The BJP has no good intentions in choosing Adityanath to be Chief Minister

– by Gunvant Shah (From Divya Bhaskar, 19 March 2017)

Fanaticism is never innocent. Fanaticism even for Gandhian thought would end up being a mockery of Gandhian philosophy. Hindu fanaticism takes away from the glory of Hindutva.

In an earlier article in my column, I called Adityanath ‘non-yogi Adityanath’. Even today I am not willing to use the word ‘yogi’ for him. I firmly believe that he is not a yogi, but a non-yogi. The Gita says in Chapter 2, Verse 66:

“One who is bereft of self-control cannot attain wisdom. Without wisdom one can never meditate. One who cannot meditate, cannot achieve peace, and without peace how can one attain happiness?”

This verse of the Gita fits Adityanath to a T.

The word ‘yogi’ has been made cheap and laden with negative connotations. Adityanath says:

-‘A woman’s place is in the kitchen, not in parliament’.

– Comparing Shahrukh Khan to the terrorist Hafiz Saeed Aditynath had said, ‘Shahrukh Khan should go to Islamabad.’

– ‘Those who oppose yoga and the Surya Namaskar should be drowned in the ocean.’

– ‘Graveyards should be wiped out not only in U.P., but throughout the country.’(I quote from memory.)

– ‘If the BJP wins by a clear majority in U.P, we will shut down cow slaughterhouses and the Ram Mandir will be built.’ (I quote from memory.)

Such statements reflect complete lack of self-control. Can a yogi speak like that? Do the Vedas, Upanishads or the Gita sanction this uncontrolled language? Does Adityanath’s face show the serenity of a yogi’s face? I don’t have the guts to call such an ordinary politician a yogi or a sadhu. I believe that this step will take BJP towards the destruction of political ethics.

Years ago, after talking to the respected Morarjibhai Desai at his residence Osiana on Marine Drive, I touched his feet when I was about to leave. Morarjibhai reprimanded me in his gruff voice, “You give me too much respect.” I said, “Morarjibhai, I consider you a true sadhu. Otherwise I avoid bowing down before many who wear the sadhu’s robes.”

My IQ is not that low that I will accept anyone in saffron uniform as a sadhu. (By the way, I did my Ph.D. on IQ tests.) Come on, even Ravan had taken on the guise of a sadhu. The saffron robes don’t suit Adityanath. They used to really suit Swami Vivekanand. But the Hindus don’t seem to give up on the bad habit of blind faith.

When I had a heart attack, my friend Arif Mohammed Khan came specially to see me from Delhi. I had invited my friend Lord Bhikhu Parekh to come home too on that occasion. We spoke for a full two hours. The true downfall of the Congress party began after the ruling on the Shahbano case. That unfortunate incident extracted a heavy political price from a true secular Muslim like Arif Mohammed. Both Bhikhubhai and I listened to Arifbhai attentively.

The wipeout of the Congress in U.P. today stemmed from the pleasing of the Mullahs after the Shahbano case, at the cost of the rights of women. Arifbhai told us something interesting. Whenever the mullahs met Rajiv Gandhi to discuss the Shahbano case, Najma Heptullah was there, to represent the case. She is with the BJP today and the Governor of Manipur. That is called poetic justice!

The BJP will see a similar downfall; the choice of Adityanath is the first step towards it. I am not an astrologer, but I am daring to make a forecast. Listen:

1. The Congress party will scrape through in 2024 with a small majority and the BJP will be defeated.

2. The BJP will win in 2019 because of the political momentum it has already gained at present and because of Narendra Modi’s dedication to work. After 8-10 years, Narendra Modi may not be as energetic as he is now, then his party will falter. But by then, he will have achieved much that will give him recognition as the ‘Development Man’(VikaasPurush).

3. There will be rebellion within the Congress party and dynasty politics will end. In 2019 you will see the funeral of corrupt secularism as practiced by the Congress.

Will you file this article? I may not be around at that time.

After all, fanaticism that is Hindu or Muslim is still fanaticism, fanaticism, fanaticism. There can be no compromise on this score. What else can I say?

Even if Adityanath as Chief Minister gives good governance, I cannot accept him. A senior Congress party man said to me over the phone: “What is the harm if someone wears saffron robes? He runs a free canteen and a hospital in his monastery that benefits a lot of Muslims as well. I said – I cannot condone Adityanath’s hatred of Muslims.”

One of the signs of good governance is that the minority does not even feel a shadow of threat in their minds. Who is going to send this message to Prime Minister Modi? What does it matter if Muslims who benefit from Adityanath’s governance praise him?

The huge victory of the BJP in U.P. may have an unfortunate outcome. The Muslim vote bank has lost its edge, and the Hindu vote bank has emerged in a solid form. As a result, the BJP won’t need the Muslim votes any more. And the political leverage that a vote gives them will end. It is not very valid to say that the Congress misrule is the only cause of this.

The Congress until now has used the Muslim minority and pampered its backwardness. Now the BJP will use the Hindu majority. Congress secularism was polluted. In the same way, the BJP’s Hindutva is equally polluted.

The Prime Minister is not the Prime Minister of one community. No one doubts his competence. Let that competence give peace of mind to the minority as well!

Only a secular democracy can make real the mantra of ‘Together with all, development for all’ (Sab ka Saath, Sab ka Vikaas). Will Narendrabhai pass this test? This is not only a mantra for elections. It is a Gandhian mantra; it has the essence of the Sarvodaya movement. Does Adityanath have that essence?

Footnote:

“Justice and force must be brought together, so that whatever is just may be powerful and whatever is powerful may be just.” – Blaise Pascal, French mathematician, physicist, inventor, writer, and Christian philosopher.

I dedicate this meaningful quotation to the Prime Minister.

(Translated from Gujarati by Batul Mukhtiar)

ભારતનો Mr. ગરીબ કાયમ છેતરાતો જ રહ્યો છે! DIVYA BHASKER, 24-2-2015

સમાજવાદના નશામાં ઈન્દિરા ગાંધીએ ‘ગરીબી હટાવ’ જેવું આકર્ષક સૂત્ર વહેતું મેલ્યું. પરિણામે મતના ઢગલા થયા, પરંતુ ગરીબી ન હટી. લાલુ યાદવે ગરીબોને નામે પંદર વર્ષ રાજ કર્યું, પરંતુ બિહાર પાયમાલ થયું!

1977ના વર્ષમાં જ્યારે જનતા પક્ષની સરકાર બની ત્યારે વિનય પ્રગટ કરવા માટે પશ્ચિમ બંગાળના સામ્યવાદી મુખ્યપ્રધાન જ્યોતિ બસુ વડાપ્રધાન મોરારજી દેસાઈને મળવા ગયા. જ્યારે જ્યોતિબાબુ વિદાય લેવા માટે ઊભા થયા ત્યારે મોરારજીભાઈએ એમને એક એવું વાક્ય કહ્યું જેમાં ફેડરલ લોકતંત્રની શોભા પ્રગટ થઈ. મોરારજીભાઈએ કહ્યું : ‘જ્યોતિબાબુ, તમે અન્ય પક્ષના મુખ્યપ્રધાન છો તે કારણસર કેન્દ્ર સરકાર તમારા રાજ્યને એક રૂપિયો પણ ઓછો નહીં આપે એની ખાતરી રાખજો.’

દિલ્હીની ચૂંટણીમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યા પછી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જ્યારે વડાપ્રધાનને પ્રથમ વાર મળે ત્યારે નરેન્દ્ર મોદી આવી ખાતરી કેજરીવાલજીને આપશે ખરા? મને શ્રદ્ધા છે કે નરેન્દ્રભાઈ ફેડરલ લોકતંત્રને હાનિ પહોંચે એવું કશુંય નહીં કરે. જો ઓરમાયું વર્તન કેન્દ્ર સરકાર નહીં બતાવે, તો વડાપ્રધાનની ગરિમા વધશે. વિજય ભવ્ય છે, પરંતુ આભિજાત્ય એનાથી પણ વધારે ભવ્ય ગણાશે. લોકતંત્રનો આધાર પણ આવું અાભિજાત્ય છે.

ગઈ સદીમાં એચ.જી. વેલ્સ જેવા સમાજવાદી વિચારકે કહેલું :
દરેક દેશમાં બે રાષ્ટ્ર
વસેલાં હોય છે
એક રાષ્ટ્ર ધનવાનોનું
અને બીજું રાષ્ટ્ર ગરીબોનું!
આજે પણ ભારતીય લોકતંત્ર માટે આ વિધાન વાસી નથી જણાતું. આમ આદમી પાર્ટીનો ઝળહળતો વિજય ગરીબોના રાષ્ટ્રનો વિજય છે. દુનિયાના સૌથી મોટા ગણાતા લોકતંત્રની સૌથી વિકરાળ મર્યાદા કઈ? એ જ કે ભારતનો Mr. ગરીબ સ્વરાજ મળ્યું ત્યારથી કાયમ છેતરાતો જ રહ્યો છે. સૌથી મોટા આશ્ચર્યથી વાત એ છે કે ગરીબોના બેલી ગણાતા નેતાઓ દ્વારા જ એ સતત છેતરાયો છે. વાત વિચિત્ર લાગી? તો હવે હકીકતોની મદદ લઈએ.

‘ગરીબમિત્ર’ ગણાતા સામ્યવાદી પક્ષના ત્રીસ વર્ષના શાસન દરમિયાન પશ્ચિમ બંગાળની ગરીબીને ઊની આંચ પણ આવી નહોતી. સામ્યવાદી પક્ષને હરાવીને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ તો દોઢગણી ‘ગરીબમિત્ર’ નીકળી? સિંગુરમાં દીદીએ જે ચળવળ ચલાવી તેથી તાતાનો નેનો પ્લાન્ટ ગુજરાતમાં આવ્યો. આજે મમતા દેશના ઉદ્યોગપતિઓ આગળ ખોળો પાથરે છે, તોય એ રાજ્યમાં રોકાણ કરવા કોઈ ઉદ્યોગપતિ તૈયાર નથી. સમાજવાદના નશામાં ઈન્દિરા ગાંધીએ ‘ગરીબી હટાવ’ જેવું આકર્ષક સૂત્ર વહેતું મેલ્યું. પરિણામે મતના ઢગલા થયા, પરંતુ ગરીબી ન હટી. લાલુ યાદવે ગરીબોને નામે પંદર વર્ષ રાજ કર્યું, પરંતુ બિહાર પાયમાલ થયું! મુલાયમ અને માયાવતીએ તો ઉત્તરપ્રદેશની પાયમાલીને પણ ચાર ચાંદ લગાવી દીધા!

વિશ્વ પર નજર માંડીએ. સમતાવાદી (ઈગેલિટેરિયન) અર્થતંત્ર રશિયાને, ચીનને અને પૂર્વ યુરોપના દેશોને ખૂબ જ મોંઘું પડ્યું. એ દેશોએ લિબરલ મૂડીવાદી અર્થતંત્ર સ્વીકારીને ભૂલ સુધારી લીધી છે. કોંગ્રેસી વડાપ્રધાન નરસિંહ રાવે નાણાપ્રધાન મનમોહન સિંહની મદદથી લિબરલ અર્થનીતિ સ્વીકારી અને સમાજવાદ પડતો મૂક્યો. દેશમાં ગરીબી દૂર કરવાની ખરેખરી શરૂઆત નરસિંહ રાવે કરી ગણાય.

એમની સાથે એ અંગે અડધો કલાક સુધી વાતો કરવાની તક મને ન્યુ યોર્કની રામડા હોટેલ (મેનહેટન)માં તા. 27મી સપ્ટેમ્બર 2003ના દિવસે મળી હતી. હજી સુધી કોઈ સરકારે એમની અર્થનીતિમાં ફેરફાર નથી કર્યો. ભારતનો Mr. ગરીબ એના આદર્શવાદી અને સમાજવાદી મિત્રો દ્વારા જ વારંવાર છેતરાયો છે. યહ કડવા સચ હૈ.ગરીબોની ધીરજ ખૂટી છે. તેઓ પોતાની આસપાસ ધનસમૃદ્ધિનો નગ્ન નાચ જુએ છે. ગરીબનાં અરમાનો ગરીબ નથી હોતાં. ‘Fiddler on the Roof’ નામની યાદગાર ફિલ્મમાં એક યહૂદી ખેડૂત નાચતો જાય અને ગાતો જાય છે :

હું પૈસાદાર બની જાઉં,
તો શું કરું?
મારા બંગલામાં ત્રણ દાદર રાખું.
એક દાદર ઉપર જવા માટે,
બીજો દાદર નીચે ઊતરવા માટે
અને ત્રીજો દાદર, બસ એમ જ!

વડનગરના વામન મોદીએ ગરીબોનાં અરમાન જગાડી મૂક્યાં છે. એ વામન સાડાત્રણ ડગલાં ભરવા માટે નિષ્ઠાપૂર્વક મંડી પડ્યો છે. ગરીબીને પંપાળનારો સૌથી ભૂંડો શબ્દ છે: ‘મફત.’ આમ આદમી પાર્ટી (AAP)નો વિજય જેટલો સોલિડ છે, તેટલો જ ગરીબોનાં અરમાનોનો વિસ્ફોટ ભયજનક બની શકે છે. સોલિડ વિજય પણ સોલિડ અહંકારનો જનક બની શકે છે. પૂરા એક વર્ષ સુધી લોકો પ્રતીક્ષા કરશે, પણ પછી ઉઘરાણી કરશે. નરેન્દ્ર મોદી પ્રતીક્ષાકાળમાંથી પસાર થઈને ઉઘરાણીકાળમાં પ્રવેશી ચૂક્યા છે. જો આવાનારું બજેટ વિકાસલક્ષી હોવા ઉપરાંત ગરીબોની આંતરડી ઠારનારું ન હોય તો શત્રુઓ ટાંપીને બેઠા છે. હવે એમને કોંગ્રેસનો ડર નથી. એમને ખરો ડર સંઘ પરિવાર તરફથી રોજ રવાના થતો રહે છે.

સાધુવેશમાં અસાધુ એવા લોકો નાકની પેલે પાર જોવા તૈયાર નથી. દિલ્હીમાં ચર્ચ પર હુમલા શા માટે થાય? હિંદુ રાષ્ટ્રની વાત કરનારા શ્રી મોહન ભાગવત ભારતીય બંધારણના ગુરુત્વ મધ્યબિંદુ પર જ સીધો પ્રહાર કરે છે. લઘુમતીની વોટબેંકને પંપાળવી એ સેક્યુલર અનિષ્ટ છે, પરંતુ લઘુમતીમાં ડર પેદા કરવો એ કેવળ અનિષ્ટ જ નહીં, ગુનો પણ છે. ‘સબકા સાથ સબકા વિકાસ’ – જેવું મોદીસૂત્ર ઝંખવાણું પડતું રહ્યું છે. વડાપ્રધાન જો ખરા દિલથી લઘુમતી પ્રજાને ભરોસો ન પહોંચાડે, તો હિંદુત્વની અસલી શોભા કરમાઈ જશે. વડાપ્રધાનને ઠરીને દસ વર્ષ સુધી કામ કરવાની તક મળે એમાં રાષ્ટ્રહિત રહેલું છે. આવનારા બજેટની રાહ જોઈએ.

રાહુલ ગાંધીનું શું કરીશું? નટવર સિંહે હરીશ ખરેને સાચું કહ્યું હતું. : ‘એના (રાહુલ) પેટમાં આગ નથી. There is no fire in his belly.’ પરિવારની નાગચૂડમાંથી મુક્ત ન થાય, તો કોંગ્રેસ ખતમ થશે. ફરીથી કહેવું છે કે કોંગ્રેસ ખતમ થાય તે દેશના હિતમાં નથી. શિલા દીક્ષિતના પંદર વર્ષનો કારભાર ખોટો ન હતો. અરવિંદ કેજરીવાલનો કારભાર કોંગ્રેસના કારભાર કરતાં વધારે સારો હશે ખરો? એક વર્ષ સુધી રાહ જોવી રહી. અરવિંદ કેજરીવાલની પ્રામાણિકતા શંકાથી પર છે.

શાસનની સફળતા કેવળ પ્રામાણિકતા પર આધાર રાખનારી નથી. અરમાનો જ્વાળામુખીના ઝાડ પર જઈ બેઠાં છે. જે ગરીબમિત્ર અરમાનો જગાડે તેણે જ તે પૂરાં કરવાં રહ્યાં. દેશની ગરીબી દૂર કરવી હોય, તો માત્ર શુભ ઈરાદા ખપ ન લાગે. એ માટે ગૂડ ગવર્નન્સ (સુશાસન) જરૂરી બને છે. કોઈક શાણા માણસે સાચું કહ્યું છે : ‘નરકનો માર્ગ પણ શુભ ઈરાદાઓનો બનેલો હોય છે.’ સુશાસન ન હોય, તો ગરીબીને જબરી નિરાંત રહેતી હોય છે. આદરણીય અરવિંદભાઈ! ‘આપ’ કા સમય શુરૂ હોતા હૈ…. અબ!

(લખ્યા તા. 10-2-2015)
પાઘડીનો વળ છેડે
એ નોંધવું પ્રસ્તુત ગણાશે કે યુરોપ
યહૂદીઓનો, મુસલમાનોનો
અને બૌદ્ધોના સમાવેશ કરવા માટે
સેક્યુલર નહોતું બન્યું, પરંતુ
ખ્રિસ્તી ધર્મમાં જે કજિયો હતો
તેનાથી લોકોને રક્ષણ આપવા માટે
સેક્યુલર બન્યું હતું
અમેિરકાના સેક્યુલરિઝમનો ઉદ્્ભવ
પણ કંઈક આવો જ ગણાય.
ભારત પણ સેક્યુલર છે તે હિંદુઓને કારણે છે,
મુસ્લિમો, શીખો કે પારસીઓને કારણે નહીં.
તનવીર આલમ (ટા.ઓ.ઈ., 21-3-2014)
(દિલ્હીમાં સક્રિય કર્મશીલ).

બલિનની દીવાલ તો તૂટી, પરંતુ મનની દીવાલોનું શું? DIVYA BHASKER, 18-12-2015

કોઇ સામ્યવાદી દેશમાં વી.વી.આઇ.પી. તરીકે સરકારના મહેમાન બનવું એ એક એવો લહાવો છે, જે વહેંચવા જેવો છે. બીજા વિશ્વયુદ્ધને અંતે જર્મનીનાં બે ફાડચાં થયાં. એક સામ્યવાદી ફાડચું જર્મન ડેમોક્રેટિક રિપબ્લિક (GDR) તરીકે ઓળખાયું અને બીજું મુક્ત ફાડચું ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક (FDR) તરીકે ઓળખાયું. સામ્યવાદી ફાડચામાં નાગરિકના શ્વાસ સતત રૂંધાયા કરે અને બોલવા-લખવામાં ગૂંગળામણનો અનુભવ પ્રતિક્ષણ થયા કરે. હા, તમને કાર્લ માર્ક્સ, લેનિન અને સ્તાલિનનાં વખાણ કરવાની પૂરી છૂટ! પ્રત્યેક નાગરિકની હિલચાલ પર સરકારી તંત્રની નજર હોય જ. એવા ગુપ્ત ચોકીપહેરા માટે શબ્દો પ્રયોજાયા: ‘બિગ બ્રધર ઇઝ વોચિંગ યુ. (કોઇ મોટો ભા તમારા પર નજર રાખી રહ્યો છે).’

1979માં યુનેસ્કોની પરિષદ લાયપ્ઝિગમાં યોજાઇ ત્યારે ભારતના એકમાત્ર પ્રતિનિધિ તરીકે મારી પસંદગી થઇ હતી. ત્યાં આવેલી કાર્લ માક્્ર્સ યુનિવર્સિટીમાં પૂરા ચાર દિવસ ભાગ લેવાનું થયેલું. શિક્ષણની પરિભાષામાં કહું તો કહી શકાય કે ઇટ વોઝ અ લર્નિંગ એક્્સ્પિરિયન્સ. પ્રવચનમાં જ્યારે પણ હું ગાંધીજીનું નામ લઉં ત્યારે સભ્યમિત્રો અહોભાવથી સાંભળે, પરંતુ જ્યારે પણ હું કાર્લ માક્્ર્સનું નામ ઉચ્ચારું તેવું ડાયરીમાં લખવા માંડે. કાર્લ માક્્ર્સ યુનિવર્સિટીનું સફેદ સ્કાયસ્ક્રેપર જે જગ્યાએ ઊભું હતું, તે જગ્યાએ જે અસલ લાયપ્ઝિગ યુનિવર્સિટી જ્યાં હતી ત્યાં જર્મન કવિ ગેટે ભણ્યો હતો. કાર્લ માક્ર્સ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરનું નામ ડો. ઉહલિગ હતું. એ જમાનામાં સામ્યવાદી પાર્ટીના સભ્યો પોતાના કોટના કોલર પર એક બેજ રાખતા. ડો. ઉહલિગ પણ પાર્ટીના સક્રિય સભ્ય હતા. મેં એમને કવિ ગેટેના નામનો સાચો ઉચ્ચાર શું, એમ પૂછ્યું. એમના જવાબ પરથી સમજાયું કે એ ઉચ્ચારમાં ગાઉટે, ગોથે, ગાઉથે અને ગોટેનું ગોટાળાજનક મિશ્રણ હતું. મારા જેવા ચુસ્ત વેજીટેરિયનને ભૂખ્યા રહેવું પડે એવી પાર્ટીઓ ગોઠવાતી રહી. હું સુરતની મીઠાઇ અને પાપડ ઘરેથી લઇ ગયો હતો. હોટેલના ઓરડામાં ફરનેસ પર રોજ પાપડ શેકી લેતો. ટામેટાનું સૂપ હોય તેમાં પણ ગાયના કે ડુક્કરના માંસમાંથી બનેલી ચરબી હોવાની જ! વળી ક્યાંય તમને ઇન્ડિયન રેસ્ટોરાં નહીં મળે.

શહેરમાં આવેલા અતિભવ્ય થિયેટરમાં શેક્્સ્પિયરનું નાટક જોવાનું પરિષદના આયોજકોએ ગોઠવ્યું હતું. માનશો? નાટક જોવા ગયો ત્યારથી કે હોટલ પર પાછો ફર્યો ત્યાં સુધી એક સુંદર યુવાન કન્યા કાયમ મારી સાથે જ રહી. એ સાથે રહી કારણ કે એણે મારી ચોકી કરવાની હતી. થિયેટરમાં પણ એ સાથે જ બેઠી! મારી ટેવ મુજબ મેં મારા સુરતના સરનામે પરિવાર પર એક પત્ર લખ્યો અને જાતે મોટી પોસ્ટ ઓફિસ પર જઇને નાખ્યો. એ પત્ર હું સુરત પહોંચ્યો પછી ચાર મહિને સેન્સર થતો થતો ઘરે પહોંચ્યો. પ્રત્યેક નાગરિકને લગભગ ગુનેગાર ગણીને ચાલે એવા સામ્યવાદી શાસનમાં જીવવા કરતાં તો આફ્રિકાના જંગલમાં વાનર તરીકે મોજથી જીવવું સારું! રોજ હોટલના રૂમમાં રાતે ટીવી જોવાનું રાખેલું. સમાચાર પર સંપૂર્ણપણે સરકારનું નિયંત્રણ હતું. ક્યાંય તમને અંગ્રેજી અખબાર કે મેગેઝિન જોવા નહીં મળે, જે પરદેશથી (કે ફ્રેન્કફર્ટથી) પ્રગટ થતું હોય. સરકાર પહોંચાડે તે જ સમાચાર!

લાયપ્ઝિગની પરિષદ પૂરી થઇ પછી બીજી કામગીરી બજાવવા માટે મારે પૂર્વ બર્લિન જવાનું હતું. ભારત અને GDR વચ્ચે શિક્ષણના ક્ષેત્રમાં સહકાર થાય તે માટે એક કમિશન રચાયું હતું. એમાં યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશન (UGC)ના વાઇસ ચેરમેન શ્રી રાવની સાથે હું અને કોચીન યુનિવર્સિટીના કુલપતિ ડો. પાઉલી હતા. પૂરા ચાર દિવસ પૂર્વે બર્લિનમાં રહેવાનું થયું. એ વખતે થતી સત્તાવાર કામગીરીની વાત અહીં નથી કરવી. મને બર્લિનની વિખ્યાત દીવાલ જોવામાં વધારે રસ હતો. જ્યાં જ્યાં ફરવાનું બને, ત્યાં ત્યાં એ દીવાલ જોવા મળતી. ક્યાંક એ કિલ્લાની દીવાલ જેવી, તો ક્યાંક તારની અભેદ્ય વાડ જેવી! દર વર્ષે પૂર્વ બર્લિનના કેટલાય નાગરિકો એ વાડ ઓળંગવાનો પ્રયત્ન કરવા જાય ત્યારે બંદૂકની ગોળીથી મરે. સ્વતંત્ર થવા માટેની છટપટાહટ કેવી પ્રબળ હોય તેનો એ પુરાવો ગણાય. હા, એ વાડ છાનામાના ઓળંગવાનો કોઇ પ્રયત્ન મુક્ત બર્લિનમાંથી સામ્યવાદી બર્લિનમાં પ્રવેશવા માટે થાય એવું કદી બનતું નહીં. મુક્ત હવા છોડીને ગુલામોના દેશમાં કોણ જાય? મનુષ્યને મુક્ત રીતે જીવવાનું ગમે છે. અમે ત્રણે વી.વી.આઇ.પી. હતા તેથી ઘૂટન ઓછી જણાતી હતી.

આજથી પચીસ વર્ષ પહેલાં બર્લિન શહેરને બે ભાગમાં વહેંચી દેનારી કુખ્યાત દીવાલ તૂટી ગઇ. 1989માં નવેંબરની 9મી તારીખે એ દીવાલ તૂટી તેની 25મી જયંતીની જર્મનીમાં મોટા પાયે ઉજવણી થઇ. સામ્યવાદી પૂર્વ અને મૂડીવાદી પશ્ચિમને જુદાં પાડતી એ દીવાલ તૂટી તેનું ઘણું બધું શ્રેય તે કાળના રશિયન રાષ્ટ્રપ્રમુખ મિખિલાઇ ગોર્બાચોફની નૂતન વિચારધારાને ફાળે જાય છે. ઉજવણીના સમારોહમાં વૃદ્ધાવસ્થાએ પહોંચેલા ગોર્બાચોફ પણ ઉપસ્થિત હતા. માનવું પડશે કે દુનિયા પર શબ્દો રાજ કરે છે. ગોર્બાચોફે રશિયામાં બે શબ્દો વહેતા મૂક્યા હતા: (1) ગ્લાસનોસ્ટ (ખુલ્લાપણું) અને (2) પેરેસ્ટ્રોઇકા (નવરચના). આ બે શબ્દો આખી દુનિયામાં ફરી વળ્યા અને રશિયાના શાસનમાં કુખ્યાત એવો લોખંડી પડદો (આયર્ન કર્ટન) ઢીલો પડી ગયો. મેં જ્યારે 1979માં એ દીવાલ જોઇ ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે માત્ર દસ જ વર્ષ પછી એ દીવાલ ખતમ થવાની છે. એ દીવાલ તૂટી ત્યારે લોકો પથ્થરના ટુકડા યાદગીરી તરીકે લઇ જવા માટે પડાપડી કરતા હતા. હિટલરનું નાઝિવાદી શાસન ભૂંડું હતું, પરંતુ પૂર્વ જર્મનીનું સામ્યવાદી શાસન ઓછું ભૂંડું ન હતું. આજે સંયુક્ત જર્મનીનાં ચાન્સેલર શ્રીમતી એંજેલા મેરકલ મૂળે પૂર્વ જર્મનીનાં છે. પચ્ચીસ વર્ષ પછી પણ પૂર્વ જર્મની પ્રમાણમાં પાછળ રહી ગયું છે. પશ્ચિમ જર્મનીનાં માતાપિતા પૂર્વ જર્મનીમાં આવેલી યુનિવર્સિટીઓમાં પોતાનાં સંતાનોને ભણવા મોકલવા માટે રાજી નથી.

પૂર્વ બર્લિનમાં આવેલી હમ્બોલ્ટ યુનિવર્સિટીની સત્તાવાર મુલાકાત માટે અમારા ડેલિગેશનને આમંત્રણ મળ્યું. સંસ્કૃત વિભાગમાં અમે ગયા ત્યારે વિભાગના વડા કાલિદાસ, ભવભૂતિ, વાલ્મીકિ અને ભર્તૃહરિની પ્રશંસા કરી રહ્યા હતા. આગલે જ વર્ષે ત્યાં મળેલા ‘ચતુર્થ વિશ્વ સંસ્કૃત સંમેલનમ્’ વખતે ખાસ તૈયાર થયેલી સ્મરણિકા એમણે અમને ભેટ આપી. એ સંમેલનમાં બર્લિનમાં સંસ્કૃત નાટક ‘મુદ્રારાક્ષસ’ ભજવાયું તેમાં બધાં જ પાત્રો ગોરાં જર્મન સ્ત્રી-પુરુષોના ફોટા જોવા મળ્યા. સ્મૃતિ ઇરાની એક વખત બર્લિન જઇને હમ્બોલ્ટ યુનિવર્સિટીની મુલાકાત લે તો નિર્ણય લેવામાં સંતુલન જળવાશે. સંસ્કૃત વિનાનું ભારત એટલે ગાય વિનાનું ગોચર!

બર્લિનની અભેદ્ય દીવાલ તો તૂટી, પરંતુ માનવીના મનમાં જામી પડેલી દીવાલોનું શું? કોઇ માક્ ર્સવાદી કર્મશીલ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી જોજો. તમે જો એના બંધિયાર મસ્તિષ્કમાં નવા વિચારની એક લહેરખી પણ દાખલ કરી શકો, તો જરૂર તમે મહાન ગણાશો. આવો જ પ્રયોગ આર.એસ.એસ.ના સ્વયંસેવક સાથે કરી જોજો. તમને સમજાશે કે તમે થીજી ગયેલા બરફમાં હોડી ચલાવવાનાં ફાંફાં મારી રહ્યા છો. સામ્યવાદી શાસનશૈલીની હઠીલી મર્યાદાઓ અંગે સદગત મનુભાઇ પંચોળી (દર્શક) અત્યંત સ્પષ્ટ હતા. આર.એસ.એસ.માં કાળક્રમે કોઇ ગોર્બાચોફ પ્રગટ થાય એવા દિવસની હું પ્રતીક્ષા કરું છું. એ ગોર્બાચોફ જ્યારે પણ પ્રગટ થશે ત્યારે હિંદુત્વની શોભા ઉપનિષદીય ઊંચાઇ ધારણ કરીને એવરેસ્ટ પર વિરાજમાન થશે. હું કાંઇ સેક્યુલર ઇડિયટ નથી. નાદાન રાહુલ ગાંધીની જેમ હું કદી પણ ન કહું કે અલકાયદા કરતાંય આર.એસ.એસ. વધારે જોખમકારક છે. ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ટીવીના ઇન્ટરવ્યૂમાં કહી નાખ્યું: ‘રાહુલ મસ્ટ રિટાયર.’ હું આ વાત સાથે સંમત નથી. રાહુલ પરણી જાય પછી જોજો!

થીજેલાં જળ વહેતાં થાય, તો જગતને એક શબ્દનું સૌંદર્ય સમજાય એમ બને. જૈનદર્શન તરફથી મળેલો એ મૂલ્યવાન શબ્દ છે: ‘અનેકાંત’. અહિંસા પણ અનેકાંત વિના ખીલી ન શકે. બર્લિનની તૂટેલી દીવાલનો પ્રત્યેક પથ્થર જ્યાં હોય ત્યાંથી પોકારી રહ્યો છે: ‘અનેકાંત… અનેકાંત… અનેકાંત!’{
પાઘડીનો વળ છેડે
હે…જી
ભેદની ભીંત્યોને મારે
આજ મારે ભાંગવી,
મનડાની આખરી ઉમેદ!
– ઝવેરચંદ મેઘાણી

સેક્યુલર સનેપાતથી બચો અને ઇસુની વાત માનો. DIVYA BHASKER 28-12-2015

સેક્યુલર સનેપાતના દિવસો હજી પૂરા નથી થયા. કદાચ હવે ‘હિંદુ અવિવેક’ આળસ મરડીને બેઠો થતો જણાય છે. અવિવેક કદી સેક્યુલર નથી હોતો કારણ કે એ માનવતાવિરોધી હોય છે.
કોઇ મનુષ્યનું ધર્મપરિવર્તન કરાવવું એ મહાપાપ છે એમ જો તમે માનતા હો, તો ઇસુ તમારી વાત સાથે પૂરેપૂરા સહમત છે. થોડાંક વર્ષ પહેલાં આદરણીય મોરારિબાપુ બારડોલીમાં રોકાયા હતા. બીજે દિવસે તેઓ ડાંગની એક સભામાં પ્રવચન માટે જવાના હતા. પ્રવચનોના કેન્દ્રમાં ધર્માંતરનો પ્રશ્ન હવામાં ચકરાતો હતો. રાતે બાપુ સાથે ફોન પર વાત થઇ ત્યારે મેં બાપુને કહ્યું: ‘બાપુ! ઇસુ ભગવાન ધર્માંતરના પ્રખર વિરોધી હતા અને બાઇબલમાં એમના શબ્દો પ્રગટ થયા છે.’ બાપુનો ભક્ત વડોદરાના મારા ઘરેથી બાઇબલની નકલ લઇ ગયો અને રાતોરાત મારી નિશાની સાથે એ પુસ્તક વહેલી સવારે બાપુ પાસે બારડોલી પહોંચી ગયું. ડાંગની મોટી સભામાં બાપુએ ઇસુ ભગવાનના કડવા શબ્દો વાંચી સંભળાવ્યા હતા:

ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ અને દંભીઓ!
તમારી કેવી દશા થશે?
તમે એક જણનો ધર્મપલટો કરવા માટે
પૃથ્વી પર અને સમુદ્ર પર ફરી વળો છો.
અને જ્યારે તે ધર્મપલટો કરે છે
ત્યારે તમે તેને તમારાં કરતાં
બમણા નરકને પાત્ર બનાવો છો.
(‘સંપૂર્ણ બાઇકલ’, અનુવાદકો: નગીનદાસ પારેખ અને ઇસુદાસ કવેલી, માથ્થી: પાન-35)

એ સભામાં આર.એસ.એસ.ના યુવાન પ્રવક્તા તરુણ વિજય પણ હાજર હતા. ત્રણ-ચાર દિવસ પછી એમનો ફોન દિલ્હીથી આવ્યો હતો અને એમણે મારી પાસે બાઇબલના અવતરણની વિશેષ જાણકારી માગી હતી. કોઇ પણ માણસને પોતાની ઓળખ બદલવી પડે તેના જેવી વિષમ અને કરુણ સ્થિતિ બીજી ન હોઇ શકે. કોઇ છોડને મૂળસોતો ઉખેડીને એને બીજે રોપવા જેવી જ એ બાબત ગણાય. જો ધર્માંતર કરાવવું એ પાપ હોય, તો પછી એની દિશા ગમે તે હોય તેથી શું? લાખો હિંદુઓ વટલાઇને મુસલમાન બન્યા તે પણ પાપ અને લાખો હિંદુઓ વટલાઇને ખ્રિસ્તી બન્યા એ પણ પાપ! એ જ રીતે ધર્મપરિવર્તન દ્વારા મુસલમાન કે ખ્રિસ્તીને હિંદુ બનાવવામાં આવે એ પણ પાપ! જો સેક્યુલર સનેપાતથી બચીને ઇસુની વાત માનીએ તો મહાત્મા ગાંધી પણ રાજી રાજી! એમણે કહેલું: ‘જો મારી પાસે સત્તા અને અધિકાર હોય તો હું બધી જાતનાં ધર્માંતરો નાબૂદ કરી નાખું.’ દાદા ધર્માધિકારી જેવા મૌલિક વિચારક કહેતા રહ્યા કે ધર્માંતર કેવળ ધર્માંતર ન રહેતાં ‘રાષ્ટ્રાંતર’ પણ બની રહે છે. કટ્ટરતા એક જ કામ કરે છે. એ ધર્મનું અથાણું કરી નાખે છે. કેરીધર્મ ઉમદા હોય છે, પરંતુ અથાણાધર્મ બડો ઉત્પાતિયો હોય છે. આજે માનવજાતને ઉત્પાતિયા અથાણાધર્મો પજવી રહ્યા છે.

‘સેક્યુલર સનેપાત’ ની વ્યાખ્યા શી? અત્યારે મારા હાથમાં લગભગ 35 વર્ષ પહેલાં મારી જ કટારમાં લખાયેલો લેખ (ગુ. મિત્ર, કાર્ડિયોગ્રામ, 30-5-1979). આદરણીય મોરારજી દેસાઇ ભારતના વડાપ્રધાન હતા. સંસદસભ્ય ઓમપ્રકાશ ત્યાગીએ લોકસભામાં ધર્માંતરવિરોધી બિલ રજૂ કર્યું ત્યારે શું બન્યું? કમનસીબે એ પસાર ન થયું. મધર ટેરેસાએ એ બિલનો વિરોધ કરવા માટેના સરઘસની આગેવાની લીધી હતી. મારી દૃષ્ટિએ એમ કરવામાં ઇસુના ઉપરોક્ત શબ્દોનો સ્પષ્ટ અનાદર હતો. એ બિલ તો કોઇ ખ્રિસ્તી કે મુસ્લિમ મનુષ્યને ધર્માંતર થકી હિંદુ બનાવી ન દેવાય તે સામે પણ ખપ લાગે તેવું ‘સેક્યુલર’ બિલ હતું. અમૃતા પ્રીતમે મધર ટેરેસાની સખત ઝાટકણી કાઢી હતી. બહુમતી જો ધર્માંતર કરાવે તો ગેરવાજબી ગણાય અને લઘુમતી ધર્માંતર કરાવે તો વાજબી ગણાય? આવા વલણમાં ન્યાય ક્યાં? આવા વલણમાં ઇસુ ક્યાં? આવા વલણમાં ગાંધીજી ક્યાં? ‘ન્યાય’ જેવી સેક્યુલર ઘટના બીજી કઇ હોઇ શકે? ‘સેક્યુલર સનેપાત’ એટલે એવા વલણનો જયજયકાર જેમાં બહુમતીને છોલવાની અને લઘુમતીને પંપાળવાની ફેશન હોય. બાકી સાક્ષી મહારાજ, (સાધ્વી?) નિરંજન જ્યોતિ, (યોગી?) આદિત્યનાથ કે આસારામની કડક આલોચના કરવામાં આ લખનારને બીજે નંબરે મૂકવાનો અવિવેક કોઇ પણ તટસ્થ વાચક નહીં કરે, કદી નહીં કરે. સેક્યુલર સનેપાતના દિવસો હજી પૂરા નથી થયા. કદાચ હવે ‘હિંદુ અવિવેક’ આળસ મરડીને બેઠો થતો જણાય છે. અવિવેક કદી સેક્યુલર નથી હોતો કારણ કે એ માનવતાવિરોધી હોય છે. એક સનેપાતનો સામનો બીજા સનેપાતથી થઇ શકે?

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના અંતેવાસી આચાર્ય ક્ષિતિમોહન સેને એક વાત નોંધી છે. કબીરના સમયમાં સિકંદર લોદીનું રાજ તપતું હતું. ક્ષિતિમોહન સેન નોંધે છે: ‘સિકંદર શાહે બ્રાહ્મણ બદૂનને પ્રાણદંડની સજા ફરમાવી હતી. બ્રાહ્મણનો અપરાધ એ હતો કે તેણે ભગવાનની આગળ સર્વે ધર્મો સરખા છે એવું જણાવ્યું હતું.’ (‘સાધનાત્રયી’ પાન- 274) કેટલાક ધર્માંધ મુસ્લિમ શાસકોના કારભાર (ઇ.સ. 712થી 1707) દરમિયાન બનેલા આવા અસંખ્ય બનાવો નોંધાયા પણ નહીં હોય. અરે! વટલાયેલા લાખો હિંદુઓના જ વંશવારસો કટ્ટરતાપૂર્વક મંદિરો તોડવામાં સક્રિય બન્યા હશે! કાળની લીલા અનંત છે.

ઇસુ અને ગાંધીને પરિતોષ થાય તેવી ઘટના ઓસ્લોમાં બની. નોબેલ પારિતોષિક સ્વીકારતી વખતે કૈલાસ સત્યાર્થીએ કરેલું પ્રવચન હૃદયસ્પર્શી હતું. એમણે પ્રવચનનો પ્રારંભ જ ઋગ્વેદના મંત્રથી કર્યો અને ઉપનિષદના મંત્રથી પ્રવચનની પૂર્ણાહુતિ કરી. મલાલા યુસુફઝાઇને પ્રવચન કરતી જોઇ ત્યારે મને ઝવેરચંદ મેઘાણીની ‘ચારણકન્યા’ યાદ આવી ગઇ. મલાલાને પાકિસ્તાન પૂરી સલામતી પણ પૂરી પાડી નહીં શકે. મલાલાનું પ્રવચન દિલના ઊંડાણમાંથી વહેતું થયું.

યુનોએ 177 દેશોના સમર્થનથી સર્વાનુમતે ઠરાવ્યું કે પ્રતિવર્ષ 21મી જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વભરમાં મનાવવામાં આવશે. ઇસુ મહાન યોગી હતા એવું ઋષિ યોગાનંદજીએ પોતાના (બેસ્ટ-સેલર) પુસ્તક ‘An Autobiography of A Yogi’માં વારંવાર જણાવ્યું છે. એક સૂચન કરું? આંતરરાષ્ટ્રીય કક્ષાએ દસ મહાન શબ્દોનો બધી જ ભાષાઓમાં સ્વીકાર થવો જોઇએ: (1) Dharma (2) Satya (3) Shanti (4) Yoga (5) Love (6) Karuna (7) Ahimsa (8) Islam (સમર્પણ) (9) Khairat (10) Nirvana. આવા થોડાક શબ્દો દ્વારા વિશ્વકક્ષાએ એક સેક્યુલર હાઇવેનું નિર્માણ થશે. જેમ જેમ પૃથ્વી ચણીબોર જેવી બનતી જાય તેમ તેમ આપણાં હૃદય વિશાળ બનતાં જાય એ જરૂરી છે. આ દસ મહાન શબ્દોની યાદીમાં એક શબ્દ ઉમેરી જુઓ: ‘મા.’ મધર મેરીમાં સીતા દેખાશે.

કોઇ પણ ધર્મનું મૂલ્યાંકન એ ધર્મ પાળનારાં લોકોની સંખ્યા પરથી કરવાની કુટેવ છોડવી પડશે. કોઇ નદીનું મૂલ્યાંકન એમાં તરતી માછલીઓની સંખ્યા પરથી થઇ શકે? જો આવો કુરિવાજ સ્વીકારીએ તો જૈન ધર્મ પાળનારા લોકોની સંખ્યા કેટલી? શીખોની સંખ્યા કેટલી? ધર્મ એટલે રિલિજિયન નહીં. ‘ધર્મ’ જેવો સેક્યુલર શબ્દ બીજો ન હોઇ શકે. માનવતાને ટકાવી રાખે તે ધર્મ કહેવાય. જરા સોચો! ટ્રાફિકના નિયમો ન હોય તો રોજ કેટલા અકસ્માતો થાય? ‘ટ્રાફિકધર્મ’ આદરણીય છે કારણ કે એને કારણે કશુંક ટકી રહે છે. ઇસુએ જગતને પ્રેમધર્મનું મહત્ત્વ સમજાવ્યું. નાતાલના પવિત્ર દિવસોમાં મારા ઘરે આખી રાત એક ચમકતો તારો લટકતો જોવા મળશે. આવી પ્રથા પરિવારમાં ક્યારથી શરૂ થઇ? ઘણાં વર્ષો થઇ ગયાં! ઇસુ કેવળ ખ્રિસ્તી પ્રજાના મહામાનવ નથી. તેઓ મારા તમારા અને આપણા સૌના પૂજ્ય છે. એમને સમજવાની જવાબદારી કેવળ પાદરીઓની નથી. તેઓ ચર્ચમાં પણ છે અને ચર્ચની બહાર પણ છે. તેઓ સર્વત્ર છે કારણ કે ધરતીના કણ કણમાં પ્રેમનું સામ્રાજ્ય સંતાયેલું છે.{ (લખ્યા તા. 15-12-2014)

પાઘડીનો વળ છેડે
એક વૃક્ષને
કાપી નાખવામાં આવ્યું અને
એના ફળો ફંગોળાઇ ગયાં!
હું રડી પડી.

-ઝીન્દજી
નોંધ: એન્થની સેમ્પસને નેલ્સન મેન્ડેલાની વિસ્તૃત જીવનકથા લખી છે. એમાં ઝીન્દજી નામની આફ્રિકન સ્ત્રીએ ગોરા લોકોના આર્થિક અને ધાર્મિક શોષણ અંગે લખેલી પંક્તિઓ આવી હતી.

લોકતંત્રનું બ્લડપ્રેશન નોર્મલ રહે તે માટે કોંગ્રેસ અનિવાર્ય છે DIVYA BHASKER, 4-1-2015

એકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 44 બેઠકો મળી. પછી હરિયાણા અને મહારાષ્ટ્રમાં એનો ધબડકો થયો. પછી ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં એનું ભારે ધોવાણ થયું. કદાચ હવે થનારી દિલ્હીની ચૂંટણીમાં પણ એ જબરો માર ખાશે. So what? આવા કંગાળ દેખાવ પછી પણ મને કોંગ્રેસનું કેમ ચચરે છે? કેવળ એક જ કારણ છે. ભારતના રાજકારણમાં સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય વિકલ્પ તરીકે આજે કોંગ્રેસ સિવાય બીજો કોઇ પક્ષ સક્ષમ નથી. વારંવાર કહેવું પડશે કે લોકતંત્રનું બ્લડપ્રેશર નોર્મલ રહે તે માટે કોંગ્રેસ અનિવાર્ય છે.

કોંગ્રેસની સરખામણીમાં કયો પક્ષ રાષ્ટ્રીય કક્ષાએ લોકોનો સ્વીકાર પામે તેવી ગુણવત્તા ધરાવે છે? ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી કોંગ્રેસ કરતાં કઇ રીતે સારી? બિહારમાં લાલુ અને નીતીશ કરતાં કોંગ્રેસ શું ખોટી? પશ્ચિમ બંગાળમાં સામ્યવાદી પક્ષ અને તૃણમૂલ કોંગ્રેસે પાયમાલી સિવાય બીજું શું આપ્યું? તામિલનાડુમાં ડીએમકે અને એઆઇડીએમકે જેવા પ્રાદેશિક પક્ષો ભ્રષ્ટાચારવર્ધક તો ખરા અને વળી પ્રદેશાભિમાનમાં ડૂબેલા? જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સ જેવા પ્રાદેશિક પક્ષોની મથરાવટી કેટલી મેલી? કેરાલામાં સામ્યવાદીઓ અને મુસ્લિમ લીગની સરખામણીમાં કોંગ્રેસ સો દરજ્જે સારી નહીં? પંજાબમાં અકાલીદળ ક્યાં અને કોંગ્રેસ ક્યાં? ઝારખંડમાં શિબુ સોરેનના ઝારખંડ મુક્તિ મોરચા સાથે કોંગ્રેસને ક્યાં મૂકવી? હા, પરિવારમુક્ત કોંગ્રેસ ભવિષ્યમાં જરૂર આળસ મરડીને બેઠી થવાની છે. કોંગ્રેસનું ભવિષ્ય દસ વર્ષ વીતે પછી ઉજ્જ્વળ દીસે છે.
કોંગ્રેસ પડી તે માટે એક શબ્દ જવાબદાર છે: ‘સેક્યુલરિઝમ.’ મારી વાત ગળે ન ઊતરે તો એક કામ કરો. થોડાક દિવસ પર 97 વર્ષની વયે સર્વોદયના આદર્શ પ્રમાણે જીવી જનારા મુ. ચુનીભાઇ વૈદ્યનો દેહવિલય થયો. તેઓના સેવાકર્મમાં નક્કરતા હતી અને એમનું મન અન્ય કેટલાક સેવકો જેવું બંધિયાર ન હતું. એમને વર્ષો પહેલાં સરદાર પટેલના નામ સાથે જોડાયેલો એવોર્ડ મળ્યો તે માટેની સમિતિમાં મારી ભૂમિકા કેવી સોલિડ હતી તેના સાક્ષી કૃષ્ણકાંત વખારિયા હતા. અમે જ્યારે મળતા ત્યારે નિખાલસ વાતો થતી. તેમણે મને લખેલો એક પત્ર અહીં પ્રસ્તુત છે:

ગાંધીઆશ્રમ
અમદાવાદ-390027
તા. 20-8-2002
સ્નેહી ભાઇશ્રી ગુણવંતભાઇ,
તમારી વાતને મારું મન ટેકો આપે છે. સેક્યુલરિસ્ટો
લઘુમતીને પણ સાચી વાત કહે ત્યારે જ ‘ન્યાય’
ગણાય અને મારો અનુભવ છે કે એમ નથી થતું.
એમાં કદાચ બાળકને પટાવવા માટે એની ખોટી
વાતને પણ થાબડવામાં આવે, તેમાં જે ન્યાય
હોય છે તે હોઇ શકે, પરંતુ એ ન્યાય નહીં,
પટામણું છે.
– ચુનીભાઇ વૈદ્ય
(‘શબ્દે શબ્દે સેતુબંધ’, પાન-83)
ખાસ યાદ રાખવા જેવું છે કે ગોધરામાં ડબ્બો સળગ્યો પછી જે હુલ્લડો થયાં ત્યાર પછીના લગભગ છ મહિનાના ઉદ્વેગયુક્ત માહોલમાં આ પત્ર લખાયો છે. સ્વરાજ મળ્યા પછીનાં 66-67 વર્ષો દરમિયાન જે સેક્યુલરિઝમ કોંગ્રેસે અને કર્મશીલોએ હંકાર્યું તે અંગે આટલા ઓછા શબ્દોમાં આટલી માર્મિક વાત અન્ય કોઇ ગાંધીજને કરી નથી. ડાંગમાં જ્યારે ધર્માંતરણને પ્રશ્ને તોફાનો થયાં ત્યારે વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીએ ડાંગની મુલાકાત લીધી હતી. તે સમયે શ્રી ઘેલુભાઇ નાયક સાથે મળીને મુ. ચુનીભાઇએ ધર્માંતરપ્રવૃત્તિનો સ્પષ્ટ વિરોધ વાજપેયીજી સમક્ષ નોંધાવ્યો હતો. ચુનીભાઇએ એમ કર્યું ત્યારે અન્ય ગાંધીજનો એમના પર તૂટી પડ્યા હતા. એ વખતે મારી કટારમાં આ પત્ર પ્રગટ થયો હતો. એ કટારમાં મેં લખ્યું હતું કે ધર્માંતરનો વિરોધ ગાંધીજી, વિનોબા, સરદાર પટેલ, રાજાજી, રવીન્દ્રનાથ ટાગોર, મૌલાના આઝાદ અને ખુદ ઇસુ ખ્રિસ્તે પણ કરેલો. ‘સેક્યુલર ધર્માંતર’ જેવું કશુંક હોઇ શકે?
કોંગ્રેસે જે સેક્યુલર વિચારધારા સ્વીકારી તે પ્રદૂષિત હતી. એમાં ભારોભાર ‘પટામણું’ હતું અને એ પટામણું મુસ્લિમ વોટબેંકનું મોહતાજ હતું. આવું ઘણાં વર્ષો સુધી ચાલ્યું તે અંગે મારે ચાર પુસ્તકો લખવાનું બન્યું. પુસ્તકોને પાને પાને કોંગ્રેસનું સિન્થેટિક સેક્યુલરિઝમ કેટલું પોલું હતું તે દર્શાવ્યું છે. સ્વરાજ મળ્યા પછી લાખો હિંદુઓ વટલાયા છે. શું એ બધા સમજપૂર્વક અન્ય ધર્મોમાં ગયા હતા? સ્વરાજ મળ્યા પછી પણ કેટલાં હિંદુ મંદિરો તૂટ્યાં? કાશ્મીરમાં એક જૈન મંદિર જમીનદોસ્ત થયું હતું. સ્વરાજ મળ્યા પછી ચાલેલી આવી એકતરફી સેક્યુલર લીલા આજે કોંગ્રેસને નડી રહી છે. મારી વાત ખોટી લાગી? તો હવે આગળ વાંચો.

બાબરી મસ્જિદ તૂટી પછી તા. 8-8-1993ને દિવસે ‘ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના તંત્રી દિલીપ પાડગાંઉકરને આપેલી મુલાકાતમાં જાણીતા વિચારક અને રેશનલિસ્ટ નિરદ ચૌધરીએ કહેલા શબ્દો કાન દઇને સાંભળો: ‘એ મસ્જિદનો ધ્વંસ થયો તે અંગે ફરિયાદ કરવાનો મુસ્લિમોને જરા જેટલો અધિકાર નથી. ઇ.સ. 1000 પછી કાઠિયાવાડથી તે બિહાર સુધી અને હિમાલયથી તે વિંધ્યાચળ સુધીના વિસ્તારમાં આવેલા પ્રત્યેક હિંદુ મંદિરને ક્યાં તો તોડી પાડવામાં આવ્યું હતું કે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતુ઼ં. ઉત્તર ભારતમાં બધેબધ એક પણ હિંદુ મંદિરને સલામત રહેવા દેવામાં આવ્યું ન હતું.’ પૂછવા જેવો પ્રશ્ન એક જ છે: ‘શું હિંદુઓને પણ સંવેદના હોઇ શકે એવું ખરું? ભારતનું સેક્યુલરિઝમ એવી વાજબી સંવેદનાને ધરાર અવગણીને ચાલે તે યોગ્ય ખરું? સ્વરાજ મળ્યા પછી એમ જ બન્યું છે અને વારંવાર બન્યું છે.’

કોંગ્રેસે એક જ કામ કરવાનું છે. આપણે એને ‘કોર્સ કરેક્શન’ કહી શકીએ. ખોટા માર્ગે ફંટાઇ ગયા પછી સાચા માર્ગે પાછા આવવાની વાત છે. વિજ્ઞાનની પરિભાષામાં એને ‘સાયબરનેટિક્સ’ પણ કહે છે. આ શબ્દનું ગ્રીક મૂળ દરિયા સાથે જોડાયેલું છે. જ્યારે વહાણ એની ખરી દિશાથી ફંટાઇ જાય પછી પાછું સાચી દિશામાં આવી જાય, તેને cybernatics કહે છે. કોંગ્રેસે સેક્યુલરિઝમની જે અવદશા કરી તે પાપની પ્રતિક્રિયાનો લાભ નરેન્દ્ર મોદીને મળ્યો છે. સેક્યુલરિઝમ કંઇ હિંદુ-વિરોધી કે મુસ્લિમ તરફી સંકલ્પના નથી. એનો ખરો સંબંધ માનવતા સાથે છે. વર્ષોથી ધૂંધવાઇ રહેલી હિંદુ પ્રતિક્રિયા ભાજપને ફળી છે. આજે જે બની રહ્યું છે, તેમાં ‘પ્રતિક્રિયાત્મક અવિવેક’ કેટલાક હિંદુ પાગલો દ્વારા રોજ પ્રગટ થતો જણાય છે. મને સતત એવું લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇને ઠરીને દસ વર્ષ સુધી વિકાસની રાજનીતિ માટે કામ કરવા દેવું જોઇએ. સેક્યુલર સનેપાતનો સામનો હિંદુ સનેપાત દ્વારા ન થઇ શકે. નરેન્દ્રભાઇની સ્થિતિ કફોડી થાય એવાં ઉચ્ચારણો રોજ પ્રગટ થતાં રહ્યાં છે. બધા બાવાઓ કાંઇ સાધુ કે યોગી કે સ્વામી નથી હોતા. બધા બાપુ કાંઇ મોરારિબાપુ નથી હોતા. બધા ફાધર કાંઇ ફાધર વાલેસ નથી હોતા. બધા મુલ્લાંજી કાંઇ મૌલાના વહિદુદ્દીન ખાન નથી હોતા. આપણે ક્યારે સુધરીશું?{ (તા. 23-12-2014)
પાઘડીનો વળ છેડે
કોંગ્રેસ પક્ષે મુસ્લિમ કટ્ટરતા સામે
એવી જ રીતે
હુમલો કરવો જોઇએ, જે રીતે
એ હિંદુ કટ્ટરતા પર તૂટી પડે છે.
આપણે મુસ્લિમ કટ્ટરતા વિરુદ્ધ
એટલી તીવ્રતાથી નથી બોલતા,
જેટલી તીવ્રતાથી હિંદુ કટ્ટરતાની
વિરુદ્ધ બોલીએ છીએ.
– દિગ્વિજય સિંઘ
(ટા.અો.ઇ. 25-9-2014)
નોંધ: હવે મારે કશુંય કહેવાનું બચે છે ખરું? ‘પટામણું’ મોંઘું પડ્યું!

આતંકવાદના પેણામાં તણાઇ રહેલી મજબુત માનવતા 23-11-2014

ઇન્સાનિયત અને સેતાનિયત વચ્ચેની ટક્કર પુરાતન કાળથી ચાલતી રહી છે. પુરાણકથાઓમાં કેટલાંક ભયંકર નામો એવાં હતાં, જેમને લોકો આજે પણ ભૂલ્યા નથી. હિરણ્યકશ્યપ, રાવણ, કંસ, નરકાસુર અને બકાસુર જેવાં અનેક નામો આજનાં બાળકો પણ જાણે છે. જાણે ગઇ કાલનાં નામો ગણાય તેમાં હિટલર, સ્તાલિન, મુસોલિની અને માઓ ઝેડોંગ મુખ્ય છે. હજી એકાદ કલાક પહેલાં દુનિયાનું સૌથી ભયંકર નામ ઓસામા બિન લાદેનનું હતું. આજનું સૌથી તાજું એવું ભયંકર નામ છે: અબુ બક્ર અલ બગદાદી. આ વિકરાળ આતંકવાદી ‘અદૃશ્ય શેખ’ તરીકે ઓળખાયો કારણ કે પકડાઇ ન જવાય તે માટે એ મુખવટો પહેરી રાખતો. એ બગદાદી ‘નૂતન બિન લાદેન’ છે એવું ફ્રાન્સના દૈનિક ‘લી મોન્ડે’માં કહેવાયું છે.

આજના વિશ્વમાં મજહબના નામે ચાલતા આતંકવાદથી વધારે ભયાનક એવી કોઇ સમસ્યા નથી. માનવ અને પ્રતિમાનવ (anti-man) વચ્ચેની ટકરામણ આજની નથી. હજારો વર્ષ પહેલાં ઋગ્વેદના ઋષિએ ભદ્રતાનાં અને દુરિતનાં પરિબળોની વાત કરી હતી. હું ટેણિયો-મેણિયો હતો ત્યારથી એ વેદમંત્ર સાંભળતો અને બોલતો રહ્યો છું. બગદાદી ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા (ISIS) જેવા ભયંકર સંગઠનનો સરદાર હતો (?). આવા સંગઠનો માટે માણસ કપાય અને બટાકા કપાય તેમાં કોઇ જ તફાવત નથી.

એક બાજુ સહજ નિર્દોષતાને કિનારે જીવતી નાગરિકતા છે અને બીજી બાજુ લોહીની તલાવડી ઊભરાતી જ રહે તેવાં કારસ્તાન કરવામાં મજહબની માવજત થાય છે, એમ માનનારી સેતાનિયત છે. કલ્પના તો કરો! અત્યાર સુધી આવાં કારસ્તાનમાં સોનિયા ગાંધી, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને લાલકૃષ્ણ અડવાણી કેટલી વાર મરતાં બચી ગયાં? આવી દુર્ઘટના કેટલી વાર ન બની તેના આંકડા ન હોય. ઇન્સાનિયત અને સેતાનિયત વચ્ચે પ્રતિક્ષણ ચાલતી ટકરામણ અંગે કોઇ પણ દેશના શાસકનું કર્તવ્ય શું? સેતાનની હત્યા થાય ત્યારે માનવ-અધિકારોની રક્ષાની ચર્ચા ભારત સિવાય બીજા કયા દેશમાં ચગે છે? લાદેન એબોટાબાદના મકાનમાં અડધી રાતે અમેરિકન કમાન્ડોને હાથે ઠાર થયો. એને મારવામાં સ્વીકૃત આંતરરાષ્ટ્રીય નિયમોનું છડેચોક ઉલ્લંઘન થયું હતું. રાષ્ટ્રપ્રમુખ ઓબામા કમાન્ડોની ગતિવિધિ સિનિયર સાથીઓ સાથે નિહાળી રહ્યા હતા. એ બહાદુર કમાન્ડોને જેલમાં મોકલવાનું તેમને માન્ય ખરું? જો કોઇ શાસક માનવ-અધિકારની જાળવણી કરે, તો આતંકવાદીઓ નિર્દોષ નાગરિકોની કત્લેઆમ નિરાંતે કરી શકે. ધૂમકેતુની નવલકથા ‘મહાઅમાત્ય ચાણક્ય’માં શકટાલ સાથે વાત કરતી વખતે ચાણક્ય કહે છે:

મંત્રીશ્વર!
અનધિકારીઓ અને દુષ્ટો પ્રત્યે
ક્ષમાની નીતિ જ્યારે જ્યારે
વ્યક્તિ કે રાજ્ય ગ્રહણ કરે છે,
ત્યારે ત્યારે જાણવું કે
એના દિવસો ભરાઇ ચૂક્યા છે.
ભૂલ રાજ્ય-ધુરંધરો કરશે
અને હણાશે બિચારી ઘેટાં જેવી પ્રજા!
અને હણાશે પણ ઘેટાંની પેઠે જ!
રાજનીતિને પણ પોતાના ધર્મો છે, મંત્રીશ્વર!
(પાન-179)

ક્યાંક દાઉદ ઇબ્રાહીમને પકડતી વખતે પોલીસ એના પર ગોળી છોડે, તો તે પોલીસ ગુનેગાર ગણાય? બકાસુરને મારનાર ભીમ શા માટે જેલમાં જાય? બકાસુર જીવતો રહે, તો પ્રત્યેક દિવસ દરમિયાન એકચક્રા નગરીનો નિર્દોષ નાગરિક મરતો જ રહે, તો નાગરિકોના માનવ-અધિકારનું શું? ઓસામા બિન લાદેનની હત્યા થઇ તેમાં કયો માનવ-અધિકાર જળવાયો? લાદેનને મારનારા કમાન્ડો પર કયો કેસ ચાલ્યો? અલ-બગદાદીની હત્યા થઇ તો કયા અમેરિકન સૈનિક પર કાયદા મુજબ કોર્ટમાં કેસ ચાલશે? આતંકવાદ અને ઇસ્લામ વચ્ચેનું અંતર તો કિલોમીટરમાં નહીં પ્રકાશવર્ષમાં માપવું પડે. લાદેન કે બગદાદી કે હાફિઝ સૈયદ કે અલ જવાહિરી રસૂલે ખુદાની (પયંગબરની) સામે એક મિનિટ માટે પણ ઊભા રહી શકે ખરા? જ્યાં સુધી ઇસ્લામી આલમમાંથી જ મજહબને નામે ચાલતી સેતાનિયત સામે જોરદાર અવાજ ન ઊઠે, ત્યાં સુધી આતંકવાદ અટકે તેમ નથી. આતંકવાદી આખરે કોણ છે? જે સેતાન સામે ઊભેલા ઇન્સાનને કેવળ લોહીના લાંબા વાસણ તરીકે જુએ, તેને વાસણ ખાલી થઇ જાય અને લોહી ઢોળાઇ જાય તેનો ગમ નથી સતાવતો.

આતંકવાદના પેણામાં સતત તળાઇ રહેલી માનવતા રોજ કણસી રહી છે. ધર્મનું કામ માનવજાતના કણસાટને દૂર કરવાનું છે. પૃથ્વી પર મહાવીર અને બુદ્ધ આવ્યા ત્યારે માનવતાને ચંદનલેપની શીતળતાનો અનુભવ થયો. અહિંસા અને કરુણા નિર્દોષ નાગરિકોને જીવવાનું બળ પૂરું પાડનારી શીતળ ઘટનાઓ છે. અમે હાઇસ્કૂલમાં ભણતા હતા ત્યારે રાંદેરમાં ઘરની પાછળ આવેલા ખાડી ફળિયામાં રહેતા ગાંડા શુકલને હડકાયું કૂતરું કરડી ગયું. આખી રાત ફળિયામાં વાતો થતી રહી. ગાંડાકાકા જ હડકાયા બની ગયા, ત્યારે સ્વજનોએ મન કઠણ કરીને એમના પર ભીની ચાદર ફેંકી હતી. એ ચાદર ફેંકનારા રડી રહ્યા હતા. શું એ સ્વજનો અહિંસાધર્મનું અને કરુણાધર્મનું ઉલ્લંઘન કરી રહ્યા હતા? પ્રત્યેક આતંકવાદી આખરે તો હડકવાની મજબૂરી ભોગવનારો ઇન્સાન છે. એના પર ભીની ચાદર ફંેકવી એ જ ખરી કરુણા ગણાય. એવી ચાદર ફેંકનારા પોલીસ અધિકારીને જેલમાં મોકલનાર સમાજ જરૂર ક્રૂર ગણાય. એ સમાજ કેવળ ક્રૂર નહીં, કૃતઘ્ની પણ ગણાય.

અહીં ઇસ્લામી ઇતિહાસમાં થયેલા શાંતિપૂર્ણ સત્યાગ્રહનું પાવક સ્મરણ થાય છે. વર્ષ 1988માં નોર્વેના ઓસ્લો નગરમાં ‘ડિસ્ટન્સ એજ્યુકેશન’ પર યોજાયેલી પરિષદમાં ભાગ લેવાનું બનેલું. હજી દિવસ યાદ છે. 13મી ઓગસ્ટે પાકિસ્તાનની અલ્લામા ઇકબાલ ઓપન યુનિવર્સિટીના વાઇસચાન્સેલર શ્રી અલ્લાનાએ આગ્રહપૂર્વક મને કહ્યું: ‘તમે કોઇ પણ હિસાબે નોર્વે છોડો તે પહેલાં એક ફિલ્મ જોવાનું ચૂકશો નહીં. એ ફિલ્મ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ છે. ફિલ્મનું નામ છે: The Blood of Husain.’ ઓસ્લોના એક સરદારજીએ પોતાને ઘરે લઇ જઇને અને પ્રેમથી વેજીટેબલ પુલાવ જમાડીને મને એ ફિલ્મ બતાવી. એ ફિલ્મના ડાયરેક્ટર છે: જમિલ દહેલવી. એ ફિલ્મ માર્ક્સવાદી વિચારધારાથી પ્રભાવિત છે. એ સમયે જનરલ ઝિયા ઉલ હકની સરમુખત્યારી પાકિસ્તાનને પજવી રહી હતી. ફિલ્મને અંતે પયગંબર સાહેબના સૌથી નાના પૌત્ર ઇમામ હુસૈનના બલિદાનનું પૂરું દૃશ્ય ફિલ્મમાં અત્યંત અસરકારક રીતે બતાવાયું છે. ઇમામ હુસૈનની શાંતિકૂચમાં દીકરાઓ-દીકરીઓ-પરિવારની સ્ત્રીઓ-સ્વજનો જોડાયાં હતાં. સૌ જાણતાં હતાં કે યઝિદ એમને મારી નાખશે. ઇમામ હુસૈનની એ મૃત્યુયાત્રા હતી. છેવટે કરબલાની રેતીમાં ત્રણ ત્રણ દિવસ ભૂખ્યાં અને તરસ્યાં સૌ યાત્રીઓને યઝિદના સૈનિકોએ ક્રૂર રીતે રહેંસી નાખ્યાં. ઇમામ હુસૈનની એ શહાદત સમગ્ર વિશ્વને શાંતિનો પયગામ આપતી ગઇ. ફિલ્મ જોયા પછી શ્રી અલ્લાના સાહેબ મળ્યા ત્યારે એમના ઉદ્્ગાર હતા: ‘શાહસાહબ! અમે અમારા દેશમાં સરમુખત્યારશાહીમાંથી ક્યારે મુક્ત થઇશું?’ માનશો? હું ઓસ્લોથી મુંબઇ પહોંચ્યો અને મુંબઇ સેન્ટ્રલથી સુરત જતી ટ્રેનમાં બેઠો, ત્યારે જાણ્યું કે ઝિયા ઉલ હક વિમાની અકસ્માતમાં (બહવાલપુર ખાતે) મૃત્યુ પામ્યા છે! હજી આજે પણ ફિલ્મમાં જોયેલ દૃશ્યમાં ઇમામ હુસૈનની શહાદત હું ભૂલી શકતો નથી. મિત્રોને ખાસ ભલામણ કરું? કોઇ પણ રીતે ‘ધ બ્લડ ઓફ હુસૈન’ ફિલ્મ અચૂક જોઇ લેજો. આતંકવાદ સામેની પ્રથમ શાંતિમય અને અહિંસક શહાદત જોઇને આંખ ભીની થશે. મને હજી જાણવાનું મન છે કે પાકિસ્તાનમાં મિત્ર અલ્લાના સાહેબ હજી જીવતા હશે ખરા? જો જીવતા હોય, તો તેમને મારા સલામ પહોંચાડે તેવા કોઇ મિત્રની શોધમાં છું.
(લખ્યા તા. 9-11-2014)
પાઘડીનો વળ છેડે
પયગંબરને ઝેર આપવામાં આવેલું.
એમની એકમાત્ર વહાલી દીકરી
બિબિ ફાતિમાના ઘર પર આતંકવાદી
હુમલો થયેલો, જેમાં એના ઘરનો દરવાજો
સળગાવી દેવામાં આવેલો.
પયગંબરના ભાઇ ઇમામ અલી જ્યારે
બંદગી કરી રહ્યા હતા ત્યારે એમની
હત્યા કરવામાં આવી હતી. ઇમામ અલીના
પૌત્રને પણ ઝેર આપવામાં આવેલું.
– (આમિર રઝા હુસૈન)
(‘ધ ટી.ઓ.આઇ.’ તા. 4-11-2014)

પંડિત નહેરૂને આખા ને આખા નિહાળવા રહ્યા 30-11-2014

અપૂર્ણ હોવું એ પ્રત્યેક મનુષ્યનો જીવનસિદ્ધ અધિકાર છે. પંડિત જવાહરલાલ નેહરુ મનુષ્ય હતા માટે અપૂર્ણ હતા. એમને આખા ને આખા નિહાળવા રહ્યા. નેહરુ એક વિચારનું નામ છે. વિચારને મૃત્યુ હોતું નથી, માટે નેહરુ અમર છે.
ઇતિહાસ બડો બેશરમ હોય છે. એ તો મહાત્મા ગાંધીની શરમ પણ નથી રાખતો. ઇતિહાસની માતાનું નામ હકીકત છે અને હકીકત સત્યની સગી બહેન છે. અપૂર્ણ હોવું એ પ્રત્યેક મનુષ્યનો જીવનસિદ્ધ અધિકાર છે. પંડિત જવાહરલાલ નેહરુ મનુષ્ય હતા માટે અપૂર્ણ હતા. એમને આખા ને આખા નિહાળવા રહ્યા. નેહરુ એક વિચારનું નામ છે. વિચારને મૃત્યુ હોતું નથી, માટે નેહરુ અમર છે. તેઓ મહાન હતા અને એમની કેટલીક અપૂર્ણતાઓ પણ મનભાવન અને હૃદયલુભાવન હતી. રવીન્દ્રનાથ ટાગોરે એમને ‘ઋતુરાજ’ કહ્યા હતા. ગાંધીયુગમાં શુષ્ક હોવું સરળ હતું. પણ રંગદર્શી હોવું મુશ્કેલ હતું!

પંડિત નેહરુ અને સરદાર પટેલ વચ્ચે સોલિડ મતભેદો હતા, પરંતુ બે બાબતે બંને વચ્ચે સંપૂર્ણ એકતા હતી:
1. દેશના ભાગલા અપરિહાર્ય હતા.
2. કોંગ્રેસનું વિસર્જન દેશ માટે ઉપકારક નહીં બને.

આ બંને બાબતે ગાંધીજી સાથે સ્પષ્ટ રીતે અસંમત થવાની હિંમત નેહરુ અને પટેલે ન બતાવી હોત તો! કદાચ પાકિસ્તાનની જેવી હાલત આજે છે, તેવી જ હાલત અવિભાજિત ભારતની હોત. નગરે નગરે અને ફળિયે ફળિયે હિન્દુસ્તાન-પાકિસ્તાન સર્જાયાં હોત. માનવતાવાદી આદર્શ તરીકે સેક્યુલરિઝમ નામની જણસનો તો ભૂકો બોલી ગયો હોત. જો કોંગ્રેસનું વિસર્જન થયું હોત, તો ભાગલા પછીનું ભારત પણ ઘાયલ થયું હોત. ભાગલા પછીના ભારતને એક રાખવામાં કોંગ્રેસ જેવું ભારતવ્યાપી પરિબળ અત્યંત ઉપકારક હતું. મહાત્મા સાથે અસંમત થવા બદલ આપણો દેશ નેહરુ અને પટેલનો જેટલો આભાર માને તેટલો ઓછો છે. મહાત્મા પણ મનુષ્ય હતા અને તેથી અપૂર્ણ હતા.

જેલમાં બેઠા બેઠા ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ જેવું ઇતિહાસ-સમૃદ્ધ પુસ્તક લખી શકે એવા વડાપ્રધાનો દુનિયામાં કેટલા? દીકરીને જેલમાંથી પત્રો લખીને ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ કરાવનારા પિતા કેટલા? મહાત્મા ગાંધીજીના કેટલાય વિચારો સાથે સ્પષ્ટ અસંમતિ દર્શાવ્યા પછી પણ મહાત્માનું નિરપવાદ મહાત્માપણું સ્વીકારનારા બુદ્ધિમાન નેતાઓ કેટલા? સત્તાનાં સૂત્રો સંભાળ્યા પછી મહાત્માથી જુદા પડીને મોટા બંધો અને મોટા ઉદ્યોગો સ્થાપીને દેશમાં આર્થિક આયોજન કરનારા મૌલિક દર્શકો કેટલા? પોતાની સાથે ધરાર અસંમત થનારા સાથીઓ સાથે દ્વેષમુક્ત સંબંધ રાખનારા વિચારકો કેટલા? હા, મહાન મનુષ્યોની મર્યાદાઓ પણ ઓછી મહાન નથી હોતી. પંડિત નેહરુની રમણીય મર્યાદાઓની વિવેચના કરવામાં એમની જરાય અવમાનના થતી નથી. આવી વિવેચના કઠોર તટસ્થતા માગે છે. હિંમત હોય તો આગળ વાંચો:

હકીકત-1 (વહીવટની ક્ષમતા)
સમર્થ શાસકને માણસની પરખ ન હોય તો દેશ ખાડે જાય. નેહરુને કૃષ્ણ મેનન પર આંધળો વિશ્વાસ હતો. 1962ના વર્ષમાં ચીને ભારત પર પ્રચંડ આક્રમણ કર્યું. ભારતીય લશ્કર પાસે જરૂરી કપડાં પણ ન હતાં. સંરક્ષણ પ્રધાન મેનન છેવટ સુધી મિથ્યાભિમાનના કોગળા કરતા રહ્યા. આપણા જવાનો લડતા રહ્યા, પરંતુ લગભગ હોમાઇ જ ગયા એમ કહેવું વધારે ઉચિત ગણાય. નેહરુને જબરો આઘાત લાગ્યો અને એમનો દેહવિલય થયો. ભરોસે કી ભેંસને પાડા જણા! આવો જ ભરોસો એમણે શેખ અબ્દુલ્લા પર મૂક્યો. સરદારને શેખ અબ્દુલ્લા પર જરાય ભરોસો ન હતો. સરદારના મૃત્યુ બાદ વર્ષો વીત્યાં ત્યારે એ જ નેહરુએ શેખ અબ્દુલ્લાને કોડાઇ કેનલના કોહિનૂર બંગલામાં જેલવાસી બનાવ્યા. સુશાસન કરવા માટે જે વહીવટની ક્ષમતા જોઇએ તે બાબત એમનો પ્લસ પોઇન્ટ ન હતો. કવિહૃદયે મૂકેલો ભરોસો દેશને મોંઘો પડી ગયો.

હકીકત-2 (રોમન્ટિક જીવન)
નેહરુ રોમેરોમથી રોમેન્ટિક હતા. એમના જીવનમાં અનેક સ્ત્રીઓ આવી અને ગઇ! લવ-અફેર પવિત્ર ઘટના છે. એની નિંદા ન હોય. ગાંધીયુગમાં પણ નેહરુના શોખની નિંદા રાજાજી, કૃપાલાનીજી, સરદાર કે જયપ્રકાશજીએ કદી પણ કરી ન હતી. લેડી માઉન્ટબેટન સાથેના મધુર સંબંધની વાત જુદી એટલા માટે કે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ અંગે નિર્ણય લેવામાં એ સંબંધની અસર પડતી હતી. આ વાત સમજાય તેટલા માટે ‘માઉન્ટબેટન, ધ લાસ્ટ વાઇસરોય’ ફિલ્મ જરૂર જોવા જેવી છે. ફિલ્મ ખૂબ લાંબી છે, પરંતુ હકીકતોની દૃષ્ટિએ સમૃદ્ધ છે.

હકીકત-3 (સમાજવાદ)
નેહરુને ‘છેલ્લા મોગલ’ કહ્યા છે. એમનો મેઘધનુષી સમાજવાદ પબ્લિક સેક્ટર પ્રત્યેના આંધળા પક્ષપાતમાં સમાઇ ગયો. એક જ ઉદાહરણ આ વાત સમજવા માટે પૂરતું છે. એર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ થયું તે વાતે ઉદ્યોગપતિ જે. આર.ડી. તાતાએ વિરોધ કર્યો ત્યારે નેહરુએ તેમને કહ્યું: ‘મને તમે નફાની વાત જ ન કરશો. નફો તો એક ગંદો શબ્દ છે.’ જબરી ખોટ ખાવી એ તો સરકાર દ્વારા ચાલતા મોટા મોટા ઉદ્યોગોની લાડકી વાનગી હતી. નેહરુ ખરેખરા સમાજવાદી હોત તો! તો પછીનાં વર્ષોમાં કૃપાલાની, લોહિયાજી અને જયપ્રકાશજી જેવા સાચા સમજવાદીઓ એમના કડવા ટીકાકારો બની ગયા તેનું રહસ્ય શું? રાજાજીએ ‘લાઇસન્સ-પરમિટ-ક્વોટા રાજ’નો વિરોધ કર્યો અને સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી. 1991-92ના વર્ષમાં વડાપ્રધાન નરસિંહ રાવે નાણાપ્રધાન ડો. મનમોહન સિંહની મદદથી લિબરલ ઇકોનોમીનો પ્રારંભ કર્યો. બિનકોંગ્રેસી સરકારો ત્યાર બાદ આવી અને ગઇ, પરંતુ મુક્ત અર્થતંત્રની એ નીતિમાં ફેરફાર થયો નથી. અવાડિ અધિવેશનમાં ઢેબરભાઇને પ્રમુખપદે સમાજવાદી સમાજરચના અંગે ઐતિહાસિક ઠરાવ પસાર થયો તેનું આજની કોંગ્રેસે જ બાષ્પીભવન કરી નાખ્યું! કોંગ્રેસના કોઇ અધિવેશનમાં ‘સમાજવાદ’ શબ્દ સાંભળવા મળતો નથી. વિકાસના પાંચ દાયકા એળે ગયા!

હકીકત-4 (વિદેશનીતિ)
નેહરુની વિદેશનીતિ ખરેખર ‘બિનજોડાણવાદી’ હતી ખરી? એ વાસ્તવમાં રશિયાતરફી અને અમેરિકાવિરોધી હતી. આવા વલણને કૃષ્ણ મેનનનો ટેકો હતો. મેનન યુનોની સભામાં કલાકો સુધી બોલી બોલીને પશ્ચિમના દેશોને ગાળો ભાંડતા. હંગેરીમાં રશિયાના લોખંડી સકંજા સામે વિરોધ કરનાર ઇમરનાશ જેવા નેતાને ફાંસીની સજા થઇ. ચેકોસ્લોવેકિયાની સડકો પર રશિયન ટેન્કો ફરી વળી અને ત્યાંના નેતા દુબચેકને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો. જ્યારે ચીને ભારતને 1962માં શરમજનક રીતે હરાવ્યું ત્યારે રશિયાએ કહ્યું: ‘ચીન ભાઇ છે અને ભારત મિત્ર છે.’ ભારત નમાલું સાબિત થયું! ચીન સામે થયેલી હારને કારણે સંવેદનશીલ નેહરુ ભાંગી પડ્યા અને વહેલા વિદાય થયા.

હકીકત-5 (સેક્યુલરિઝમ)
સેક્યુલરિઝમને માનવતા સાથે નહીં, પરંતુ મુસ્લિમ તુષ્ટિકરણ સાથે જોડી દેવાની ફેશનના જનક નેહરુ હતા. સરદારના ગયા પછી લોકસભામાં હિન્દુ કોડ બિલ રજૂ થયું ત્યારે આચાર્ય કૃપાલાનીએ નેહરુને ‘કોમવાદી’ કહ્યા હતા. ગાંધીજી પોતાને ‘સનાતની હિન્દુ’ ગણાવતા છતાંય સેક્યુલર હતા. નેહરુ પોતાને ‘સેક્યુલર’ ગણાવતા છતાંય હિન્દુઓને અન્યાય કરનારા હતા. જો નેહરુ ખરેખર ‘સેક્યુલર’ હોત, તો કોમન સિવિલ કોડ લાવ્યા હોત. મોરારજી દેસાઇએ એમની આત્મકથા ‘મારું જીવનવૃત્તાંત’માં નોંધ્યું છે: ‘હિન્દુ ધર્મ પ્રત્યે એમને પૂર્વગ્રહ હતો.’ (પાન. 456). કારણ સમજાતું નથી. ગાંધીજીના ભક્ત ઘનશ્યામદાસ બિરલાએ તો કહ્યું હતું: ‘જો ગાંધીજીના સંપર્કમાં ન આવ્યા હોત, તો નેહરુના સમગ્ર પરિવારે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોત.’ (‘મણિબહેનની ડાયરી’, તા. 13-9-1950). નેહરુના પ્રદૂષિત સેક્યુલરિઝમનો મેલો વારસો કોંગ્રેસે જાળવી રાખ્યો છે. મારી વાત ખોટી લાગે, તો સોનિયા ગાંધીના વિશ્વાસુ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન એન્થનીને પૂછી જુઓ! કોંગ્રેસની હારનાં કારણો શોધવા માટે એમણે હેવાલ તૈયાર કર્યો હતો. એમણે એવું કહ્યું કે દેશની બહુમતીને એવી લાગણી થઇ કે કોંગ્રેસ હિન્દુ-વિરોધી પક્ષ છે.

હકીકત-6 (સાયન્ટિફિક ટેમ્પર)
પંડિત નેહરુ લગભગ નાસ્તિક હતા. એમના બે શબ્દો યાદગાર હતા: ‘સાયન્ટિફિક ટેમ્પર.’ દેશના નાગરિકોમાં વૈજ્ઞાનિક મિજાજ કેળવાય તે માટે તેઓની નિષ્ઠા લાજવાબ હતી. તેમને ધર્મને નામે ચાલતાં ધતિંગોમાં જરાય શ્રદ્ધા ન હતી. થોડાક દિવસ પર એક દુર્ઘટના બની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિલાયન્સ તરફથી શરૂ થયેલી ડિજિટલ હોસ્પિટલનું ઉદ્્ઘાટન મુંબઇમાં કર્યું. અત્યંત ઊંચી કક્ષાના સુજ્ઞશ્રોતાઓની આવી સુંદર સભા જોયાનું યાદ નથી. એ સભામાં વડાપ્રધાને ગણેશજીના મસ્તક પર હાથીનું ડોકું હોય તેને પુરાતન કાળની ‘પ્લાસ્ટિક સર્જરી’ ગણાવી! એ જ રીતે કર્ણના જન્મ સાથે ‘જીનેટિક વિજ્ઞાન’ જોડી દીધું! આવી વાતોને કમનસીબ જ કહેવી જ રહી.
પંડિત નેહરુના મૃત શરીર પર જનોઇ જોવા મળી હતી. કેવડો મોટો આંતરવિરોધ? ફરીથી કહેવું છે: ‘અપૂર્ણ હોવું એ મનુષ્યનો જીવનસિદ્ધ અધિકાર છે.’ પંડિતજીની સ્મૃતિને વંદન.
પાઘડીનો વળ છેડે

જો નેહરુને ભારતીય ગણવા જ હોય,
તો તેઓ મુસ્લિમ વધારે હતા
અને હિંદુ ઓછા હતા.
જે કોઇ બાબત મુખરપણે હિંદુત્વ
સાથે જોડાયેલી હોય, તેના પ્રત્યે
એમને ઘણુંખરું ઘૃણાનો ભાવ જ રહેતો.
નિરદ ચૌધરી
(‘The Continent of Circle’, 1965)

તમારે ભારતને સમજવું છે? તો પાકિસ્તાનને સમજો DIVYA BHASKER, 11-8-2014

અમેરિકા પાસે લશ્કર છે. ચીન પાસે લશ્કર છે. બ્રિટન પાસે લશ્કર છે. ભારત પાસે પણ લશ્કર છે. પાકિસ્તાનની વાત સાવ જુદી છે. પાકિસ્તાન લશ્કર પાસે છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની શરાફત શંકાસ્પદ નથી. તેઓ માથાફરેલ લશ્કર અને ઝનૂની આઇ.એસ.આઇ. આગળ લગભગ લાચાર છે. ખરી વાત એ છે કે લશ્કરની દાદાગીરી સામે તેઓની મજબૂરી દયનીય છે. પરિણામ સ્પષ્ટ છે: પાકિસ્તાનની લોકશાહી (જમહૂરિયત) ગંગાસ્વરૂપ છે. કરવું શું?

ભારતમાં ટીવી પર પોતાનો અભિપ્રાય પ્રગટ કરનારા પંડિતો (ઇન્ટેલેક્ચ્યુઅલ્સ)ની વિશ્વસનીયતા આજકાલ તળિયે બેઠી છે. એમની વાયડાઇ કુતર્ક અને અતિતર્કમાં આળોટતી રહીને બુદ્ધિના વ્યભિચારને ફેશન તરીકે ચગાવતી રહે છે. પાકિસ્તાન સાથે સેક્રેટરી કક્ષાએ થનારી વાટાઘાટો કેન્સલ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો તેની ચર્ચામાં બુદ્ધિનો વ્યભિચાર આબાદ પ્રગટ થયો. તા. 18મી ઓગસ્ટેનિર્ણય લેવાયો. 19મી ઓગસ્ટે કોંગ્રેસ પક્ષે માગણી રજૂ કરી કે પાકિસ્તાની હાઇકમિશનરને પાછા પાકિસ્તાન મોકલી દેવા જોઇએ કારણ કે કાશ્મીરના અલગતાવાદી હુરિયત નેતાઓ સાથે વાતચીત ચાલુ રાખવાની ગુસ્તાખી પાકિસ્તાનના હાઇકમિશનરે ચાલુ જ રાખી.

આ ચર્ચામાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર અભિપ્રાય કરતાં પક્ષના બોલકણા નેતા મણિશંકર અય્યરે મોદી સરકારના નિર્ણયને ‘સ્ટુપિડ’ ગણાવ્યો. એમના અભિપ્રાયને સામે છેડે પાકિસ્તાનમાં વર્ષો પહેલાં હાઇકમિશનર રહી ચૂકેલા જી. પાર્થસારથિએ સરકારના નિર્ણયને વાજબી ગણાવ્યો અને કહ્યું: ‘આ વાત હું દસ વર્ષથી કહેતો આવ્યો છું.’ કોઇ માણસ પોતાના પાડોશીને રોજ સવારે થપ્પડ મારે, ત્યારે થપ્પડ મારનાર સાથે બપોરે વાટાઘાટ કરવામાં કઇ બૌદ્ધિકતા? ઇન્ટેલેક્ચ્યુઅલ માણસને કેળાં દળવાનું ગમે છે. લોકો એમને સમજી ગયા છે.

વાંઝણી પંડિતાઇથી લોકો કંટાળે છે. ‘Outlook’ના તંત્રી વિનોદ મહેતાના શબ્દો ખરે ટાણે વાંચવા મળ્યા. તેઓ લખે છે:
કટોકટીના સમયને બાદ કરતાં
પંડિતોની વિશ્વસનીયતા આજે
અત્યંત નીચી કક્ષાએ જઇ બેઠી છે,
એમ હું કહું તો તેમાં કોઇ રહસ્ય
પ્રગટ કરતો હોઉં એવું નથી…
મારી 40 વર્ષ લાંબી તંત્રી તરીકેની
કામગીરીમાં મને સૌથી ઊંચી
શાબાશી મળી તેમાં અસંખ્ય
ગાળ ખાધી તોય એક વાત કઇ?
‘મને તમારા અભિપ્રાયો નથી ગમતા,
પરંતુ મને એમ નથી લાગતું કે
તમે મને જાણીજોઇને અવળે માર્ગે દોરશો.’

(T.O.I., 14-8-2014)
લોકોને અવળે માર્ગે દોરવામાં કહેવાતા બૌદ્ધિકોએ ‘સેક્યુલરિઝમ’ જેવી પવિત્ર સંકલ્પનાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઓક્સફર્ડ ડિક્ષનરીમાં હવે ‘Pundit’ શબ્દ સ્વીકારાઇ ચૂક્યો છે અને સાથોસાથ ‘Punditry’ (પંડિતાઇ) શબ્દ પણ યોજાતો રહ્યો છે. વાયડી દલીલબાજી માટે એક સુંદર શબ્દ ન્યાયદર્શનમાં યોજાય છે: ‘જલ્પ.’ જલ્પ એટલે તત્ત્વનિર્ણયની ઇચ્છાથી નહીં, પરંતુ ખંડન-મંડનની ઇચ્છાથી કરવામાં આવતો નિરર્થક બકવાસ. વાયડી પંડિતાઇ બકવાસને માર્ગે વળે ત્યારે કેવી ભૂંડી લાગે તે જોવું હોય તો ટીવી પર લંબાયે જતી ચર્ચા સાંભળવી. ક્યારેક એ ચર્ચા ‘વંધ્યામૈથુન’ની કક્ષાએ સરી પડતી જણાય છે.

પાકિસ્તાન સાથે કેવો વ્યવહાર રાખવો તેની ચર્ચા કદી અટકવાની નથી, કારણ કે પાકિસ્તાન સુધરવાની ઉતાવળમાં નથી. એ થપ્પડ મારવાનું છોડે તેમ નથી. વળી થપ્પડને જ્યારે ધાર્મિકતાનો રંગ લગાડી દેવામાં આવે, ત્યારે એનું આયુષ્ય વધી જાય છે. પાકિસ્તાનમાં શાણા વિચારકો ઓછા નથી. નગારખાનામાં તતૂડીનો અવાજ કોણ સાંભળે? ભારતદ્વેષ અને હિંદુદ્વેષ પાકિસ્તાનને એક રાખનારું નકારાત્મક પરિબળ છે. દ્વેષપ્રેમ પાકિસ્તાનને સતત પ્રજાળે છે. ત્યાં શિયાપંથી લોકો, અહમદિયા લોકો, બલુચી લોકો, હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને મુજાહિદો આજે પણ સાવ પરાયા છે અને ખાસા દુખી છે. પંજાબના સુન્ની મુસલમાનો માથાભારે છે અને બાકીના બધા જ દયનીય છે.

બાંગ્લાદેશ છૂટું પડ્યું તે માટે પણ પંજાબી મિથ્યાભિમાન થોડેક અંશે જવાબદાર હતું. એશિયન ડેવેલપમેન્ટ બેંક (ADB) તરફથી નિમાયેલા કમિશનના સભ્ય તરીકે 1985માં દોઢ મહિનો ઢાકાની સોનારગાંવ હોટેલમાં રહીને બાંગ્લાદેશની શિક્ષણ પ્રથાનો અભ્યાસ કર્યા બાદ બે મિલિયન ડોલરની આર્થિક મદદની ભલામણ કરી હતી. અમે જે રિપોર્ટ તૈયાર કર્યો તેની શરૂઆતમાં જ પશ્ચિમ પાકિસ્તાન તરફથી થયેલા શોષણનો ઉલ્લેખ કરવામાં આવેલો. એ રિપોર્ટ આજે પણ ઘરમાં સચવાયો છે. પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે ખૂબ ચગેલી. ‘Two-nation-theory’નું બાષ્પીભવન થઇ ગયેલું. લોકોને ઇસ્લામ પણ એક રાખી ન શક્યો. મહંમદઅલી ઝીણાએ બાંગ્લાદેશનો ઉદય થયો ત્યારે જરૂર કબરમાં પડખું ફેરવ્યું હશે!

ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશની સંસ્કૃતિ સમાન છે. પાકિસ્તાનના શાસકો ધર્મ કરતાં સંસ્કૃતિનો વ્યાપ વધારે વિશાળ છે એ વાત સમજી ન શકે તેટલા હઠીલા અને સંકુચિત ખરા? બેનઝીર ભુટ્ટોની હત્યા થઇ ત્યારે એક એવું નેતૃત્વ ખતમ થયું, જે સાંસ્કૃતિક વિશાળતાને પચાવી શકે તેવું હતું. બેનઝીરના ખાવિંદ અસિફ ઝરદારીએ (રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે) એક યાદગાર વિધાન કર્યું હતું: ‘આપણા સૌમાં થોડું થોડું India પડેલું છે.’ ગઇ વસંતે બેનઝીરના સુપુત્ર બિલાલ ભુટ્ટોએ મોહેં-જો-દેરોની સંસ્કૃતિના અવશેષોને કેન્દ્રમાં રાખીને સિંધમાં સ્પ્રિંગ ફેસ્ટિવલ (વસંતોત્સવ)ની ઉજવણી કરી તે ઘટના આપણા ધ્યાન બહાર ન જવી જોઇએ. કાલે ઊઠીને બિલાલભૈયા પાકિસ્તાનના વડાપ્રધાન બની શકે? આશા છેક બિનપાયાદાર નથી.

પાકિસ્તાનમાં જમહૂરિયત નબળી છે, તોય છે! પાકિસ્તાનની પ્રજાને પણ ઝનૂની આતંકવાદની પજવણી ગમતી નથી. મિત્ર ઉસમાન ગનીએ દીકરીઓને ત્યાં પરણાવી છે. તેઓ વારંવાર ત્યાં જાય છે. વીજળીનાં ધાંધિયાં ત્યાં એટલાં છે કે ખર્ચાળ જનરેટર્સ ઘરે ઘરે જોવા મળે છે. ઘરે ઘરે જનરેટરનો કર્કશ અવાજ, કેરોસીનનું પ્રદૂષણ અને ખર્ચ જ્યાદા! ગુજરાત સરકારની જ્યોતિગ્રામ યોજનાની આખા પાકિસ્તાનને આજે સખત જરૂર છે. આપણું કોણ સાંભળે? પાકિસ્તાનમાં લઘુમતી કોમના હોવું એટલે નરકના વેઇટિંગ રૂમમાં હોવું! હિન્દુઓ કરતાં પણ શિયાપંથીઓ અને અહમદિયા લોકો વધારે ભયભીત છે.

શિયા-સુન્નીના પયગંબર એક, શિયા-સુન્નીનું પવિત્ર કુરાન એક અને યાત્રાસ્થાન પણ એક જ! આમ છતાં દુનિયામાં આ બે પંથોમાં શ્રદ્ધા રાખનારાં જૂથો લોહિયાળ યુદ્ધમાં બાખડતાં જ રહે છે. ઇરાક બેચેન છે. ઇરાકનો જ ભાગ ગણાય એવું કુર્દિસ્તાન ભયમાં છે. સિરિયા આખું સળગતી સગડીના અંગારા ઠરી ન ગયા તેથી સતત દાઝતું જ રહ્યું છે. આરબ-સ્પ્રિંગનું બાષ્પીભવન થઇ ગયું છે. ઇસ્લામ અને લોકતંત્ર વચ્ચેનો સુમેળ આવો દુર્લભ શા માટે? જ્યાં લોકતંત્ર ન હોય ત્યાં વળી લઘુમતીની સમસ્યાઓ કેવી? પ્રોફેસર હુમાયું કબીરે હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાં પ્રવચન દરમિયાન છેક 1968માં કહેલું:
જ્યાં લોકતંત્ર ન હોય,ત્યાં લઘુમતીનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

પાકિસ્તાનને સમજ્યા વિના ભારતને સમજવાનું અધૂરું ગણાય. આપણે ત્યાં સેક્યુલર બૌદ્ધિકો ભારતીય મુસલમાનોને દેશના ‘નોર્મલ નાગરિકો’ ગણવા તૈયાર નથી. છેક પંડિત નેહરુના સમયથી મુસલમાનોની હઠીલી મર્યાદાઓને પંપાળીને પોષવામાં ન આવી હોત, તો આજે આઝાદીનાં 67 વર્ષ પછી તેઓ અર્થ-સામાજિક દૃષ્ટિએ પછાત હોત ખરા? એક જ ઉદાહરણ આ વાતના ટેકામાં પૂરતું છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકારે બે આરોપી વલી ઉલ્લા અને શમિમ સામેના કેસમાં પુન:સમીક્ષા કરવા આદેશ આપ્યો ત્યારે લખનૌ હાઇકોર્ટે જે ઠપકો આપ્યો તે સાંભળો:

આજે તમે ત્રાસવાદીઓને
છોડાવી રહ્યા છો,
આવતીકાલે પદ્મભૂષણ આપશો!
આવા ઠપકા અંગે જે બૌદ્ધિક સેક્યુલર મૌન સેવે તેને ‘બૌદ્ધિક બબૂચક’ કહેવાનું અયોગ્ય ખરું?{
(લખ્યા તા. 21-8-2014)

પાઘડીનો વળ છેડે
જી. પાર્થસારથિનો પત્ર
ન્યુ દિલ્હી, 02 નવેમ્બર-2007
પ્રિય ગુણવંત શાહજી,
તમને મળવાનું થયું તે ખરેખર આનંદજનક રહ્યું… લેફ. જનરલ (નિવૃત્ત) જાવેદ અશરફ કાઝી હાલ પાકિસ્તાનના શિક્ષણ પ્રધાન છે અને જ્યારે લશ્કરી સેવામાં હતા ત્યારે ડાયરેક્ટર જનરલ ઓફ ISI હતા. એમણે પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીમાં માર્ચ, 10, 2004ને દિવસે કહ્યું હતું: ‘આપણે એમ કબૂલ કરતી વખતે શરમાવું ન જોઇએ કે જૈશ-એ-મોહંમદ હજારો કાશ્મીરીઓની હત્યામાં સામેલ હતું તથા ભારતીય લોકસભા પર થયેલા હુમલામાં, ડેનિયલ પર્લના ખૂનમાં અને પ્રમુખ મુશર્રફની હત્યા માટેના પ્રયાસમાં પણ સામેલ હતું.’
– જી. પાર્થસારથિ

નોંધ: શ્રી પાર્થસારથિ હેન્રી કિસિંજર દિલ્હીમાં હતા તેમને મળીને મને મળવા સરદાર પટેલ વિદ્યાલયમાં આવ્યા હતા. એમની દીકરી ગુજરાતીને પરણી છે. દોઢ કલાક અમારી વાતો ચાલી હતી.

પાકિસ્તાન સાથે કેવો વ્યવહાર રાખવો તેની ચર્ચા કદી અટકવાની નથી, કારણ કે પાકિસ્તાન સુધરવાની ઉતાવળમાં નથી. એ થપ્પડ મારવાનું છોડે તેમ નથી. વળી થપ્પડને જ્યારે ધાર્મિકતાનો રંગ લગાડી દેવામાં આવે, ત્યારે એનું આયુષ્ય વધી
જાય છે.

ગુણવંત શાહ

પાતાળકૂવાને તળિયે પહોંચેલી કોંગ્રેસનું મને ચચરે કેમ છે?.DIVYA BHASKER, 11-8-2014

કોંગ્રેસનો ભૂતકાળ ભવ્ય છે અને એનો વર્તમાન અભવ્ય છે. એનું ભવિષ્ય ધૂંધળું છે. એ ધૂંધળું છે તોય આશાસ્પદ હોવાને પાત્ર છે. કોંગ્રેસમુક્ત ભારત અંગે જે બકવાસ થાય છે, તે દેશના અને લોકતંત્રના હિ‌તમાં નથી. નરસિંહ રાવના શાસન પછી લોકસભામાં કોંગ્રેસને માત્ર ૧૧૨ બેઠકો મળી ત્યારે પણ આ વાક્ય લખ્યું હતું: ‘કોંગ્રેસ મરે તે દેશના હિ‌તમાં નથી.’ હું કોંગ્રેસ કલ્ચરનું જન્મજાત સંતાન છું. મારો પરિવાર ખાદીમય, ગાંધીમય અને કોંગ્રેસમય હતો. ‘કોંગ્રેસ કલ્ચર’ એટલે શું? હવે હું જે લખું તેને જવાબ નહીં જુબાની ગણવા વિનંતી છે, મિ લોર્ડ કોંગ્રેસ કલ્ચર સમજાય તે માટે ફિલ્મના પડદા પર દૃશ્યો જુઓ તે જ રીતે અહીં કેટલાંક દૃશ્યો રજૂ કરવાનો ઇરાદો છે. તો હવે ચાલો મારી સાથે સાથે

દૃશ્ય:૧
વર્ષ ૧૯૪૬-૪૭નું હશે. સરદાર પટેલ ત્રણેક દિવસ માટે બારડોલી સ્વરાજ આશ્રમમાં રહેવા માટે ગયેલા. ઉત્તમચંદ શાહના ઓટલા પર સુરતનાં સંનિષ્ઠ સેવિકા જ્યોત્સનાબહેન શુકલ સેવાદળના સાત-આઠ યુવક-યુવતીઓને શું કહી રહ્યાં હતાં? સાંભળો:
કાલે ઊઠીને ખુદ ગાંધીબાપુ આપણને
કહે કે ખાદી છોડી દો,
તો આપણે એમની વાત માની જઇશું?
ના, ના, ના. આપણે બાપુને સામો પ્રશ્ન પૂછીશું:
બાપુ અમે લોકોએ સમજીને ખાદી અપનાવી છે,
માત્ર તમારા કહેવાથી નથી અપનાવી.
હવે અમને સમજાવો: ખાદી શા માટે છોડવી?

જ્યોત્સનાબહેન વિશે મામાસાહેબ ફડકેની આત્મકથામા સુંદર લખાયું છે. તે દિવસે જીવનમાં પહેલી વાર જીપ જોયેલી. વિસ્મયનો પાર નહીં હું જીપને ટગર ટગર નિહાળી રહ્યો હતો, જાણે કોઇ જંગલી પ્રાણીને પ્રથમ વાર જોઇ રહ્યો હોઉં સરદાર પટેલ સાથે મારે ત્રણ વાક્યોની વાત થઇ હતી: સરદાર બોલ્યા: ‘ક્યાંથી આવે છે? કોની સાથે આવ્યો છે? ખાદી પહેરે છે?’ ચોથું વાક્ય તેઓ બોલ્યા હોય તોય યાદ નથી. વર્ષો વીતી ગયાં પછી મારે સુરતની યુનિવર્સિ‌ટીમાં શિક્ષણ ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે જવાનું થયું. એક નાની સભામાં સુરતના સોનીફળિયામાં આવેલા કોંગ્રેસભવનમાં મારું પ્રવચન હતું અને જ્યોત્સનાબહેન સભાના પ્રમુખ હતાં. મેં સભામાં ઉપરનો કિસ્સો કહી સંભળાવ્યો. જ્યોત્સનાબહેન તો આનંદાશ્ચર્યમાં ડૂબી ગયાં વાત જૂની હતી, પરંતુ વિચાર તાજો હતો.

દૃશ્ય: ૨
કાનજીભાઇ દેસાઇ (કનૈયાલાલ દેસાઇ) અમારા રાંદેરના ઘરે પ૦થી ઓછી વાર ન આવ્યા હોય. લગભગ બકરીની માફક પાન ચાવતા જાય અને સામે બેઠેલા ખેડૂતોને નામ દઇને બોલાવતા જાય. આ ઉમદા નાગર સજ્જને ઓલપાડ તાલુકામાં એમની માલિકીની જાગીરદારીની જમીન કોળી ગણોતિયાઓને (ગણોતધારાના કાયદા પછી) મફતમાં આપી દીધી હતી. સરદાર પટેલના ખાસ વિશ્વાસુ અને મોરારજીભાઇના તો ખાસમખાસ તેઓ ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા. વારંવાર મિટિંગ માટે અમદાવાદ જવાનું બને ત્યારે સુરતના વિખ્યાત દેવશંકર ઘારીવાલાને ત્યાંથી ઘારીની ૨પ-૩૦ ટોપલીઓ (હા ટોપલી, બાકસ નહીં) કોંગ્રેસી સાથીઓ માટે પ્રેમથી લઇ જાય.

કોંગ્રેસ કલ્ચરનું શિખર જોવું હોય તો કાનજીભાઇનો ત્યાગ જોવો પડે. એમનું એક ખેતર રાંદેરમાં મારા ખેતરની સાથોસાથ આવેલું હતું. એમના સુપુત્ર હિ‌તેન્દ્ર દેસાઇએ તે વખતે સંસ્થા કોંગ્રેસ છોડીને પોતાને, મુંબઇ રાજ્યના શિક્ષણપ્રધાન અને પછી ગુજરાતના મુખ્યપ્રધાન બનાવનારા વડીલ મોરારજીભાઇને રીતસર દગો દઇને ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી તે જ દિવસે ઇન્દિરા કોંગ્રેસ અપનાવેલી. સુરતમાં એમના ઐતિહાસિક ઘરમાં નેહરુ, સરદાર, મૌલાના આઝાદ, રાજાજી, સરોજિની નાયડુ અને આચાર્ય કૃપાલાની જેવા નેતાઓ આવતા અને રહેતાં. એ ઘર ‘વાંઝિયા’ ફળિયામાં આવેલું હતું. (હિ‌તેન્દ્ર દેસાઇ નિ:સંતાન હતા.) તેઓ એ જ ઘરેથી જીવનની છેલ્લી ચૂંટણી સંસ્થા કોંગ્રેસ સામે લડયા હતા અને ડિપોઝિટ ગુમાવી હતી. પાછલી ઉંમરે તેઓ શાહીબાગના નિવાસે સાવ જ એકલા

દૃશ્ય:૩
કલ્યાણજી મહેતા વાંઝ ગામના વતની હતા. મોરારજીભાઇથી તો કોંગ્રેસમાં ઘણા સિનિયર ગણાય. મારે ઘરે કોંગ્રેસી મિત્રો ભેગા થયા ત્યારે ગોરધનદાસ ચોખાવાળા અને જ્યોત્સનાબહેન હાજર હતાં. કલ્યાણજીભાઇએ કહ્યું: ‘મોરારજીભાઇને ક્યારેક આપણે ચિઠ્ઠી લખીએ અને બિલકુલ વાજબી ભલામણ કરીએ તોય ગાંઠતા નથી. આપણે આ ચલાવી લેવું રહ્યું કારણ કે આવો કડવો છતાં પણ સાચો મુખ્યપ્રધાન (મુંબઇ રાજ્ય) આપણને ક્યાંથી મળવાનો?’ આ હતું ઉમદા કોંગ્રેસ કલ્ચર.

દૃશ્ય: ૪
૧૯પ૨ની સામાન્ય ચૂંટણીમાં પૂજ્ય રવિશંકર મહારાજ કોંગ્રેસના સક્રિય પ્રચારક હતા. તેમનું પ્રચારકાર્ય સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન ઉછંગરાય ઢેબર સાથે સૌરાષ્ટ્રમાં ભૂપત બહારવટિયાના ત્રાસક્ષેત્રનાં ગામોમાં પણ થતું રહેતું. એક ગામે સભામાં ગોળી છૂટેલી ત્યારે બંને મહાનુભાવો માંડ બચી ગયેલા. ૧૯પ૭માં પૂજ્ય મહારાજની ભૂદાન પદયાત્રા ચાલતી હતી. ચૂંટણીથી પૂજ્ય મહારાજ દૂર રહેલા, પરંતુ કેટલાક કોંગ્રેસી આગેવાનો તેમને ચાલુ પદયાત્રામાં મળવા આવતા અને પોતાના મતક્ષેત્રમાં કોઇ મત તાણી લાવે એવા આગેવાન માટે પૂજ્ય મહારાજની ભલામણ ચિઠ્ઠી લઇ જતા.

અમારી પદયાત્રા વલસાડ પાસેના કોસંબા ગામે પહોંચી ત્યારે રાતે મુંબઇ રાજ્યના નાયબ કક્ષાના પ્રધાન વડોદરાના જશવંત શાહ આવ્યા અને વાંસડાની માફક પૂજ્ય મહારાજના ચરણોમાં સાક્ષાત્ દંડવત્ પ્રણામ કર્યાં. મારા માટે એ દૃશ્ય સાવ નવું હતું કારણ કે પૂજ્ય મહારાજ આવી હરકતોથી રાજી ન હતા. એમની વિનંતીથી પૂજ્ય મહારાજે ભલામણ ચિઠ્ઠી લખાવી તે મારે હાથે લખાયેલી. જશવંતભાઇએ પોતે સહકારી ક્ષેત્રે જે કામ ચાલુ હતું તેની વાત કરી ત્યારે પૂજ્ય મહારાજે એમને સણસણતું વાક્ય સંભળાવેલું તે આજે પણ મારી સ્મૃતિમાં તાજું છે. પૂજ્ય મહારાજે કહ્યું: ‘એકલો માણસ કોઇને લૂંટે તેના કરતાં ઘણા માણસો સહકારપૂર્વક ભેગા મળીને ગરીબને લૂંટે તેનું જ નામ સહકારી પ્રવૃત્તિ ને?’

દૃશ્ય: પ
ઇન્દિરાજી સત્તા પર આવ્યાં અને કોંગ્રેસ કલ્ચર ક્ષીણ થયું અને કટોકટી લાદવામાં આવી ત્યારે નષ્ટ થયું. ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા થયા ત્યારે ગરીબમિત્ર ઝીણાભાઇ દરજી મોરારજીભાઇની સાથે સોલિડ ઊભા હતા. વડોદરામાં ડો. ઠાકોરભાઇ પટેલને ત્યાં મોરારજીભાઇ ઊતર્યા હતા ત્યારે રાતે બાર વાગે ઝીણાભાઇ ત્યાં પહોંચ્યા અને સોફા પર સૂઇ રહ્યા. સવારે મોરારજીભાઇ દાદર ઊતરતા હતા ત્યારે ઝીણાભાઇએ વાંકા વળીને પગથિયાં પર જ મોરારજીભાઇને વંદન કર્યાં. શત્રુ-ઉછેર-કેન્દ્રના માલિક એવા મોરારજીભાઇએ ઝીણાભાઇને ખંખેરી કાઢયા આ દૃશ્ય જોનારા કોંગ્રેસી મિત્ર અશ્વિન શાહે મને બીજી વાત પણ કરી. ઠાકોરભાઇને ત્યાં સત્તાવિહીન ઇન્દિરાજીનો ઉતારો હતો ત્યારે ઝીણાભાઇ એમને મળવા ગયા.

ઝીણાભાઇ વિદાય થયા ત્યારે ઇન્દિરાજીએ દેખાવડા અશ્વિન શાહને કહ્યું: -ઋર્‍ જ્ઞ્ૌખ્રજ્, યાને ઝીણાભાઇના શરીરમાંથી વાસ આવે છે.
ઝીણાભાઇનું કોંગ્રેસ કલ્ચર કેવું ઉદાત્ત હતું? અમદાવાદથી કારમાં વ્યારા જાય ત્યારે વડોદરાના રાજુ ખમણ હાઉસ પરથી મને ફોન જોડીને કહેતા: ‘ગુણવંતભાઇ, સલામ મારવા ફોન કર્યો.’ મારા ઘરે ઝીણાભાઇ ફક્ત એક જ વાર પધાર્યા હતા. આવ્યા ત્યારે એક એવી વાત કરતા ગયા કે કોંગ્રેસ કલ્ચરની સુગંધનો અનુભવ થયો. ૧૯૭૭ની ચૂંટણીમાં કોંગ્રેસ હાઇકમાન્ડનું ઝીણાભાઇ પર ભારે દબાણ હતું કે તેમણે સુરતમાં મોરારજીભાઇ સામે ઊભા રહેવું. ઝીણાભાઇનું આભિજાત્ય જુઓ એમણે કહ્યું: ‘હું મોરારજીભાઇ સામે કદી ચૂંટણી નહીં લડી શકું.’

દૃશ્ય: ૬
તા. પમી માર્ચ (૨૦૧૩)ને દિવસે પ્રેમપૂર્વક અહમદભાઇ પટેલ સાંજે ઘરે મળવા માટે આવ્યા. વાતો ૨પ મિનિટ સુધી ચાલી. તેઓ એટલી શાંતિથી બેઠા કે જાણે કોઇ બીજું કામ ન હોય. સાથે મિત્ર કદિર પીરઝાદા પણ હતા. વાતોમાં ખાનદાની ટપકતી જોઇ. હું સોનિયાજીની કડક ટીકા કરું છું તે તેઓ જાણે છે. કોંગ્રેસ કલ્ચર પ્રગટ થયું. એવું જ શંકરસિંહ વાઘેલા અને શક્તિસિંહ ગોહિ‌લ આવ્યા ત્યારે પણ અનુભવેલું. મારું વલણ વાચકોને સમજાય તે માટે મારા લેખનાં બે મથાળાં જ પ્રસ્તુત છે:
૧. (ન્યુક્લિયર સંધિના સંદર્ભે) કોંગ્રેસ ફુલ્લી પાસ, ભાજપ ફુલ્લી નપાસ (દિ. ભા. ૯-૯-૨૦૦૭)
૨. મોદી કષ્ટથી સાવધાન (દિ. ભા. ૩૦-૧૨-૨૦૦૭)

દૃશ્ય: ૭
સોનિયા ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું ત્યારે પ્રમુખ સીતારામ કેસરીની અવદશા કરી હતી તે યાદ છે? રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટ દ્વારા જે ઓર્ડિનન્સ સ્વીકારાયો હતો તેના ટુકડા કર્યા અને વટ માર્યો ત્યારે વડાપ્રધાન મનમોહન સિંહ અપમાનિત થયા અને વળી અમેરિકામાં હતા ત્યારે હા, હા, હા પરિવારમુક્ત કોંગ્રેસ મને વહાલી છે.(તા. ૨પ-૭-૨૦૧૪)’
પાઘડીનો વળ છેડે
સ્નેહીશ્રી ગુણવંતભાઇ,
‘દિવ્ય ભાસ્કર (૧૩-૭-૨૦૧૪)માં ‘કોંગ્રેસમુક્ત ભારતને બદલે પરિવારમુક્ત કોંગ્રેસ’ અંગે તમે જે સૂચન કર્યું છે તે યથાર્થ છે… મારા છેલ્લા ૪૦ વર્ષના કોંગ્રેસમાં કામ કર્યાના અનુભવ પરથી એવા તારણ પર આવ્યો છું કે કોંગ્રેસમાં અનેક શક્તિશાળી, પ્રામાણિક અને દેશસેવાને સમર્પિ‌ત લોકો છે, પરંતુ તેમને કામ કરવાની તક ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે તેઓ કોંગ્રેસનું નેતૃત્વ કરનાર પરિવારના કૃપાપાત્ર બને. આ સંજોગોમાં ભવ્ય ભૂતકાળને જીવંત કરવા પરિવારમુક્ત કોંગ્રેસ આજની જરૂરિયાત છે.
કૃષ્ણકાંત વખારિયા (પત્ર: ૧૩-૭-૨૦૧૪)
નોંધ: શ્રી વખારિયા મારા પ્રશંસક નથી, કડક ટીકાકાર છે, પરંતુ વિચારભેદને કારણે અંગત દ્વેષ રાખનારા ‘બૌદ્ધિક બબૂચક’ પણ નથી. તેઓ ચીમનભાઇ પટેલના ખાસ મિત્ર હતા. ‘વિશ્વગૂર્જરી’ સંસ્થા દ્વારા તેઓ વિવિધ દેશોના ગુજરાતી સમાજને જોડે છે.

‘કોંગ્રેસ કલ્ચર’ એટલે શું? હું જે લખું તેને જુબાની ગણવા વિનંતી છે, મિ લોર્ડ કોંગ્રેસ કલ્ચર સમજાય તે માટે ફિલ્મના પડદા પર દૃશ્યો જુઓ તે જ રીતે અહીં કેટલાંક દૃશ્યો રજૂ કરવા છે. તો હવે ચાલો મારી સાથે સાથે

ગુણવંત શાહ

નરેન્દ્ર મોદીનું નવું વર્ષ કેવું હશે? DIVYA BHASKER. 20-10-2014

સત્યનિષ્ઠા વિનાની કોરીધાકોડ બુદ્ધિનિષ્ઠા ઘણા ઉપદ્રવો પેદા કરતી હોય છે. અસત્યના પોટલામાં સંતાયેલી આવી બુદ્ધિખોર માનસિકતાને કારણે જ ‘સેક્યુલરિઝમ’ જેવો પવિત્ર શબ્દ બદનામ થયો. યુવાની સર્વોદયના રંગે રંગાયેલી હતી ત્યારે એક અનોખી ઘટના બનેલી. સત્યનિષ્ઠા અને બુદ્ધિનિષ્ઠાના સમન્વયનું એવરેસ્ટ દાદા ધર્માધિકારી જેવા વિચારકમાં ચરિતાર્થ થતું જોવા મળેલું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરેલા પ્રથમ પ્રવચનમાં દાદાનો ઉલ્લેખ કર્યો ત્યારે અંદરથી હરખ થયેલો. વિચારોની સ્વતંત્ર અભિવ્યક્તિ માટે વર્ષોથી દાદા મારા રોલ-મોડલ રહ્યા છે.

જેમનાં મૂળિયાં માર્ક્સવાદમાં હોય અને પછી જેઓ મહાત્મા ગાંધી તરફ વળ્યા હોય એવા બે મહાનુભાવોનો પરિચય થયો એ મારું સદ્ભાગ્ય! એક હતા ભોગીલાલ ગાંધી અને બીજા છે લોર્ડ ભીખુ પારેખ. બંનેનું સૌજન્ય સો ટચનું. બંને ખુલ્લા મનના વિચારક અને બંનેને એવી પત્નીઓ મળી, જેને કારણે સહજીવન સુગંધમય બન્યું. છેલ્લા ત્રણેક મહિના દરમ્યાન ભીખુભાઇ સાથે મારા ઘરે છ-સાત કલાક સુધી વિચારવિમર્શ ચાલ્યો. પ્રથમવાર મળ્યા ત્યારે ચર્ચાના કેન્દ્રમાં નરેન્દ્ર મોદી હતા. બીજી વાર મળ્યા ત્યારે ચર્ચાના કેન્દ્રમાં મહાત્મા ગાંધી હતા. લોકતંત્રમાં બનતી સૌથી સુંદર ઘટના કઇ? ‘દ્વેષરહિત અસંમતિ’ લોકતંત્રની ખરી શોભા ગણાય. Let us agree to disagree without being disagreeable. ખુલ્લું મન પવિત્રતાનું મંદિર છે.

નરેન્દ્ર મોદીનું નવું વર્ષ કેવું જશે? મને જ્યોતિષમાં લગીરે શ્રદ્ધા નથી. તા. 9મી ઓક્ટોબર (2014)ને દિવસે ભીખુભાઇ ચા-પાણી માટે આવ્યા ત્યારે અંગ્રેજીમાં લખેલી નોંધ સાથે લેતા આવ્યા. અત્યારે એ નોંધ મારા હાથમાં છે. મારું એવું માનવું છે કે એ નોંધમાં નરેન્દ્રભાઇનું ઉજ્જ્વળ ભવિષ્ય પ્રગટ થયું છે અને સાથોસાથ થોડીક ચેતવણી પણ છતી થઇ છે. નિરપવાદ તટસ્થતા ભીખુભાઇની સંપ્રાપ્તિ છે. આ નોંધના પ્રથમ પાંચ મુદ્દા અત્યંત હકારાત્મક છે, જ્યારે બીજા ચાર મુદ્દાને ભીખુભાઇ ‘My concerns’ તરીકે રજૂ કરે છે. હવે હું ખસી જાઉં છું અને આપણે ભીખુભાઇએ જે લખ્યું તેનો અનુવાદ કાન દઇને સાંભળીએ:

નરેન્દ્રભાઇએ એવું કશું જ કહ્યું નથી કે કર્યું નથી, જેથી લઘુમતીઓ અળગાપણું અનુભવે કે ગભરાટ પામે હકીકતમાં તેમણે લઘુમતીઓને ધીરજ બંધાવી છે.

– પરદેશમાં વસતા ભારતીય લોકોમાં તેમણે અપાર સ્વાભિમાન જગાવ્યું છે, એ લોકોમાં કલ્પનાને પ્રદીપ્ત કરી છે અને એમને ભારતના વિકાસમાં ફાળો આપવા માટે અામંત્રિત કર્યા છે. હકીકતમાં તો તેઓએ ભારતીય અસ્મિતાના વિચારની નવી વ્યાખ્યા કરીને વિદેશમાં વસતા ભારતીય લોકોને રાષ્ટ્રીય પરિવારના સરખા ભાગીદાર ગણાવ્યા છે. આવું અગાઉ કોઇ અન્ય વડાપ્રધાને કર્યું નથી.

– જો આપણે સાંપ્રત વિધાનસભાની ચૂંટણીઓ બાજુએ રાખીએ, તો નમો ભારતના વડાપ્રધાન તરીકે વર્ત્યા છે, નહીં કે કેવળ ભાજપના એક નેતા તરીકે. આ તફાવત તારવવાનું સહેલું નથી, પરંતુ એ તફાવત મહત્ત્વનો છે, નેહરુ અને વાજપેયીએ એમ કર્યું હતું, પરંતુ બીજાઓએ કર્યું ન હતું.

– પોતાની નીતિઓ અને પોતાનાં પગલાંના ટેકામાં સતત ગાંધીનું નામ આગળ કરીને એમણે આર.એસ.એસ.નાં ગાંધીવિરોધી તત્ત્વોને શિથિલ કરીને હકીકતમાં તો આર.એસ.એસ.નાં વર્તુળોમાં અગત્યની ચર્ચા જગાવી છે આવું કરવામાં, પણ એમને પક્ષે આર.એસ.એસ.ની અસરથી ભાજપને સુરક્ષિત રાખવાની વ્યૂહરચના હોય એમ જણાય છે.

– આર્થિક વિકાસની સાથોસાથ પાયાની જરૂરિયાતો અને સેવાઓ તરફ યોગ્ય ધ્યાન અપાઇ રહ્યું છે.

આ પાંચ હકારાત્મક મુદ્દાઓ રજૂ કર્યા પછી ચાર મુદ્દાઓ અંગે ભીખુભાઇએ પોતાની ચિંતા (concern) પણ નિર્ભયપણે પ્રગટ કરી છે. સાંભળો:

– શાસનશૈલી અતિશય કેન્દ્રિત છે અને અંગત છે. ટીમના સર્જનની જરૂર છે.
– ઉચ્ચ શિક્ષણમાં થોડાંક ગતકડાં બાદ કરતાં સમગ્ર કાર્યક્ષેત્ર ઉપેક્ષિત છે.
– પહેલ ઘણીબધી થાય છે, પરંતુ અનુકાર્ય (follow up) થતું નથી.
– વિદેશનીિતમાં ઘણા મોરચે કામ થાય છે, પરંતુ એનું સંકલન સુધરવું જોઇએ.

ભીખુભાઇની આ નોંધ નરેન્દ્રભાઇ સુધી પહોંચે ખરી? ખુલ્લા મનથી પ્રગટ થયેલા આ વિચારોમાં કશુંક એવું તત્ત્વ પડેલું છે, જેમાં પૂર્વગ્રહનો અંશ પણ ન હોય. પ્રિય વાચકોને નૂતન વર્ષની શુભકામના પાઠવીને એક જ વાત કહેવી છે: ‘આપણું મન ખુલ્લું રાખીએ.’ નરક એટલે શું? પૂર્વગ્રહોના મ્યુઝિયમ જેવું મન એટલે જ નરક! પછી ખુલ્લા મનના ભીખુભાઇ સાથે મારા ઘરે જે બીજી બેઠક થઇ (9-10-2014)તેમાં કેવળ ગાંધીજી કેન્દ્રમાં હતા. ભીખુભાઇએ કેટલાક પશ્ચિમના વિચારકોનાં લખાણોનો હવાલો આપીને ગાંધીજીની કેટલીક મર્યાદાઓનો ઉલ્લેખ કર્યો. જવાબમાં મારા શબ્દો ઓછા હતા અને તે આ પ્રમાણે હતા:

બધી મર્યાદાઓ સ્વીકારી લઇએ
અને બધી વિગતો સાચી માનીએ,
તોય એક વાત મારા મનમાં બિલકુલ પાકી છે:
ગાંધીજીએ ‘સત્યનો હાઇવે’ ક્યારેય
છોડ્યો હતો ખરો?
એમને મહાત્મા કહેવા માટે શું
આટલું ઓછું છે?
(લખ્યા તા. 11-10-2014)

પાઘડીનો વળ છેડે
1. અમેરિકન ભારતીયોને સંબોધીને વિશ્વના 120 દેશોમાં રહેતા 2.40 કરોડ જેટલા ભારતીયોને, તમે પારકા નથી, તમે અમારા જ છો- એમ કહીને ભાવનાત્મક રીતે વડાપ્રધાને આવકાર્યા હતા.
2. નરેન્દ્ર મોદીને રૂબરૂ જોવાની એક ઝલક પામવા માટે સમગ્ર અમેરિકામાંથી લોકો મેડિસન સ્ક્વેર ખાતે પહોંચ્યા હતા. ખાસ કરીને ગુજરાતીઓ તો નરેન્દ્રભાઇને જોઇને જ ખુશ થઇ ગયા હતા.
3. સિનિયર સિટિઝન્સમાં જ નહીં, પણ યુવાનોમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા મહત્ત્વની બાબત પુરવાર થશે.
4. મહાત્મા ગાંધી પછી સ્વચ્છતા આંદોલનમાં લોકોને જોડી રહ્યા છે. મહાત્મા ગાંધી પછી સ્વચ્છતાનું આંદોલન મોટા પ્રમાણમાં શરૂ કરાવનાર કોઇ નેતા હોય, તો તે નરેન્દ્ર મોદી જ છે.
5. યુવાનોને પણ ભારત પ્રત્યે અને ખાસ કરીને ગંગા સ્વચ્છ કરવાના અભિયાનમાં જોડવામાં આવશે. આ ઉપરાંત મૂળ ભારતીયોને તેઓ જે સ્કૂલમાં ભણ્યા હતા તેના પ્રત્યે સક્રિય થવા પ્રેર્યા હતા.
– લોર્ડ ભીખુ પારેખ
નોંધ: તા. 30-09-2014ના દિવસે વડોદરાના અખબારમાં પ્રગટ થયેલા પ્રવચનનો રિપોર્ટ.

ખુલ્લા મનથી પ્રગટ થયેલા આ વિચારોમાં કશુંક એવું તત્ત્વ પડેલું છે, જેમાં પૂર્વગ્રહનો અંશ પણ ન હોય. પ્રિય વાચકોને નૂતન વર્ષની શુભકામના પાઠવીને એક જ વાત કહેવી છે: ‘આપણું મન ખુલ્લું રાખીએ.’

ગુણવંત શાહ