raj-yoga is the tranformation of the Stone-ness within us, into the Flower-ness and the Bird-ness.
- An extract from Dr. Gunvant Shah’s book ‘The Symphony of Krishna’.
Posted in philosophy and spiritualism, poetry and nature | Tagged Abraham Maslow, Gita | 2 Comments »

કબીર વણકર હતા અને પોતાનું કામ ઘરે રહીને કરતા. તેઓ કોઇ ટેક્ષ્ટાઇલ મિલના કામદાર ન હતા. સંત રૈદાસ ચમાર હતા અને પોતાની ઝૂંપડીમાં બેસીને કામ કરતા. તેઓ બાટા કે લાખાણી કંપનીમાં નોકરી કરતા ન હતા. મીરાંબાઇ જેવી રાજ ઘરાનાની ક્ષત્રિય કન્યાએ એમને ગુરુપદે સ્થાપ્યા હતા. તામિલ સંત થિરુવલ્લુવર પણ વણકર હતા. જયાં ઓટલો હોય ત્યાં જ રોટલો રળવાની સગવડ હોય, ત્યારે આજીવિકા પણ જીવનરસને વહેવડાવનારી બની રહે છે. રોટલો રળવા માટે કેટલાય લોકો ટ્રેનમાં ઊભા ઊભા કે લટકતા રહીને નોકરીએ જાય અને રાતે ઘરે પાછા ફરે એવી પરિસ્થિતિ માનવીની સહજ ગરિમામાં ગોબો પાડનારી ગણાય. મુંબઇ મહાનગર હશે, પણ વાસ્તવમાં એ ‘ગોબાનગર’ છે. ત્યાં માનવી કયારેક જંતુ બની જાય છે.
મહાત્મા થોરોએ પોતાના પુસ્તક ‘વોલ્ડન’માં એક મૌલિક વાત કરી હતી. છેક શિકારયુગમાં પેટિયું રળવા માટે માણસ જેટલા કલાકો ગાળતો તેટલા જ કલાકો આજે પણ ગાળે, તો સભ્યતા વિકાસ પામી એવું શી રીતે કહી શકાય? એકવીસમી સદીમાં પણ નોકરી કરવા માટે રોજ બે-ત્રણ કલાક આવ-જા કરવામાં જ વીતી જાય, તો માણસ શિકારયુગમાં જ જીવે છે એવું માનવાની ફરજ પડે છે. એલવિન ટોફલર કહે છે કે આપણા જ જીવનકાળમાં મોટી મોટી ફેકટરીઓ અને બહુમાળી મકાનો અડધાં ખાલી થઇ જશે.
ટોફલર કહે છે કે નવલાં સ્વરૂપે ઇલેકટ્રોનિકસ પર આધારિત ગૃહઉધોગોનો જમાનો શરૂ થશે. દસેક હજાર વર્ષથી માણસ આ રીતે ઘરે રહીને રોટલો રળતો આવ્યો છે. પોતાના કૂબા (ઝુમ્ભા)માં રહેનારા આફ્રિકન આદિવાસી માટે ખેતર પણ ઝાઝું દૂર ન હતું. ટોફલર કહે છે કે વાહન વ્યવસ્થા પરનો બોજ ઘટશે અને આવન-જાવનની રોજિંદી તાણ ઘટે તો પરિવાર-જીવન પર રૂડી અસર પડશે. કોમ્પ્યુટરને કારણે આવી નડતર જીવનશૈલી શકય બનશે ખરી? આવું બને તો દેશમાં અપ-ડાઉન કરનારા કરોડો લોકોનું જીવન રળિયામણું બનશે.
વિકાસનો મેળ કલ્ચર સાથે પડશે ત્યારે તાણના ઉકરડાની દુર્ગંધ ઓછી પજવશે. આપણે વિચિત્ર સમાજ વ્યવસ્થાના શિકાર બની ગયાં છીએ. અમદાવાદનો માણસ વડોદરા નોકરી કરવા જાય છે અને વડોદરાનો માણસ અમદાવાદ જાય છે. આવા બે ‘અપડાઉનિયા’ મનુષ્યો ઘરે મોડા પહોંચે છે અને ખૂબ થાકે છે. બંને દુખી છે. કોઇ એવી સસ્ટિમ નથી, જેથી બંનેના કામ લગભગ સરખાં હોય તો અદલાબદલી થઇ શકે.
પુણેથી રોજ મુંબઇ અપડાઉન કરનાર આદમી માનસકિ રીતે સ્વસ્થ રહી શકે ખરો? રોજ અપડાઉન કરનારા લોકોના ખાસ ડબ્બામાં આવજા કરનારા પાસ હોલ્ડર્સની દાદાગીરી જોઇ છે? રોજિંદી તાણ એમને બેચન બનાવી મૂકે છે. એમની વાતો કયારેક કાન દઇને સાંભળવા જેવી હોય છે. મુંબઇની લોકલ ટ્રેનમાં રોજ સવાર-સાંજ ભીડમાં ભચડાતા આદમીના ચહેરા પર સૂનકારનું લીંપણગૂંપણ ઘ્યાનસ્થ ચિત્તે નીરખવા જેવું હોય છે. એ શૂન્યતા નથી અને સ્વસ્થતા પણ નથી. એ તો તાણનો સાથિયો છે, જે ભૂંસાઇ ગયો છે. થોરોના શબ્દો યાદ આવે છે :
લખવા માટે બેસવાનો
કોઇ જ અર્થ નથી,
જો તમે
જીવવા માટે ઊભા થવાના ન હો!
વાતે વાતે જૂઠું બોલવું પડે તેવા સામાજિક પર્યાવરણમાં ગરીબ માણસ માટે જૂઠું બોલવું એ પણ જીવન ટકાવી રાખવા માટે (સર્વાઇવલ)ની વ્યૂહરચના છે. મજૂર જૂઠું બોલે છે, કારીગર જૂઠું બોલે છે અને ખેતરમાં ઘાસ વાઢનારી સ્ત્રી જીવલી પણ જૂઠું બોલે છે. બે પ્રેમીજનો જૂઠું બોલીને પોતાના પ્રેમને જાળવી લે છે. કોઇ કોલેજ કન્યા પોતાનાં માતા-પિતા સમક્ષ બોયફ્રેન્ડને લઇ જઇને નિર્ભયપણે કહી શકતી નથી : ‘ડેડ, ધિસ પંકજ ઇઝ માય બોયફ્રેન્ડ.’ વેપારી જૂઠું બોલે છે એટલું જ નહીં, જાહેરમાં કહે છે કે વેપાર કરવો હોય તો જૂઠું બોલવું જ પડે. રાજકારણીને જૂઠું બોલ્યા વિના ચાલશે? કયારેક સેવકો, કર્મશીલો અને સાધુજનો પણ જૂઠું બોલીને વટ પાડતા રહે છે. જીવવાનું બાજુ પર રહી જાય છે અને જીવવાનો અભિનય કરવાનું ચાલ્યા કરે છે. જરાક શાંત ચિત્તે વિચારીએ તો સમજાય કે આપણે ભૂલથી એક એવા સ્માર્ટ સમાજનું નિર્માણ કરી બેઠાં છીએ, જેમાં અસત્ય બોલવું એ પણ આપણી જીવનશૈલીનું ઘરેણું છે.
સમાજનું સૌથી ક્રૂર એવું અસત્ય ત્રણ શબ્દોમાં પ્રગટ થતું રહે છે : ‘આઇ લવ યૂ.’ આ ત્રણ શબ્દોએ જેટલી વસંત ખીલવી છે, તેટલી જ પાનખર સર્જી છે.’ ‘લવ’ જેવા પવિત્ર શબ્દને આપણે લીસો અને લપટો બનાવી મૂકયો છે. આપણી ટીવી સિરિયલોમાં સોળે કળાએ ખીલતી દગાબાજીને પણ રોજ રાતે દેશનાં કરોડો ઘરોમાં ચાર ચાંદ લાગી જાય છે. દગો દેવો એ સાવ સહજ બાબત ગણાવા લાગે તેવા માહોલમાં સચ્ચાઇને વળગી રહેનારા વેદિયા માણસની મશ્કરી થતી રહે છે. દગાબાજીને પણ લલિત કલાનો દરજજો મળે એવી સિરિયલ વધારે લોકપ્રિય બને છે.
આજના ટીવી જગતના ત્રણ ખતરનાક અક્ષરો છે : ‘ટી.આર.પી.’ ટેલિ-કોમ્યુનિકેશન અને ઇન્ટરનેટના ઉપકારોને કારણે કેટલું પેટ્રોલ અને પ્રદૂષણ બચે તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી. ટોફલરની કલ્પના મુજબની ‘ઇલેકટ્રોનિકસ કોટેજ’માં ઓફિસે ગયા વિના ઓફિસનું સઘળું કામ ઘરબેઠાં થશે. આવું હવે મોટા પાયા પર શરૂ થઇ ચૂકયું છે. કદાચ આવી નવતર ઉત્પાદનશૈલી એકવીસમી સદીને વૈતરામુકિત તરફ લઇ જશે.
કૃષ્ણ ગીતામાં કહે છે કે કર્મ કર્યા વિના મનુષ્ય એક ક્ષણ પણ રહી શકતો નથી. શું ઊઘવું એ પણ કર્મ છે? વૈજ્ઞાનિક સંશોધન તો કહે છે કે ટીવી જોતી વખતે બળે, તેના કરતાં વધારે કેલરી ઊઘતી વખતે બળે છે. જો કર્મ વૈતરું બને, તો તાણનો ગઠ્ઠો શરાબના સેવન વિના બીજી કઇ રીતે ઓગળે? જો કર્મમાં કલાનું કે ભકિતનું તત્ત્વ ઉમેરાય તો એ ભીનું કર્મ વૈતરું મટીને આનંદપર્યવસાયી બની શકે.
એકવીસમી સદીની ચેલેન્જ સ્પષ્ટ છે : કયાં તો વૈતરું કરીને જીવન વેંઢારો કે પછી કર્મને કષ્ણનો રંગ લગાડો. બીજો વિકલ્પ કલ્યાણકારી જણાય છે. તામિલનાડુમાં દાદીમા જેવાં સંત થઇ ગયાં. તેઓ તામિલ ભાષાને મા ગણતાં હતાં. તેમનું નામ અવ્વૈયર હતું. તેમનું સમગ્ર જીવન તામિલ ભજનો ગાવામાં વીત્યું હતું. તેમણે રચેલી ચાર પંકિતઓમાં ગીતાનો સાર આવી જાય છે. સાંભળો :
જો તમે નારિયેળીને ચરણે
પાણી રેડશો,
તો તમને એના મસ્તિષ્ક પાસેથી
નારિયેળપાણી મળશે.
માણસ જેવો માણસ વેરવિખેર થઇ રહ્યો હોય ત્યારે એના ચારિત્ર્યના ભાવ ગગડી જાય છે. કલાકોના કલાકો રોજ ત્રાસમય બને, ત્યારે તાણનો ખાળકૂવો સતત ઊભરાતો રહે છે. જીવનમાં પ્રસરી ચૂકેલો ખરો આતંકવાદ એટલે વૈતરું. આજે ન્યુકિલયર કુટુંબ પણ તૂટતું જાય છે. નોકરી ગમે તેટલી રૂપાળી હોય તોય ‘તાણમાતા’ જ બની રહે છે. કલાકોની લાંબી ગેરહાજરી પતિપત્ની વચ્ચેની વફાદારી પર ખાનગી ઉપદ્રવો ઠાલવે છે. લગ્નજીવન નંદવાય ત્યારે પરિવાર બેચેન બને છે. જે માણસ વાંચવાની અને વિચારવાની શકિત ખોઇ બેસે એને કોઇ ‘વિકલાંગ’ નથી કહેતું. સમજુ માણસને આખો દિવસ ખલેલ પહોંચાડી શકે તેવા શબ્દો હવે પાંચ ઊડા શ્વાસ લઇને વાંચવા વિનંતી.
પાઘડીનો વળ છેડે
માણસની પ્રતિષ્ઠા જો
એના ચારિત્ર્યને રસ્તામાં મળી જાય,
તો બંને એકબીજાંને
ઓળખી ન શકે એમ બને.
- એડવર્ડ હબર્ડ
(ઓગણીસમી-વીસમી સદીમાં થઇ ગયેલ અમેરિકન ફિલસૂફ)
published in Divya Bhaskar Sunday, October 11, 2009
Posted in philosophy and spiritualism, poetry and nature | Tagged Kabir, Mirabai, Mumbai, Thoreau | Leave a Comment »
Can there be anything called a ‘legitimate police encounter’ in a civilized society that believes in human rights?
No way. So by that yardstick, a police official gunning down any terrorist should be branded as a killer. Should we accept this theory, no terrorist could ever be liquidated. What could a cop do but fire when confronting a terrorist? We surely do not expect him to do Bharat Natyam!
If a fake encounter is illegal, then why is only Gujarat singled out and maligned? Mohanlal Sharma, a brave Delhi cop had killed 40 criminals in fake encounters. He reached the Delhi-based Jamia Nagar flat, with full consent of the then Home Minister Shivraj Patil. Out of the four criminals holed up there, two managed to flee whereas the remaining two got shot dead. But in the ensuing encounter, Mohanlal Sharma was martyred. Had he not been killed, he would have been labeled a killer. What logic is this? Wasn’t it a fake encounter? It happened during the Congress rule.
For the past seven years, it has been fashionable among the media to tarnish the image of Gujarat even if it means disregarding the facts and distorting the truth. Have a look at these facts. In the last seven years, from September 2002 till 2009, a total of eight police encounters took place in Gujarat in which 16 people lost their lives.
On the other hand, in 2001-2002, when the current police commissioner D Shivanand was Jt. Commissioner, Crime Branch, his men were involved in more than 50 encounters in just one year. Incidentally, during the same period the maximum number of encounters (253) had taken place in Uttar Pradesh.
Currently, the encounter of a college-going girl Ishrat has kicked up a storm. Ishrat was accompanied by three men. On 15 June, 2004, all four were killed in an encounter on the outskirts of Ahmedabad. One of them was Javed Sheikh who was a Hindu converted to Islam. He had two passports, one with his Hindu name and the other with his Muslim name.
On the 6 of August this year, the affidavit that was presented to Mumbai High Court by the central Home ministry indicated that all four of them had links with Lashkar-e-Toiba. If Ishrat was so innocent, why would she come all the way from Mumbai to Ahmedabad with three unknown men? Just to have a stroll around the Kankaria Lake?
The above-mentioned Affidavit says: ‘It came to the notice of the security agencies of the union government that Javed was in regular touch with LeT operatives particularly Muzammil to carry out terrorist actions against Gujarat…’
What should the police do when four terrorists descend in Ahmedabad? Had police officer Vanzara been shot dead, he would have been considered a martyr, but since he is alive, he is behind bars. Long live India, long live your secularism, and long live your human rights! If a tiger breaks into your lane, do not kill him, you may get a bad name.
After Swarajya, a new animal was born at the Delhi-based Jawaharlal Nehru University. It’s name is ‘Secular Idiot’. Want to know its characteristics?
The Secular Idiot means a progressive intellectual, who would not see any good quality in the Hindu mindset and remains blind to any shortcomings of the Muslim mindset.
Such a singularly lopsided and partisan attitude of the ’secular idiot’ leads to a communal gulf between the communities. You will often find such idiots in high profile debates on TV, sprinkling rose water over the issue of human rights. Is it because they have not lost their dear ones to terrorists?
Let the Gujaratis be aware. The ruling Congress party is convinced about one thing beyond doubt that if there is anyone who can take on the party, it is only one man: Narendra Modi. They cannot rest in peace until they ruin him. Congress spokesman Manish Tiwary has already called the Modi government a ‘man eater’.
If this is true, then what adjectives would you use for the Rajiv Gandhi government which desisted from using even a mild lathi charge when nearly 4000 Sikhs were massacred in the 1984 riots? Will the Congress indulge in vote-bank politics even while confronting terrorists?
Let the Congress regime at Delhi decide and declare that there would be no fake encounters at the Center or in Congress-ruled states. Only after such resolution will they earn the moral right to take revenge against the ‘man-eater’ government of Narendra Modi.
Any takers?
X-Ray
“Ask the marching soldier where he is heading..”
Do you remember this line in the Sunil Dutt and Nanda starrer ‘Usne Kaha Tha’?
Have you seen any Secular Idiot who could understand the agony of the police officer’s wife, before he sets out for an encounter?
Translated from the article by Dr Gunvant B. Shah, published in the Chitralekha issue dated 28 September 2009
Posted in religion, politics and secularism | Tagged Congress Party, Ishrat, J Shivanand, Mohanlal Sharma, Narendra Modi, police encounters | Leave a Comment »
There was a statement in the ‘Scientific American’ : ” All the elements get together and create an indivisible whole”. It is as if modern science has created a music of synthesis:
1. Synthesis between matter and energy
2. Synthesis between time and space
and
3. Synthesis between space and gravity.
It is said that time is the fourth dimension of space. It is also said that gravity is the curvature of space. Moreover matter, space and time are considered as the field. The non-separability between two particles has been proved.Rupert Sheldrake points to the unity of all living beings through the concept of ‘Morphic Resonance’
Philosophers have also talked about the supreme Unity. Discussions went on about the bridge between the ’seen’ and the ’see-er ‘, between’knowing’ and ‘the one who knows’, between ‘the thought’ and ‘the thinker’, between ‘Prakruti’ (nature) and the ‘Purusha’ ( soul), and between ‘I’ and the ‘non-I’.
Only such intrinsic unity can support the law of Karma, in the Universe. It is not possible to imagine a karma as something totally alienated. Any action is a chain-reaction, a chain of action and reaction, an interaction between cause and effect. The place of Karma in the creation of the Universe is like that of gravity in the universe.
There can not be action without its consequence. Action without desire for its reward becomes meaningful when the philosophy of Karma is understood. Only in the Gita have such unique ideas been expressed.
An extract from Dr. Gunvant Shah’s book ‘The Symphony of Krishna’
Posted in philosophy and spiritualism | Tagged Gita, Karma, morphic resonance, Rupert Sheldrake | Leave a Comment »
A report by Bhaskar News, Surat on the lecture at Veer Narmad University, attended by 4000 young people.
ડેટિંગ દરેક યુવાનનો જન્મ- સિદ્ધ અધિકાર : ગુણવંત શાહ
‘ડેટિંગ સંપૂર્ણ હિન્દુસ્તાની કન્સેપ્ટ છે. કૃષ્ણ પણ રાધાને મળવા માટે અગાઉથી નક્કી કરેલા સમયે અને સ્થળે જતા અને તેને તે જમાનામાં અભિસાર કહેવાતું. ડેટિંગ એ દરેક યુવાનનો જન્મસિદ્ધ, સહજસિદ્ધ અને પ્રેમસિદ્ધ અધિકાર છે,’ તેવું જાણીતા ચિંતક અને લેખક ડો. ગુણવંત શાહે યુવા શિબિરમાં ગુરુવારે બોલતા કહ્યું હતું.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા એનએસએસના ‘સ્વિર્ણમ ગુજરાતની અસ્મિતા-યુવાશિબિર’માં આંતરરાષ્ટ્રીય યુવા સંસ્કૃતિ વિષય ઉપર બોલતા શાહે વધુમાં કહ્યું હતું કે, તેમની દીકરીઓ પણ ડેટિંગ ઉપર જતી હતી અને તેમણે ક્યારેય તેમને અટકાવી ન હતી.
‘જ્યારે મારી દીકરીઓ ડેટિંગ કરીને પરત આવતી ત્યારે તેમના માટે પાણી લઇને હું દરવાજે ઉભો રહેતો. નવ વાગ્યાનું કહીને ગઇ હોય તો સાડા દસ વાગ્યે આવતી. ડેટિંગમાં મોડું ન થાય તો કયાં થાય? મારી ઉંમરના લોકોને તે ગમતું નથી કારણે કે અમારા સમયમાં તે કરી શકાયું ન હતું.
પ્રેમ વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું હતું કે સમાજ પ્રેમને ગુનો ગણે છે. લવ અફેર એ ગુનો નથી. જે સમાજ પ્રેમને ગુનો ગણે છે તેણે ગુનાને પ્રેમ કરવો પડે છે. નક્સલવાદ, આતંકવાદ જેવી સમસ્યાઓ તેનું જ પરિણામ છે. શાહે કહ્યું હતું કે-‘મારું ચાલે તો દરેક શહેરમાં ફક્ત યુવક-યુવતીઓને સાથે જ પ્રવેશ મળે તેવા ઉદ્યાનો બનાવડાવું.’
ડો. શાહે જીન્સના થીંગડાંવાળા અને છૂંછાંવાળા પેન્ટને આંતરરાષ્ટ્રીય યુવા સંસ્કતિનું પ્રતીક જણાવતાં કહ્યું હતું કે જીન્સ રાષ્ટ્રપતિ અને હળપતિને સમાન સ્તર ઉપર લાવી મૂકે છે. બિલ કિલન્ટન પણ તે પહેરે છે અને તેમનો પટાવાળો પણ. ‘હું જીન્સ નથી પહેરતો પરંતુ તે પહેરનાર પ્રત્યે મને વિશેષ પ્રેમ છે’. શાહે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે યુવાન એટલે જેની વાહિયાત બાબતોને સહન કરવાની શક્તિ મર્યાદિત હોય.
આજની પેઢીની યુવતી દહેજભૂખ્યા ‘લલ્લુ’ને પરણવાની સાફ ના કહેવાની હિંમત રાખતી હોવી જોઇએ. યુવકે પણ દહેજના આધારે લગ્ન કરાવતા માતા-પિતાને ના કહી દેવાની હિંમત બતાવવી જોઇએ’.
‘અકબરના જમાનામાં પણ કાયદો કર્યોહતો કે એકબીજાની મરજીથી લગ્ન ન થયા હોય તો તે છેલ્લી ઘડીએ પણ ફોક કરી શકાય.’ શાહે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યુવા સંસ્કતિ સાથે તાલ મિલાવવા માટે આપણા યુવાનોમાં આત્મગૌરવ, આત્મસન્માન હોવા ઉપરાંત પોતાની અલાયદી ઓળખ વિશેની જાગૃતિ એટલે કે આત્મસંકલ્પના વિકસાવવી ખૂબ જરૂરી છે.
આ ત્રણ બાબતોની ઊણપને કારણે આપણો યુવાન પાછળ પડે છે. મહાભારતમાં અર્જુનનો વિષાદ તેની આત્મસંકલ્પનામાં ઊભી થયેલી વિકતિ જ હતી જેને કૃષ્ણે ગીતાના ઉપદેશથી દૂર કરી હતી.
Posted in lectures, events, updates | Tagged society, Surat, youth | Leave a Comment »