આ ત્રણેય નેતાઓની શાસનશૈલીમાં રહેલી નક્કરતા (Solidity) અને રાષ્ટ્રનિષ્ઠા સમજવા જેવી છે.
વાત ઘણી નાજુક છે. વળી ગેરસમજનું જોખમ રોકડું છે. ગેરસમજથી ડરનારા મનુષ્યે કલમ ઝાલવાની ગુસ્તાખી ન કરવી જોઈએ. ઈમેજ અને ઈમાન વચ્ચેની ટક્કર સદીઓથી ચાલતી રહી છે. છગન અને મગન વચ્ચે કે પછી સવિતા અને કવિતા વચ્ચે પણ કદી સરખામણી ન હોઈ શકે. સરખામણીમાં ભારોભાર હિંસા રહેલી છે. સરદાર એટલે સરદાર. મોરારજી એટલે મોરારજી. મોદી એટલે મોદી આ ત્રણે મહાનુભાવો વચ્ચે સરખામણી કેવી? એ ત્રણેને જોડનારો એક અદૃશ્ય સેતુ જડી આવ્યો છે. એ સેતુ સમજવા જેવો છે. દિમાગથી કામ લેવું પડશે.સ્વરાજ મળ્યું તે પહેલાંનાં વર્ષોમાં ગાંધીજીમાં ઊંડી શ્રદ્ધા રાખનારા કર્મનિષ્ઠ અને ચારિત્ર્યવાન કોંગ્રેસીઓની મશ્કરી કરવામાં સામ્યવાદી-સમાજવાદી-ડાબેરીઓ સદા ઉત્સુક રહેતા.
માર્કસવાદી હોય તે મનુષ્ય આપોઆપ પ્રગતિવાદી, ઈન્ટેલેક્ચ્યુઅલ અને ગરીબનો બેલી ગણાતો. સર્વોદયમાં શ્રદ્ધા રાખનારા નિષ્ઠાવંત સેવકોને એ બોલકણો માક્ર્સવાદી ‘બુઝૂર્વા’ કહીને ભાંડતો. આવા પ્રગતિશીલ ગણાતા બેવકૂફ પાસે ચારિત્ર્યની મૂડી ન હોય, તોય એ ચારિત્ર્યવાન સેવકને સાણસામાં લેતો. સુરતમાં સ્વચ્છ સેવક ગોરધનદાસ ચોખાવાળાને સામ્યવાદી જશવંત ચૌહાણ દલીલમાં હરાવી દેતા. આવી ફેશનખોર ડાબેરી જમાત આજે પણ છે. એ જમાતે સરદાર પટેલને ‘રાઇટ રીએક્શનરી’ કહીને ખૂબ ભાંડેલા. એ જ બુદ્ધિખોર જમાતે મોરારજી દેસાઈને ખૂબ ગાળો દીધેલી. એ જ દંભખોર જમાતનો ‘મોદી દ્વેષ’ આજે પણ કાયમ છે. સરખામણીથી બચીને આ ત્રણે મહાનુભાવો ડાબેરી જમાત દ્વારા જે રીતે અમથા વગોવાયા તેની વાત ટૂંકમાં કરવી છે. સેતુ સોલિડ છે, પરંતુ ત્રણે મહાનુભાવો સરખા નથી.
ઈમેજ અને ઈમાન વચ્ચેની ટક્કર સદીઓથી ચાલતી રહી છે. સરખામણીમાં ભારોભાર હિંસા રહેલી છે. સરદાર એટલે સરદાર. મોરારજી એટલે મોરારજી. મોદી એટલે મોદી આ ત્રણે મહાનુભાવો વચ્ચે સરખામણી કેવી? એ ત્રણેને જોડનારો એક અદૃશ્ય સેતુ જડી આવ્યો છે. એ સેતુ સમજવા જેવો છે.
ગુણવંત શાહ