રામ વગરનો રૂપિયો સુખમાં કન્વર્ટ થઇ શકતો નથી’

બાપુની રામકથા સાંભળ્યા વગર મરવવું એ ભયંકર ખોટનો ધંધો છે : ડૉ. ગુણવંત શાહ
‘ રામ કથા નરવી અને નિવડેલી કથા છે.રામ કથા ધાર્મિક નથી, રામ કથા એક શિબિર છે, સેતુ બંધની કથા છે. આપણે રામના ઉપાસક થવાનું છે, સત્યના ઉપાસક થવાનું છે.’ સર સયાજીરાવ નગર ગૃહ ખાતે રવિવારે સાંજે પ્રવચન દરમિયાન પૂ, મોરારિબાપુના મુખેથી નિકળેલાં શબ્દેશબ્દમાં રામકથાના મહાત્મયગાનને રામભકત હનુમાનજી, લક્ષ્મણજી અને મહાપુરુષ મહાત્મા ગાંધીની ભક્તિ-સસ્કારની વાતો વણીને પ્રસ્તુત કરતાં સંસ્કારીનગરીના શ્રોતાજનોને સંસ્કારસિદ્ધિનો અનુભવ કરાવ્યો હતો.
સર સયાજીરાવ નગર ગૃહ ખાતે શ્રી સરદાર ભવન ટ્રસ્ટના ઉપક્રમે ચર્ચાચોરા કાર્યક્રમ અંર્તગત પૂ. મોરારિબાપુના વિચારો પર આધારિત અને દિવ્ય ભાસ્કરના કટાર લેખક જગદીશ ત્રિવેદી દ્વારા લિખિત ગ્રંથ માનસ દર્શનનો લોકાર્પણ કાર્યક્રમ જાણીતા ચિંતક અને સાહિત્યકાર ડૉ. ગુણવંત શાહના વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
અનીતિથી રળેલાં રૂપિયા વિશે પૂ. મોરારિબાપુએ જણાવ્યું કે, ‘રામ વગરનો રૂપિયો સુખમાં વધારો કરનાર નથી કારણ કે આવો રૂપિયો સુખમાં કન્વર્ટ થતો નથી. વેદાંત કહે છે કે, આરોપ, ભ્રાંતિ, મૂઢતા અને મિથ્યાભિમાનથી મુક્તિ કે તેનો નાશ કોઈ પણ ભૌતિક ઉપકરણો, પ્રયાસોથી થઈ શકતો નથી. એકમાત્ર વિચાર શાંત, સ્થિર ચિત્તમાંથી સ્ફૂરેલો વિચાર જ તેનો નાશ કરી શકે છે. વાત વાતમાં મરવાની વાત કરવી એ ઉદાસિનતા છે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે જગદીશ ત્રિવેદીએ રામ કથાને ધ્યાનથી સાંભળીને, ટપકાવીને વિવેકપૂર્ણ સંકલન કર્યું છે.
કાર્યક્રમના અતિથિ વિશેષ ડૉ. ગુણવંત શાહે જણાવ્યું કે, ‘ મોરારિબાપુએ રામાયણને ઘેર ઘેર વાંચતું કર્યું એ એક ગજબ ઘટના, ગુજરાત માટે નહીં, ભારત માટે નહીં પણ દુનિયા માટે છે. રામાયણ વાંચ્યા વિના મરવું ખોટનો ધંધો છે પણ બાપુની રામ કથા સાંભળ્યા વિના મરવું ભયંકર ખોટનો ધંધો છે. કેવળ ભૌતિક સંપતિ રાવણત્વનો જ પ્રકાર છે. હનુમાનજી પાસે રામત્વ હતું, ભક્તિની સમૃદ્ધિ હતી. એક પ્રસંગને ટાંકીને કહ્યું હતું કે, વનવાસથી પાછા ફરેલાં શ્રી રામને જ્યારે ભરત પગે લાગે છે ત્યારે તેમની પાદુકા અશ્રુપૂર્ણ બને છે ત્યારે રામ ભરતને કહે છે કે ‘ ભરત, હું વનમાં ગયો ત્યારે હસતો ગયો. ઘરે આવીને રડ્યો છું.’ રામાયણમાં પાત્રો ત્યાગની હરીફાઈ કરે છે.
આ પ્રસંગે ‘માનસ દર્શનના લેખક જગદીશ ત્રિવેદીએ હળવી વિનોદસભર શૈલીમાં જણાવ્યું કે, દિવ્ય ભાસ્કરના મેગેઝિન એડિટર મનીષ મહેતાના માનસના વિચારને અમલમાં મૂકાતા રવપિૂતિgમાં સદી થવાની તૈયારી છે ત્યારે સચિનની સદી પહેલી થાય તેવી આશા રાખીએ !’ આ પ્રસંગે મનીષ મહેતા અને જગદીશ ત્રિવેદીનું પૂ.મોરારિબાપૂના હસ્તે અભિવાદન કરાયું હતું.
આ સાથે રવિવારે વડોદરા શહેરના દિશેન મીલ ગરનાળાથી ટ્રાન્સપેક સર્કલ (ચકલી સર્કલ)ના માર્ગને લલિચંદ્ર મગનભાઈ પટેલ માર્ગ તરીકેની નામાંકરણ વિધિ પૂ. મોરારીબાપૂના હસ્તે મેયર ડૉ. જયોતબહિેન પંડ્યાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.
હું થિયેટરમાં જાઉ તો બધા મને પગે લાગવા માંડે : પૂ. બાપૂ
પૂ. મોરારિ બાપુએ જણાવ્યું હતુંકે, મને પણ થિયેટરમાં જઈને ફિલ્મ જોવાની ઇચ્છા થાય છે. છેલ્લું પાકિઝા જોયું હતું. હવે જાઉ તો બધા પગે લાગવા મંડી જાય.તેમણે એક ઉદાહરણ આપતાં કહ્યું કે કોઈ યુવાને આવીને કહ્યું કે ૨૦૧૨માં પ્રલય થવાનો છે એવી ફિલમ આવી છે. પણ મેં તો મારી રામ કથાની ૨૦૧૫ની સાલ સુધીની તારીખો આપી દીધી છે. કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર અને ચિંતક ડૉ. ગુણવંતશાહે જણાવ્યું હતુંકે, કાશમીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના મુખેથી રામભજન સાંભળવાનો લહાવો છે. તે જ્યારે રામભજન ગાય છે ત્યારે આંખ મીચીને ડોકૂ ધૂણાવતા લોકો મેં નજરે જોયા છે. ચર્ચા ચૌરામાં આઠેક મહિના બાદ તેમને બોલાવવાનું થાય ત્યારે બાપૂને આવવા મારી વિનંતી છે.
બાપુની રામકથા સાંભળ્યા વગર મરવવું એ ભયંકર ખોટનો ધંધો છે : ડૉ. ગુણવંત શાહ
‘ રામ કથા નરવી અને નિવડેલી કથા છે.રામ કથા ધાર્મિક નથી, રામ કથા એક શિબિર છે, સેતુ બંધની કથા છે. આપણે રામના ઉપાસક થવાનું છે, સત્યના ઉપાસક થવાનું છે.’ સર સયાજીરાવ નગર ગૃહ ખાતે રવિવારે સાંજે પ્રવચન દરમિયાન પૂ, મોરારિબાપુના મુખેથી નિકળેલાં શબ્દેશબ્દમાં રામકથાના મહાત્મયગાનને રામભકત હનુમાનજી, લક્ષ્મણજી અને મહાપુરુષ મહાત્મા ગાંધીની ભક્તિ-સસ્કારની વાતો વણીને પ્રસ્તુત કરતાં સંસ્કારીનગરીના શ્રોતાજનોને સંસ્કારસિદ્ધિનો અનુભવ કરાવ્યો હતો.
સર સયાજીરાવ નગર ગૃહ ખાતે શ્રી સરદાર ભવન ટ્રસ્ટના ઉપક્રમે ચર્ચાચોરા કાર્યક્રમ અંર્તગત પૂ. મોરારિબાપુના વિચારો પર આધારિત અને દિવ્ય ભાસ્કરના કટાર લેખક જગદીશ ત્રિવેદી દ્વારા લિખિત ગ્રંથ માનસ દર્શનનો લોકાર્પણ કાર્યક્રમ જાણીતા ચિંતક અને સાહિત્યકાર ડૉ. ગુણવંત શાહના વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
અનીતિથી રળેલાં રૂપિયા વિશે પૂ. મોરારિબાપુએ જણાવ્યું કે, ‘રામ વગરનો રૂપિયો સુખમાં વધારો કરનાર નથી કારણ કે આવો રૂપિયો સુખમાં કન્વર્ટ થતો નથી. વેદાંત કહે છે કે, આરોપ, ભ્રાંતિ, મૂઢતા અને મિથ્યાભિમાનથી મુક્તિ કે તેનો નાશ કોઈ પણ ભૌતિક ઉપકરણો, પ્રયાસોથી થઈ શકતો નથી. એકમાત્ર વિચાર શાંત, સ્થિર ચિત્તમાંથી સ્ફૂરેલો વિચાર જ તેનો નાશ કરી શકે છે. વાત વાતમાં મરવાની વાત કરવી એ ઉદાસિનતા છે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે જગદીશ ત્રિવેદીએ રામ કથાને ધ્યાનથી સાંભળીને, ટપકાવીને વિવેકપૂર્ણ સંકલન કર્યું છે.
કાર્યક્રમના અતિથિ વિશેષ ડૉ. ગુણવંત શાહે જણાવ્યું કે, ‘ મોરારિબાપુએ રામાયણને ઘેર ઘેર વાંચતું કર્યું એ એક ગજબ ઘટના, ગુજરાત માટે નહીં, ભારત માટે નહીં પણ દુનિયા માટે છે. રામાયણ વાંચ્યા વિના મરવું ખોટનો ધંધો છે પણ બાપુની રામ કથા સાંભળ્યા વિના મરવું ભયંકર ખોટનો ધંધો છે. કેવળ ભૌતિક સંપતિ રાવણત્વનો જ પ્રકાર છે. હનુમાનજી પાસે રામત્વ હતું, ભક્તિની સમૃદ્ધિ હતી. એક પ્રસંગને ટાંકીને કહ્યું હતું કે, વનવાસથી પાછા ફરેલાં શ્રી રામને જ્યારે ભરત પગે લાગે છે ત્યારે તેમની પાદુકા અશ્રુપૂર્ણ બને છે ત્યારે રામ ભરતને કહે છે કે ‘ ભરત, હું વનમાં ગયો ત્યારે હસતો ગયો. ઘરે આવીને રડ્યો છું.’ રામાયણમાં પાત્રો ત્યાગની હરીફાઈ કરે છે.
આ પ્રસંગે ‘માનસ દર્શનના લેખક જગદીશ ત્રિવેદીએ હળવી વિનોદસભર શૈલીમાં જણાવ્યું કે, દિવ્ય ભાસ્કરના મેગેઝિન એડિટર મનીષ મહેતાના માનસના વિચારને અમલમાં મૂકાતા રવપિૂતિgમાં સદી થવાની તૈયારી છે ત્યારે સચિનની સદી પહેલી થાય તેવી આશા રાખીએ !’ આ પ્રસંગે મનીષ મહેતા અને જગદીશ ત્રિવેદીનું પૂ.મોરારિબાપૂના હસ્તે અભિવાદન કરાયું હતું.
આ સાથે રવિવારે વડોદરા શહેરના દિશેન મીલ ગરનાળાથી ટ્રાન્સપેક સર્કલ (ચકલી સર્કલ)ના માર્ગને લલિચંદ્ર મગનભાઈ પટેલ માર્ગ તરીકેની નામાંકરણ વિધિ પૂ. મોરારીબાપૂના હસ્તે મેયર ડૉ. જયોતબહિેન પંડ્યાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.
હું થિયેટરમાં જાઉ તો બધા મને પગે લાગવા માંડે : પૂ. બાપૂ
પૂ. મોરારિ બાપુએ જણાવ્યું હતુંકે, મને પણ થિયેટરમાં જઈને ફિલ્મ જોવાની ઇચ્છા થાય છે. છેલ્લું પાકિઝા જોયું હતું. હવે જાઉ તો બધા પગે લાગવા મંડી જાય.તેમણે એક ઉદાહરણ આપતાં કહ્યું કે કોઈ યુવાને આવીને કહ્યું કે ૨૦૧૨માં પ્રલય થવાનો છે એવી ફિલમ આવી છે. પણ મેં તો મારી રામ કથાની ૨૦૧૫ની સાલ સુધીની તારીખો આપી દીધી છે. કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર અને ચિંતક ડૉ. ગુણવંતશાહે જણાવ્યું હતુંકે, કાશમીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના મુખેથી રામભજન સાંભળવાનો લહાવો છે. તે જ્યારે રામભજન ગાય છે ત્યારે આંખ મીચીને ડોકૂ ધૂણાવતા લોકો મેં નજરે જોયા છે. ચર્ચા ચૌરામાં આઠેક મહિના બાદ તેમને બોલાવવાનું થાય ત્યારે બાપૂને આવવા મારી વિનંતી છે.