નરેન્દ્ર મોદીનું નવું વર્ષ કેવું હશે? DIVYA BHASKER. 20-10-2014

સત્યનિષ્ઠા વિનાની કોરીધાકોડ બુદ્ધિનિષ્ઠા ઘણા ઉપદ્રવો પેદા કરતી હોય છે. અસત્યના પોટલામાં સંતાયેલી આવી બુદ્ધિખોર માનસિકતાને કારણે જ ‘સેક્યુલરિઝમ’ જેવો પવિત્ર શબ્દ બદનામ થયો. યુવાની સર્વોદયના રંગે રંગાયેલી હતી ત્યારે એક અનોખી ઘટના બનેલી. સત્યનિષ્ઠા અને બુદ્ધિનિષ્ઠાના સમન્વયનું એવરેસ્ટ દાદા ધર્માધિકારી જેવા વિચારકમાં ચરિતાર્થ થતું જોવા મળેલું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરેલા પ્રથમ પ્રવચનમાં દાદાનો ઉલ્લેખ કર્યો ત્યારે અંદરથી હરખ થયેલો. વિચારોની સ્વતંત્ર અભિવ્યક્તિ માટે વર્ષોથી દાદા મારા રોલ-મોડલ રહ્યા છે.

જેમનાં મૂળિયાં માર્ક્સવાદમાં હોય અને પછી જેઓ મહાત્મા ગાંધી તરફ વળ્યા હોય એવા બે મહાનુભાવોનો પરિચય થયો એ મારું સદ્ભાગ્ય! એક હતા ભોગીલાલ ગાંધી અને બીજા છે લોર્ડ ભીખુ પારેખ. બંનેનું સૌજન્ય સો ટચનું. બંને ખુલ્લા મનના વિચારક અને બંનેને એવી પત્નીઓ મળી, જેને કારણે સહજીવન સુગંધમય બન્યું. છેલ્લા ત્રણેક મહિના દરમ્યાન ભીખુભાઇ સાથે મારા ઘરે છ-સાત કલાક સુધી વિચારવિમર્શ ચાલ્યો. પ્રથમવાર મળ્યા ત્યારે ચર્ચાના કેન્દ્રમાં નરેન્દ્ર મોદી હતા. બીજી વાર મળ્યા ત્યારે ચર્ચાના કેન્દ્રમાં મહાત્મા ગાંધી હતા. લોકતંત્રમાં બનતી સૌથી સુંદર ઘટના કઇ? ‘દ્વેષરહિત અસંમતિ’ લોકતંત્રની ખરી શોભા ગણાય. Let us agree to disagree without being disagreeable. ખુલ્લું મન પવિત્રતાનું મંદિર છે.

નરેન્દ્ર મોદીનું નવું વર્ષ કેવું જશે? મને જ્યોતિષમાં લગીરે શ્રદ્ધા નથી. તા. 9મી ઓક્ટોબર (2014)ને દિવસે ભીખુભાઇ ચા-પાણી માટે આવ્યા ત્યારે અંગ્રેજીમાં લખેલી નોંધ સાથે લેતા આવ્યા. અત્યારે એ નોંધ મારા હાથમાં છે. મારું એવું માનવું છે કે એ નોંધમાં નરેન્દ્રભાઇનું ઉજ્જ્વળ ભવિષ્ય પ્રગટ થયું છે અને સાથોસાથ થોડીક ચેતવણી પણ છતી થઇ છે. નિરપવાદ તટસ્થતા ભીખુભાઇની સંપ્રાપ્તિ છે. આ નોંધના પ્રથમ પાંચ મુદ્દા અત્યંત હકારાત્મક છે, જ્યારે બીજા ચાર મુદ્દાને ભીખુભાઇ ‘My concerns’ તરીકે રજૂ કરે છે. હવે હું ખસી જાઉં છું અને આપણે ભીખુભાઇએ જે લખ્યું તેનો અનુવાદ કાન દઇને સાંભળીએ:

નરેન્દ્રભાઇએ એવું કશું જ કહ્યું નથી કે કર્યું નથી, જેથી લઘુમતીઓ અળગાપણું અનુભવે કે ગભરાટ પામે હકીકતમાં તેમણે લઘુમતીઓને ધીરજ બંધાવી છે.

– પરદેશમાં વસતા ભારતીય લોકોમાં તેમણે અપાર સ્વાભિમાન જગાવ્યું છે, એ લોકોમાં કલ્પનાને પ્રદીપ્ત કરી છે અને એમને ભારતના વિકાસમાં ફાળો આપવા માટે અામંત્રિત કર્યા છે. હકીકતમાં તો તેઓએ ભારતીય અસ્મિતાના વિચારની નવી વ્યાખ્યા કરીને વિદેશમાં વસતા ભારતીય લોકોને રાષ્ટ્રીય પરિવારના સરખા ભાગીદાર ગણાવ્યા છે. આવું અગાઉ કોઇ અન્ય વડાપ્રધાને કર્યું નથી.

– જો આપણે સાંપ્રત વિધાનસભાની ચૂંટણીઓ બાજુએ રાખીએ, તો નમો ભારતના વડાપ્રધાન તરીકે વર્ત્યા છે, નહીં કે કેવળ ભાજપના એક નેતા તરીકે. આ તફાવત તારવવાનું સહેલું નથી, પરંતુ એ તફાવત મહત્ત્વનો છે, નેહરુ અને વાજપેયીએ એમ કર્યું હતું, પરંતુ બીજાઓએ કર્યું ન હતું.

– પોતાની નીતિઓ અને પોતાનાં પગલાંના ટેકામાં સતત ગાંધીનું નામ આગળ કરીને એમણે આર.એસ.એસ.નાં ગાંધીવિરોધી તત્ત્વોને શિથિલ કરીને હકીકતમાં તો આર.એસ.એસ.નાં વર્તુળોમાં અગત્યની ચર્ચા જગાવી છે આવું કરવામાં, પણ એમને પક્ષે આર.એસ.એસ.ની અસરથી ભાજપને સુરક્ષિત રાખવાની વ્યૂહરચના હોય એમ જણાય છે.

– આર્થિક વિકાસની સાથોસાથ પાયાની જરૂરિયાતો અને સેવાઓ તરફ યોગ્ય ધ્યાન અપાઇ રહ્યું છે.

આ પાંચ હકારાત્મક મુદ્દાઓ રજૂ કર્યા પછી ચાર મુદ્દાઓ અંગે ભીખુભાઇએ પોતાની ચિંતા (concern) પણ નિર્ભયપણે પ્રગટ કરી છે. સાંભળો:

– શાસનશૈલી અતિશય કેન્દ્રિત છે અને અંગત છે. ટીમના સર્જનની જરૂર છે.
– ઉચ્ચ શિક્ષણમાં થોડાંક ગતકડાં બાદ કરતાં સમગ્ર કાર્યક્ષેત્ર ઉપેક્ષિત છે.
– પહેલ ઘણીબધી થાય છે, પરંતુ અનુકાર્ય (follow up) થતું નથી.
– વિદેશનીિતમાં ઘણા મોરચે કામ થાય છે, પરંતુ એનું સંકલન સુધરવું જોઇએ.

ભીખુભાઇની આ નોંધ નરેન્દ્રભાઇ સુધી પહોંચે ખરી? ખુલ્લા મનથી પ્રગટ થયેલા આ વિચારોમાં કશુંક એવું તત્ત્વ પડેલું છે, જેમાં પૂર્વગ્રહનો અંશ પણ ન હોય. પ્રિય વાચકોને નૂતન વર્ષની શુભકામના પાઠવીને એક જ વાત કહેવી છે: ‘આપણું મન ખુલ્લું રાખીએ.’ નરક એટલે શું? પૂર્વગ્રહોના મ્યુઝિયમ જેવું મન એટલે જ નરક! પછી ખુલ્લા મનના ભીખુભાઇ સાથે મારા ઘરે જે બીજી બેઠક થઇ (9-10-2014)તેમાં કેવળ ગાંધીજી કેન્દ્રમાં હતા. ભીખુભાઇએ કેટલાક પશ્ચિમના વિચારકોનાં લખાણોનો હવાલો આપીને ગાંધીજીની કેટલીક મર્યાદાઓનો ઉલ્લેખ કર્યો. જવાબમાં મારા શબ્દો ઓછા હતા અને તે આ પ્રમાણે હતા:

બધી મર્યાદાઓ સ્વીકારી લઇએ
અને બધી વિગતો સાચી માનીએ,
તોય એક વાત મારા મનમાં બિલકુલ પાકી છે:
ગાંધીજીએ ‘સત્યનો હાઇવે’ ક્યારેય
છોડ્યો હતો ખરો?
એમને મહાત્મા કહેવા માટે શું
આટલું ઓછું છે?
(લખ્યા તા. 11-10-2014)

પાઘડીનો વળ છેડે
1. અમેરિકન ભારતીયોને સંબોધીને વિશ્વના 120 દેશોમાં રહેતા 2.40 કરોડ જેટલા ભારતીયોને, તમે પારકા નથી, તમે અમારા જ છો- એમ કહીને ભાવનાત્મક રીતે વડાપ્રધાને આવકાર્યા હતા.
2. નરેન્દ્ર મોદીને રૂબરૂ જોવાની એક ઝલક પામવા માટે સમગ્ર અમેરિકામાંથી લોકો મેડિસન સ્ક્વેર ખાતે પહોંચ્યા હતા. ખાસ કરીને ગુજરાતીઓ તો નરેન્દ્રભાઇને જોઇને જ ખુશ થઇ ગયા હતા.
3. સિનિયર સિટિઝન્સમાં જ નહીં, પણ યુવાનોમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા મહત્ત્વની બાબત પુરવાર થશે.
4. મહાત્મા ગાંધી પછી સ્વચ્છતા આંદોલનમાં લોકોને જોડી રહ્યા છે. મહાત્મા ગાંધી પછી સ્વચ્છતાનું આંદોલન મોટા પ્રમાણમાં શરૂ કરાવનાર કોઇ નેતા હોય, તો તે નરેન્દ્ર મોદી જ છે.
5. યુવાનોને પણ ભારત પ્રત્યે અને ખાસ કરીને ગંગા સ્વચ્છ કરવાના અભિયાનમાં જોડવામાં આવશે. આ ઉપરાંત મૂળ ભારતીયોને તેઓ જે સ્કૂલમાં ભણ્યા હતા તેના પ્રત્યે સક્રિય થવા પ્રેર્યા હતા.
– લોર્ડ ભીખુ પારેખ
નોંધ: તા. 30-09-2014ના દિવસે વડોદરાના અખબારમાં પ્રગટ થયેલા પ્રવચનનો રિપોર્ટ.

ખુલ્લા મનથી પ્રગટ થયેલા આ વિચારોમાં કશુંક એવું તત્ત્વ પડેલું છે, જેમાં પૂર્વગ્રહનો અંશ પણ ન હોય. પ્રિય વાચકોને નૂતન વર્ષની શુભકામના પાઠવીને એક જ વાત કહેવી છે: ‘આપણું મન ખુલ્લું રાખીએ.’

ગુણવંત શાહ

નવી સરકાર, નવી આબોહવા અને નવો એજન્ડા. DIVYA BHASKER 16-5-2014

આ લેખ લખતી વખતે લાભ એ છે કે ચૂંટણીના પરિણામની જાણ નથી. લેખ પ્રગટ થશે ત્યારે નવી સરકારનો સૂર્યોદય થઇ ચૂક્યો હશે. નવી સરકાર, નવી આબોહવા અને નવો એજન્ડા હા, ભારત જેવા મહાન દેશમાં ઉશ્કેરાટ પણ રોમેન્ટિક બની શકે છે. લોકતંત્રમાં નવી સરકાર આવે એ પરમ પવિત્ર ઘટના છે કારણ કે નવી સરકાર પ્રજાના ઉન્મેષની પ્રતિનિધિ છે. નવા વડાપ્રધાન રાહુલ ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય, પરંતુ પ્રજાનો ચુકાદો તો પવિત્ર જ હોવાનો હવે ભ્રષ્ટાચારનું આવી બન્યું પ્રજાની ધીરજ ખૂટી છે તેથી ધીમી ગતિએ લંગડાતી સરકાર હવે નહીં ચાલે. જાગ્રત પ્રજાની અસહિ‌ષ્ણુતા લોકતંત્રની શોભા છે.

આજે નવા વડાપ્રધાનના કાનમાં થોડાક શબ્દો કહેવાની પ્રબળ ઇચ્છા ઊગી છે. ઇસુ ખ્રિસ્ત પહેલાં જુલિયસ સીઝર પેદા થયેલો. યુદ્ધમાં આસપાસના પ્રદેશો સાથેના યુદ્ધમાં ભવ્ય વિજય મેળવીને રાજા સીઝર જ્યારે રોમ પાછો ફર્યો ત્યારે એક એવી ઘટના બની, જે નવા વડાપ્રધાન માટે ખૂબ જ ખપ લાગે તેવી છે. રોમની પ્રજાના ઉત્સાહનો પાર ન હતો અને જુલિયસ સીઝરનો પ્રચંડ જયઘોષ થતો હતો, ત્યારે કોઇ ન જાણે એમ સીઝરે પોતાના મિત્રને બોલાવ્યો અને કહ્યું: ‘લોકોના આવા પ્રચંડ જયઘોષ વચ્ચે તારે મારી પાસે ઊભા રહીને સતત મને ધીમા અવાજે કહ્યા જ કરવાનું છે: ‘સીઝર તું ઇશ્વર નથી, પરંતુ માણસ છે.’

સત્તા હોય ત્યાં અચૂક અભિમાનની ખેતી હોવાની વિજય કાચો પારો છે, જે ઝટ પચતો નથી. કવિ દયારામ સાચું કહી ગયા: ‘સિંહણ કેરું દૂધ સિંહણ સૂતને જરે.’ સમર્થ શાસકની એક આંખમાં કરડાકી હોય છે અને બીજી આંખમાં પ્રેમ હોય છે. સરદાર પટેલ આવા સમર્થ શાસક હતા. કૃત્રિમ નમ્રતા અભિમાનની જ દાસી જાણવી. નવા વડાપ્રધાન સુધી આવી વિચિત્ર વાત કોણ પહોંચાડે? ભલે રહી આપણી પાસે અસહિ‌ષ્ણુતા (અમર્ષ)નો મહિ‌મા ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’માં સુંદર રીતે થયો છે. લવ અને કુશ અશ્વમેધ યજ્ઞના ઘોડાને રોકે છે. રામની સેના સામે યુદ્ધે ચડેલ બંને રામપુત્રો જંૃભકાસ્ત્ર દ્વારા રામની સેનાને બેભાન બનાવી દે છે. લક્ષ્મણપુત્ર ચંદ્રકેતુ લવકુશના પરાક્રમથી પ્રભાવિત થાય છે અને શરમ અનુભવે છે.

એટલામાં પુષ્પક વિમાનમાં રામ આવી પહોંચે છે. ચંદ્રકેતુ બાજી સંભાળી લે છે અને લવ પ્રત્યે રામના મનમાં અનોખી સંવેદના જન્મે છે. કુશ ત્યાં હાજર નથી હોતો. ચંદ્રકેતુ કુશના પરાક્રમની પ્રશંસા કરે છે અને રામને કહે છે: ‘જે મહાન વીર હોય તેને તો અસહિ‌ષ્ણુતા પણ શોભે (અમર્ષ: અપિ શોભતે મહાવીરસ્ય).’ ટૂંકમાં અસહિ‌ષ્ણુતા કાયમ નિંદનીય નથી હોતી. ભ્રષ્ટાચાર સામે પ્રજાકીય અસહિ‌ષ્ણુતા જરૂર શોભે. એવી અસહિ‌ષ્ણુતા દેશમાં જગાડવા માટે અણ્ણા હજારે, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, મનીષ સિસોદિયા અને કુમાર વિશ્વાસ જેવા કર્મશીલોનું પ્રદાન ઝટ ભુલાય તેવું નથી. પછી જે થયું તે હરખાવા જેવું નથી. નવી સરકાર ગમે તે પક્ષની હોય, દેશને વિસલ બ્લોઅર્સ (સિસોટિયા)ની જરૂર રહેવાની. લોકસભાને એક રામમનોહર લોહિ‌યા પણ જીવતી રાખી શકે. ચારિત્ર્ય જેવી મહાન શક્તિ બીજી કોઇ નથી.

નવી આબોહવાનો સંબંધ ‘સેક્યુલર ભ્રષ્ટાચાર’ની નાબૂદી સાથે રહેલો છે. પૂરાં ૬૬ વર્ષ સુધી આવો ભ્રષ્ટાચાર ફેશનને નામે પોષાતો રહ્યો છે.
તમે જો માનવતાવાદી હો,
તો તમારે જૂઠું બોલવાની શી જરૂર?
તમે જો કરુણાવાન કર્મશીલ હો,
તો તમારે અપ્રામાણિક બનવાની શી જરૂર?
જો તમે સાચામાચ સેક્યુલર હો,
તો તમારું વલણ કોમવાદી શા માટે?
અરુણા રોય, હર્ષ મંદર, તિસ્તા સેતલવડ, શબનમ હાશમી અને અન્ય માનવ-અધિકારવાદીઓ જાણીતા છે, તોય આદરણીય નથી. કારણ? કાશ્મીરી પંડિતો પોતાના જ દેશમાં અસહ્ય ક્રૂરતા વેઠયા પછી રાતોરાત ભાગી છૂટયા અને નિરાશ્રિત બની ગયા આજે પણ તેઓ નિરાશ્રિત જ રહ્યા છે.

ઉપર ગણાવ્યાં તેમાંથી કોઇએ પણ આ નિરાશ્રિતોને ઇન્સાનનો દરજ્જો આપીને પોતાનો અવાજ ઉઠાવ્યો ખરો? ગોધરા ખાતે ટ્રેનના ડબ્બામાં પ૮ મનુષ્યો જીવતા બળી ગયા તેમને આ માનવ-અધિકારવાદીએ ‘મનુષ્ય’ ગણ્યા ખરા? દેશમાં કુલ ૧પ૦૦ ફેક એન્કાઉન્ટર્સ થયાં, તેમાં ૧૪ ગુજરાતમાં થયાં. આ કહેવાતા માનવ-અધિકારવાદીઓએ ગુજરાત સિવાયના એક પણ ફેક એન્કાઉન્ટર સામે અવાજ ઉઠાવ્યો ખરો? આવા વલણને હું ‘સેક્યુલર માફિયાગીરી’ કહું, તો તેમાં મારો કોઇ વાંક ખરો? નવી સરકાર આવી બેશરમ માફિયાગીરી ચલાવી લઇ શકે ખરી? પ્રજાકીય અસહિ‌ષ્ણુતા એ માટે તૈયાર નથી. અપેક્ષાઓ એવી તો જન્મી છે કે એ વિસ્ફોટક બનીને નવી સરકાર સામે બળવો કરવા ઉતાવળી બને. સરકાર ગમે તે પક્ષની હોય તેથી શું? ‘પ્રજાકીય ઉતાવળ’ પણ ઉપકારક બનવાની છે.

નવો એજન્ડા કેવો હશે? ભારતનું એક પણ ગામ વીજળી-સડક-પાણીથી વંચિત ન રહે તેવો ‘સેક્યુલર એજન્ડા’ બીજો કયો? ગામની નિશાળ એ જ ‘ગ્રામમાતા’ છે. તાલુકાની હોસ્પિટલ એ જ ગ્રામજનો માટે કરુણામંદિર ગણાય. ૬૬ વર્ષ દરમ્યાન આટલુંય ન થયું? નવી સરકાર પાસે વિકાસનો નકશો સ્પષ્ટ છે. જરૂર છે ધ્યેયપ્રાપ્તિ માટે જરૂરી એવી રાજકીય પ્રતિબદ્ધતાની. બ્રિટનની લેબર પાર્ટીના સિનિયર નેતા એન્યુરિન બિવાને કહેલું: ‘સોશિયલિઝમ ઇઝ ધ પોએટ્રી ઓફ પ્રાયોરિટીઝ.’ નવા વડાપ્રધાન પાસે દર્શન હોવું જોઇએ જેમાં એટલું સ્પષ્ટ હોય: ‘પહેલું શું? ઇકોનોમિક ડેમોક્રસી વિના રાજકીય ડેમોક્રસી પણ જામતી નથી. ઉદ્યોગો ન સ્થપાય તો બેરોજગારી ટળતી નથી. બેરોજગારી ન ટળે તો ખરીદશક્તિ વધતી નથી.

ખરીદશક્તિ વિનાના સમાજમાં ગરીબીનો મુકામ કાયમી હોય છે. ગરીબી ગુનાની જન્મદાત્રી છે. ગાંધીજીએ કહ્યું હતું: ‘ગરીબી એ હિંસાનું સૌથી વરવું સ્વરૂપ છે.’ નવા વડાપ્રધાને દેશને એવી પ્રતીતિ કરાવવી પડશે કે ગરીબી કાયમી નથી અને એ ટળે તે માટે ઉજાગરા કરવા હું તૈયાર છું. નવા વડાપ્રધાનને ઢીલી ઢીલી વાતો કરવાની છૂટ હવે પ્રજા નહીં આપે. લક્ષ્મણપુત્ર ચંદ્રકેતુની વાતમાં દમ છે કારણ કે પ્રબુદ્ધ અસહિ‌ષ્ણુતા (એનલાઇટન્ડ ઇનટોલરન્સ) લોકતંત્રની જણસ છે. જે કોઇ નવા વડાપ્રધાન બન્યા હોય તેમને આજથી પાંચેક હજાર વર્ષો પર કુરુક્ષેત્રમાં બાણશૈયા પર પોઢેલા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિ‌રને રાજધર્મ સમજાવ્યો ત્યારે કહેલા શાણા શબ્દો અર્પણ કરું છું:

જેમ વસંત ઋતુમાં સૂર્ય
અત્યંત શીતલ કે અત્યંત ઉગ્ર નથી હોતો,
તેમ રાજાએ સદા કોમળ કે સદા કઠોર નથી થવાનું.
રાજાએ ગર્ભવતી સ્ત્રી જેવા થવાનું છે,
જે મનગમતું ત્યજીને પણ ગર્ભને જાળવે છે.
– (શાંતિપર્વ,
અધ્યાય પ૬)
નવી સરકારને શુભેચ્છા, નવા વડાપ્રધાનને અભિનંદન અને ભારતીય પ્રજાને અભિવંદન
(લખ્યા તા. ૧૪-પ-૨૦૧૪)’

પાઘડીનો વળ છેડે
અમારે માટે રાહુલે શું કર્યું?
એ જાણે છે ખરા કે
અહીં વીજળી
બાર વખત આવે છે અને
પંદર વખત ચાલી જાય છે?
– મિથિલેશ કુમારી (ગામની સરપંચ)
(‘Outlook’, ૧૨-પ-૨૦૧૪, પાન-૨૩)

નોંધ: આ ગામ રાહુલ ગાંધીના મતવિભાગ અમેઠી પંથકમાં જ આવેલું છે. ગુજરાત મોડેલની નિંદા કરવાનો રાહુલ ગાંધીને સંપૂર્ણ અધિકાર છે, પરંતુ ગુજરાતનાં બધાં ગામોમાં ચોવીસે કલાક વીજળી મળે છે તેનું શું?

નવી સરકાર પ્રજાના ઉન્મેષની પ્રતિનિધિ છે.નવા વડાપ્રધાન રાહુલ ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય, પરંતુ પ્રજાનો ચુકાદો તો પવિત્ર જ હોવાનો હવે ભ્રષ્ટાચારનું આવી બન્યું પ્રજાની ધીરજ ખૂટી છે તેથી ધીમી ગતિએ લંગડાતી સરકાર હવે નહીં ચાલે. જાગ્રત પ્રજાની અસહિ‌ષ્ણુતા લોકતંત્રની શોભા છે.

ગુણવંત શાહ

નરેન્દ્ર મોદીના સ્ટાર-પ્રચારક રાહુલ ગાંધી. DIVYA BHASKER. 16-2-2014

‘દીસંતા, કોડીલા, કોડામણા’ રાહુલ ગાંધીએ એક ટીવી ચેનલ પર આપેલા ઇન્ટરવ્યૂમાં કુલ છ વખત ‘સીસ્ટમ’ બદલવાની વાત કરી. શું વંશવાદ પણ એ ભૂંડી સીસ્ટમનો જ એક ભાગ નથી?

આ દુનિયામાં સૌથી ભૂંડી બાબત કઇ? આ પ્રશ્નનો મારો જવાબ થોડો વિચિત્ર લાગશે. તટસ્થ દેખાવા માટે વિચારપૂર્વક અને પટુતાપૂર્વક બોલાતું રૂપાળું અસત્ય આપણા સંસારની અત્યંત ગંદી બાબત છે. આવી ગંદી બાબતને જે મનુષ્ય લલિત કલામાં ફેરવી નાખે તેને ‘લિબરલ બૌદ્ધિક’ કહેવાનો કુરિવાજ હવે ધીમે ધીમે ઘસાતો જાય છે. ટીવી પર થતી ચર્ચામાં હવે કોંગ્રેસ અને ભાજપના પ્રવક્તાઓને પત્રકારો કોઇની પણ સાડાબારી રાખ્યા વિના રોકડું પરખાવે ત્યારે લોકતંત્રના મંદિર પર સત્યની ધજા ફરકતી દીસે છે. પક્ષાતીત હોવાનો એવો અર્થ નથી કે સત્યાતીત હોવું.

ખુલ્લું મન ન ધરાવતો પ્રત્યેક કટ્ટર અને મતાગ્રહી મનુષ્ય અંદરથી ‘ફાસિસ્ટ’ ગણાય. એવો મનુષ્ય આંખ મીંચીને મહાત્મા ગાંધીનું તાણે તોય ફાસિસ્ટ રાહુલ ગાંધીએ એક ટીવી ચેનલ પર પત્રકારને આપેલા ઇન્ટરવ્યૂની વાત ખુલ્લા મનથી કરવી છે ત્યારે તટસ્થતા નહીં, સત્યસ્થતાને કેન્દ્રમાં રાખવાનો મારો સંકલ્પ પાકો છે. મારી વાત સાથે અસંમત થનાર મનુષ્ય મારો શત્રુ નથી. ‘દીસંતા, કોડીલા, કોડામણા’ રાહુલ ગાંધી કોઇ પણ યુવતીને ગમી જાય એવા મનોહર જણાયા. મને વારંવાર એક વિચાર પજવે છે. જે દિવસે રાહુલ ગાંધી આ પૃથ્વી પર ગમે તે દેશમાં વિચરતી અને વિચારતી કોઇ મુગ્ધાના ગળાડૂબ પ્રેમમાં પડશે, ત્યારે આજે છે તેના કરતાં અધિક પરિપક્વ જણાશે.

હવે મોડું થઇ રહ્યું છે. પ્રતીક્ષા વધારે પડતી લાંબી થતી જાય ત્યારે એ ઠંડી પડી જાય એવી શક્યતા રહે છે. લગ્ન કર્યા વિના પણ તેઓ જો ક્યાંકથી ‘પ્રેમ-અમીરસ’ પામે, તો કદાચ દેશને એક સમર્થ નેતા મળે એમ બને. આજે તો સતત એમની વાણીમાં અને એમના વર્તનમાં કશુંક ખૂટતું જણાયા કરે છે. તેઓ વારંવાર એવો બફાટ કરી પાડે છે કે પક્ષના વડીલો ટીવી પર એમનો લૂલો બચાવ કરવા માટે તૈયાર જ હોય છે. કેબિનેટે પસાર કરેલા વટહુકમને રાહુલ ગાંધીએ જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં ‘નોનસેન્સ’ કહીને ફંગોળી દીધો ત્યારે મનમોહન સિંહ સિવાયના અન્ય કોઇ પણ સ્વમાની વડાપ્રધાને રાજીનામું ધરી દીધું હોત. ટીવીની ચેનલ પર જે ઇન્ટરવ્યૂ થયો તેમાં એમણે ત્રણ વાતો એવી કરી જેમાં સત્યનો રણકો હતો:

‘(૧) રાહુલ ગાંધી સ્ત્રીઓનું સશક્તિકરણ થાય એવું ઇચ્છે છે. (૨) હું રાઇટ ટુ ઇન્ફોર્મેશન (દરક) બિલ લાવવાની પ્રક્રિયામાં સંકળાયેલો હતો. (૩) મેં યૂથકોંગ્રેસમાં અને કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન (ટફળક)માં લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા ચૂંટણીપૂર્વક કામકાજ થાય તેની શરૂઆત કરી છે.’ રાહુલભૈયાની આ ત્રણે વાતોમાં દમ છે. છેલ્લાં પાંચસાત વર્ષો દરમિયાન પ્રધાનપદું સ્વીકારવાને બદલે કોંગ્રેસ સંસ્થાને મજબૂત કરવાની પ્રક્રિયામાં એમણે આપેલું યોગદાન અવગણી શકાય તેમ નથી. તેઓએ સતત વ્યસ્થાતંત્રના બદલાવ (સીસ્ટેમિક ચેન્જ)ની હિ‌માયત કરી છે અને પૂરી નિષ્ઠાથી કરી છે.

ક્યારેક એમની વાતો ન સમજાય તેવી લાગે તોય એમાં રહેલું સત્ય પકડવા જેવું છે. ઇન્ટરવ્યૂમાં મને ગમી ગયેલી વાતોનો આ સાર છે. ભારત જેવા બચરવાળ અને ગરીબીમાં ડૂબેલા દેશમાં ઝડપભેર કશુંય થઇ શકતું નથી. આ એક એવો દેશ છે, જ્યાં ઉતાવળ પણ ઠંડી હોય છે અને નિિષ્ક્રયતા જ ગરમ હોય છે. ખાલી જઠરો અને ભરેલાં ગર્ભાશયોની વિપુલ સંખ્યા ધરાવનારા આ દેશમાં વિકાસ નામની સુપરફાસ્ટ ટ્રેન પણ બધાં સ્ટેશને થોભતી થોભતી ચાલે છે રાહુલ ગાંધી પણ લાચાર છે. બધો વાંક એન્જિન ડ્રાઇવરનો નથી હોતો.પત્રકારને રાહુલ ગાંધીએ આપેલા પ્રથમ વિસ્તુત ઇન્ટરવ્યૂની વિગતો અંગે વાત કરતાં પહેલાં કેટલાંક અવલોકનો વહેંચવાં છે:

૧. ઇન્ટરવ્યૂ લેનાર પત્રકારે વધારે પડતી આક્રમકતા બતાવીને રાહુલને નર્વસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રત્યે જે વિનય દાખવવો જોઇએ તે પત્રકારે બતાવ્યો ન હતો. ૨. ઇન્ટરવ્યૂ દરમિયાન એક પણ વખત રાહુલ ગાંધીએ સામેથી કોઇ જ આક્રમકતા બતાવી ન હતી. એમણે દોઢ કલાક દરમિયાન પોતાનું વિવેકપૂર્ણ આભિજાત્ય આબાદ જાળવી રાખ્યું હતું. ૩. ઇન્ટરવ્યૂમાં જે પ્રશ્ન પુછાય તેને ધરાર અવગણીને રાહુલે આગળથી તૈયાર રાખેલાં વાક્યોનું રટણ વારંવાર કર્યું હતું. પ્રશ્નો સ્પષ્ટ હતા અને જવાબો અસ્પષ્ટ અને ક્યારેક સાવ અધ્ધરતાલ હતા. ૪. ઇન્ટરવ્યૂને અંતે રાહુલને લાભને બદલે ગેરલાભ થયો. આડકતરી રીતે તેમણે નરેન્દ્ર મોદીને લાભ થાય તેવું કર્યું. આવું પ્રથમ વાર નથી બન્યું.

વિગતોની વાત પર આવીએ. વંશવાદ (ૈન્ખ્ૂજ્ઞ્ન્)ના પ્રશ્ન અંગે રાહુલે સ્પષ્ટ કહ્યું: ‘હું વંશવાદની સદંતર વિરુદ્ધ છું.’ આવું વાક્ય તેઓ કઇ રીતે બોલી શકે? પંડિત નેહરુ, પછી ઇન્દિરા અને પછી રાજીવ ગાંધી વડાપ્રધાનનું પદ સંભાળે તેવી રાજકીય અને ઐતિહાસિક ઘટનાનો ઇનકાર શી રીતે થઇ શકે? રામ જેટલાં વર્ષ વનમાં રહ્યા તેટલાં વર્ષથી સોનિયા ગાંધી કોંગ્રેસ-પ્રમુખ છે. હજી તેઓ કેટલાં વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેશે? એ પદ ક્યારેય ગાંધી પરિવાર સિવાયના કોઇ અહમદ પટેલને કે કોઇ ચિદમ્બરમ્ને કે કોઇ જયંતી નટરાજનને મળશે ખરું? અરે કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે કોઇ સુશીલ શિંદે કે કોઇ અજય માકન કે કોઇ આદિત્ય સિંધિયાને ક્યારેય તક મળશે ખરી? રાહુલ ગાંધીએ કુલ છ વખત ઇન્ટરવ્યૂમાં ‘સીસ્ટમ’ બદલવાની વાત કરી. શું વંશવાદ પણ એ ભૂંડી સીસ્ટમનો જ એક ભાગ નથી?

૧૯૮૪માં શીખવિરોધી હત્યાકાંડ થયો. એ વાત નીકળી કે તરત જ ગુજરાતમાં ૨૦૦૨નાં હુલ્લડની વાત થઇ. બંને દુર્ઘટનાને લોકતંત્રનું કલંક ગણાવી શકાય. બંનેમાં નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યા. બસ અહીં સરખામણી પૂરી થાય છે. ૧૯૮૪માં માત્ર અને માત્ર શીખો મર્યા અને એક પણ હિ‌ન્દુ મર્યો ન હતો. ગુજરાતમાં પ૮ હિ‌ન્દુઓનાં મૃત્યુથી તો શરૂઆત થયેલી અને પછી ઘણા મુસલમાનોની હત્યા થઇ. દિલ્હીમાં શીખોને શોધી શોધીને મારવામાં આવ્યા ત્યારે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો ન હતો. ગુજરાતમાં પોલીસ ફાયરિંગ દરમ્યાન ૨૧૮ માણસો મર્યા, જેમાં મોટાભાગે હિ‌ન્દુઓ હતા. દિલ્હીમાં લશ્કર હાજર હતું તોય શીખોની મદદે ન બોલાવાયું, જ્યારે ગુજરાતમાં થોડાક કલાકોમાં લશ્કર બોલાવાયું.

અર્નબે કહ્યું: ‘ગુજરાતના મુખ્યપ્રધાનને ક્લીન ચિટ મળી છે.’ ૧૯૮૪ અને ૨૦૦૨ વચ્ચે સરખામણી જ ક્યાં રહી? આ પ્રશ્ને રાહુલે માફી ન માગી તે મને ગમ્યું. જેમણે ગુના બદલ સજા ભોગવવી પડે એવા રાજીવ ગાંધી અને નરસિંહ રાવ આજે હયાત નથી. રાજીવને કોઇપણ કર્મશીલે ‘માસ મર્ડરર’ કહ્યા ખરા? એ ગુના અંગે ફકર દ્વારા તપાસ થઇ ખરી? ભ્રષ્ટાચારને મુદ્દે રાહુલ ગાંધી આબાદ ફસાઇ ગયા લાલુપ્રસાદ સાથે કોંગ્રેસનું ગઠબંધન શી રીતે થઇ શકે? ભાવવધારો અને ફુગાવો કોણ દૂર કરશે? આમ આદમી પાર્ટીને ટેકો મોદીને સત્તાથી દૂર રાખવા માટે જ ને? આવા આવા ઘણા પ્રશ્નો પત્રકાર દ્વારા જબરી તીવ્રતાથી પુછાયા હતા. ગુજરાતની મોદી સરકારની વાજબી નિંદા કરવા માટે રાહુલે શક્તિસિંહ ગોહિ‌લ પાસેથી થોડીક નક્કર માહિ‌તી મેળવી હોત તો મોદી સરકાર માનવીય વિકાસ (ઋક)ને મુદ્દે લંગડાય છે એની વાત શંકરસિંહ વાઘેલા પાસેથી પણ જાણવા મળી હોત.

ગુજરાત સરકારની નબળી બાજુ વિશે રાહુલે વડીલ અહમદભાઇ પટેલની સલાહ આગળથી લીધી હોત તો આ રાહુલનો પ્રથમ વિસ્તૃત ઇન્ટરવ્યૂ હતો. ઇન્ટરવ્યૂમાં રાહુલની ‘નાદાન માસૂમિયત’ સહાનુભૂતિ જગાડે તેવી હતી. સાવ જ અજાણપણે એમણે ઘણી વાર નરેન્દ્ર મોદીના સ્ટાર-પ્રચારકની ભૂમિકા નિભાવી છે. ઇન્ટરવ્યૂથી કોંગ્રેસને રોકડો ગેરલાભ થયો એ નક્કી. સત્યને મોડા પડવાની ટેવ ખરી, પરંતુ વિલીન થવાની ટેવ નથી હોતી. (૩૦ જાન્યુઆરી, ૨૦૧૪, ગાંધીનિર્વાણ દિન).’
પાઘડીનો વળ છેડે
જ્યારે ભરતી
ઓસરી જાય,
ત્યારે જ
ખબર પડે છે
કે તરતી વખતે
નગ્ન કોણ હતું
– વોરન બફેટ

Secular Idiot

Can there be anything called a ‘legitimate police encounter’ in a civilized society that believes in human rights?

No way. So by that yardstick, a police official gunning down any terrorist should be branded as a killer. Should we accept this theory, no terrorist could ever be liquidated. What could a cop do but fire when confronting a terrorist? We surely do not expect him to do Bharat Natyam!

If a fake encounter is illegal, then why is only Gujarat singled out and maligned? Mohanlal Sharma, a brave Delhi cop had killed 40 criminals in fake encounters. He reached the Delhi-based Jamia Nagar flat, with full consent of the then Home Minister Shivraj Patil. Out of the four criminals holed up there, two managed to flee whereas the remaining two got shot dead. But in the ensuing encounter, Mohanlal Sharma was martyred. Had he not been killed, he would have been labeled a killer. What logic is this? Wasn’t it a fake encounter? It happened during the Congress rule.

For the past seven years, it has been fashionable among the media to tarnish the image of Gujarat even if it means disregarding the facts and distorting the truth. Have a look at these facts. In the last seven years, from September 2002 till 2009, a total of eight police encounters took place in Gujarat in which 16 people lost their lives.

On the other hand, in 2001-2002, when the current police commissioner D Shivanand was Jt. Commissioner, Crime Branch, his men were involved in more than 50 encounters in just one year. Incidentally, during the same period the maximum number of encounters (253) had taken place in Uttar Pradesh.

Currently, the encounter of a college-going girl Ishrat has kicked up a storm. Ishrat was accompanied by three men. On 15 June, 2004, all four were killed in an encounter on the outskirts of Ahmedabad. One of them was Javed Sheikh who was a Hindu converted to Islam. He had two passports, one with his Hindu name and the other with his Muslim name.

On the 6 of August this year, the affidavit that was presented to Mumbai High Court by the central Home ministry indicated that all four of them had links with Lashkar-e-Toiba. If Ishrat was so innocent, why would she come all the way from Mumbai to Ahmedabad with three unknown men? Just to have a stroll around the Kankaria Lake?

The above-mentioned Affidavit says: ‘It came to the notice of the security agencies of the union government that Javed was in regular touch with LeT operatives particularly Muzammil to carry out terrorist actions against Gujarat…’

What should the police do when four terrorists descend in Ahmedabad? Had police officer Vanzara been shot dead, he would have been considered a martyr, but since he is alive, he is behind bars. Long live India, long live your secularism, and long live your human rights! If a tiger breaks into your lane, do not kill him, you may get a bad name.

After Swarajya, a new animal was born at the Delhi-based Jawaharlal Nehru University. It’s name is ‘Secular Idiot’. Want to know its characteristics?

The Secular Idiot means a progressive intellectual, who would not see any good quality in the Hindu mindset and remains blind to any shortcomings of the Muslim mindset.

Such a singularly lopsided and partisan attitude of the ‘secular idiot’ leads to a communal gulf between the communities. You will often find such idiots in high profile debates on TV, sprinkling rose water over the issue of human rights. Is it because they have not lost their dear ones to terrorists?

Let the Gujaratis be aware. The ruling Congress party is convinced about one thing beyond doubt that if there is anyone who can take on the party, it is only one man: Narendra Modi. They cannot rest in peace until they ruin him. Congress spokesman Manish Tiwary has already called the Modi government a ‘man eater’.

If this is true, then what adjectives would you use for the Rajiv Gandhi government which desisted from using even a mild lathi charge when nearly 4000 Sikhs were massacred in the 1984 riots? Will the Congress indulge in vote-bank politics even while confronting terrorists?

Let the Congress regime at Delhi decide and declare that there would be no fake encounters at the Center or in Congress-ruled states. Only after such resolution will they earn the moral right to take revenge against the ‘man-eater’ government of Narendra Modi.

Any takers?

X-Ray

“Ask the marching soldier where he is heading..”

Do you remember this line in the Sunil Dutt and Nanda starrer ‘Usne Kaha Tha’?

Have you seen any Secular Idiot who could understand the agony of the police officer’s wife, before he sets out for an encounter?

Translated from the article by Dr Gunvant B. Shah, published in the Chitralekha issue dated 28 September 2009