વડોદરા: ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને ચિંતક ગુણવંત શાહે સાહિત્ય ક્ષેત્રે આપેલા પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મને એવોર્ડ મળે તેની ક્યારેય રાહ જોઇ ન હતી. પરંતું મને પદ્મશ્રી એવોર્ડની થયેલી જાહેરાતથી હું અને મારું પરિવાર ખૂશ છે. દિવ્ય ભાસ્કર વેબસાઇટ સાથે તેમણે કરેલી વાતચિત અત્રે પ્રસ્તુત છે.
આપણે એવોર્ડ માટે પ્રતિક્ષા કરવી પડી હોય તેમ લાગે છે?
ગુણવંત શાહ: બીલકુલ નહીં. મેં એવોર્ડની રાહ ક્યારેય જોઇ નથી. પરંતુ, છેલ્લા પાંચ વર્ષથી એવી અફવા કાને અથડાતી હતી કે, આ વખતે ગુણવંતભાઇને એવોર્ડ મળશે, આ વખતે અફવા સાચી પડી.
સમાજ ઘડતરમાં લેખકો અને કટાર લેખકોની ભૂમિકા શું હોવી જોઇએ?
ગુણવંત શાહ: જે લેખક પોતે જે માનતો હોય તેને દબાવીને કશુંક લખે તે સમાજનો દ્રોહ કરે છે, તેને સમાજ વિશે લખવાનું બંધ કરી દેવું જોઇએ.
આગળ ક્લિક કરો અને વાંચો તેમની સાથે થયેલી વાતચીતના વધુ અંશો….
(તમામ તસવીરો: જીતુ પંડ્યા, વડોદરા)