The BJP has no good intentions in choosing Adityanath to be Chief Minister

– by Gunvant Shah (From Divya Bhaskar, 19 March 2017)

Fanaticism is never innocent. Fanaticism even for Gandhian thought would end up being a mockery of Gandhian philosophy. Hindu fanaticism takes away from the glory of Hindutva.

In an earlier article in my column, I called Adityanath ‘non-yogi Adityanath’. Even today I am not willing to use the word ‘yogi’ for him. I firmly believe that he is not a yogi, but a non-yogi. The Gita says in Chapter 2, Verse 66:

“One who is bereft of self-control cannot attain wisdom. Without wisdom one can never meditate. One who cannot meditate, cannot achieve peace, and without peace how can one attain happiness?”

This verse of the Gita fits Adityanath to a T.

The word ‘yogi’ has been made cheap and laden with negative connotations. Adityanath says:

-‘A woman’s place is in the kitchen, not in parliament’.

– Comparing Shahrukh Khan to the terrorist Hafiz Saeed Aditynath had said, ‘Shahrukh Khan should go to Islamabad.’

– ‘Those who oppose yoga and the Surya Namaskar should be drowned in the ocean.’

– ‘Graveyards should be wiped out not only in U.P., but throughout the country.’(I quote from memory.)

– ‘If the BJP wins by a clear majority in U.P, we will shut down cow slaughterhouses and the Ram Mandir will be built.’ (I quote from memory.)

Such statements reflect complete lack of self-control. Can a yogi speak like that? Do the Vedas, Upanishads or the Gita sanction this uncontrolled language? Does Adityanath’s face show the serenity of a yogi’s face? I don’t have the guts to call such an ordinary politician a yogi or a sadhu. I believe that this step will take BJP towards the destruction of political ethics.

Years ago, after talking to the respected Morarjibhai Desai at his residence Osiana on Marine Drive, I touched his feet when I was about to leave. Morarjibhai reprimanded me in his gruff voice, “You give me too much respect.” I said, “Morarjibhai, I consider you a true sadhu. Otherwise I avoid bowing down before many who wear the sadhu’s robes.”

My IQ is not that low that I will accept anyone in saffron uniform as a sadhu. (By the way, I did my Ph.D. on IQ tests.) Come on, even Ravan had taken on the guise of a sadhu. The saffron robes don’t suit Adityanath. They used to really suit Swami Vivekanand. But the Hindus don’t seem to give up on the bad habit of blind faith.

When I had a heart attack, my friend Arif Mohammed Khan came specially to see me from Delhi. I had invited my friend Lord Bhikhu Parekh to come home too on that occasion. We spoke for a full two hours. The true downfall of the Congress party began after the ruling on the Shahbano case. That unfortunate incident extracted a heavy political price from a true secular Muslim like Arif Mohammed. Both Bhikhubhai and I listened to Arifbhai attentively.

The wipeout of the Congress in U.P. today stemmed from the pleasing of the Mullahs after the Shahbano case, at the cost of the rights of women. Arifbhai told us something interesting. Whenever the mullahs met Rajiv Gandhi to discuss the Shahbano case, Najma Heptullah was there, to represent the case. She is with the BJP today and the Governor of Manipur. That is called poetic justice!

The BJP will see a similar downfall; the choice of Adityanath is the first step towards it. I am not an astrologer, but I am daring to make a forecast. Listen:

1. The Congress party will scrape through in 2024 with a small majority and the BJP will be defeated.

2. The BJP will win in 2019 because of the political momentum it has already gained at present and because of Narendra Modi’s dedication to work. After 8-10 years, Narendra Modi may not be as energetic as he is now, then his party will falter. But by then, he will have achieved much that will give him recognition as the ‘Development Man’(VikaasPurush).

3. There will be rebellion within the Congress party and dynasty politics will end. In 2019 you will see the funeral of corrupt secularism as practiced by the Congress.

Will you file this article? I may not be around at that time.

After all, fanaticism that is Hindu or Muslim is still fanaticism, fanaticism, fanaticism. There can be no compromise on this score. What else can I say?

Even if Adityanath as Chief Minister gives good governance, I cannot accept him. A senior Congress party man said to me over the phone: “What is the harm if someone wears saffron robes? He runs a free canteen and a hospital in his monastery that benefits a lot of Muslims as well. I said – I cannot condone Adityanath’s hatred of Muslims.”

One of the signs of good governance is that the minority does not even feel a shadow of threat in their minds. Who is going to send this message to Prime Minister Modi? What does it matter if Muslims who benefit from Adityanath’s governance praise him?

The huge victory of the BJP in U.P. may have an unfortunate outcome. The Muslim vote bank has lost its edge, and the Hindu vote bank has emerged in a solid form. As a result, the BJP won’t need the Muslim votes any more. And the political leverage that a vote gives them will end. It is not very valid to say that the Congress misrule is the only cause of this.

The Congress until now has used the Muslim minority and pampered its backwardness. Now the BJP will use the Hindu majority. Congress secularism was polluted. In the same way, the BJP’s Hindutva is equally polluted.

The Prime Minister is not the Prime Minister of one community. No one doubts his competence. Let that competence give peace of mind to the minority as well!

Only a secular democracy can make real the mantra of ‘Together with all, development for all’ (Sab ka Saath, Sab ka Vikaas). Will Narendrabhai pass this test? This is not only a mantra for elections. It is a Gandhian mantra; it has the essence of the Sarvodaya movement. Does Adityanath have that essence?

Footnote:

“Justice and force must be brought together, so that whatever is just may be powerful and whatever is powerful may be just.” – Blaise Pascal, French mathematician, physicist, inventor, writer, and Christian philosopher.

I dedicate this meaningful quotation to the Prime Minister.

(Translated from Gujarati by Batul Mukhtiar)

ભારતનો Mr. ગરીબ કાયમ છેતરાતો જ રહ્યો છે! DIVYA BHASKER, 24-2-2015

સમાજવાદના નશામાં ઈન્દિરા ગાંધીએ ‘ગરીબી હટાવ’ જેવું આકર્ષક સૂત્ર વહેતું મેલ્યું. પરિણામે મતના ઢગલા થયા, પરંતુ ગરીબી ન હટી. લાલુ યાદવે ગરીબોને નામે પંદર વર્ષ રાજ કર્યું, પરંતુ બિહાર પાયમાલ થયું!

1977ના વર્ષમાં જ્યારે જનતા પક્ષની સરકાર બની ત્યારે વિનય પ્રગટ કરવા માટે પશ્ચિમ બંગાળના સામ્યવાદી મુખ્યપ્રધાન જ્યોતિ બસુ વડાપ્રધાન મોરારજી દેસાઈને મળવા ગયા. જ્યારે જ્યોતિબાબુ વિદાય લેવા માટે ઊભા થયા ત્યારે મોરારજીભાઈએ એમને એક એવું વાક્ય કહ્યું જેમાં ફેડરલ લોકતંત્રની શોભા પ્રગટ થઈ. મોરારજીભાઈએ કહ્યું : ‘જ્યોતિબાબુ, તમે અન્ય પક્ષના મુખ્યપ્રધાન છો તે કારણસર કેન્દ્ર સરકાર તમારા રાજ્યને એક રૂપિયો પણ ઓછો નહીં આપે એની ખાતરી રાખજો.’

દિલ્હીની ચૂંટણીમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યા પછી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જ્યારે વડાપ્રધાનને પ્રથમ વાર મળે ત્યારે નરેન્દ્ર મોદી આવી ખાતરી કેજરીવાલજીને આપશે ખરા? મને શ્રદ્ધા છે કે નરેન્દ્રભાઈ ફેડરલ લોકતંત્રને હાનિ પહોંચે એવું કશુંય નહીં કરે. જો ઓરમાયું વર્તન કેન્દ્ર સરકાર નહીં બતાવે, તો વડાપ્રધાનની ગરિમા વધશે. વિજય ભવ્ય છે, પરંતુ આભિજાત્ય એનાથી પણ વધારે ભવ્ય ગણાશે. લોકતંત્રનો આધાર પણ આવું અાભિજાત્ય છે.

ગઈ સદીમાં એચ.જી. વેલ્સ જેવા સમાજવાદી વિચારકે કહેલું :
દરેક દેશમાં બે રાષ્ટ્ર
વસેલાં હોય છે
એક રાષ્ટ્ર ધનવાનોનું
અને બીજું રાષ્ટ્ર ગરીબોનું!
આજે પણ ભારતીય લોકતંત્ર માટે આ વિધાન વાસી નથી જણાતું. આમ આદમી પાર્ટીનો ઝળહળતો વિજય ગરીબોના રાષ્ટ્રનો વિજય છે. દુનિયાના સૌથી મોટા ગણાતા લોકતંત્રની સૌથી વિકરાળ મર્યાદા કઈ? એ જ કે ભારતનો Mr. ગરીબ સ્વરાજ મળ્યું ત્યારથી કાયમ છેતરાતો જ રહ્યો છે. સૌથી મોટા આશ્ચર્યથી વાત એ છે કે ગરીબોના બેલી ગણાતા નેતાઓ દ્વારા જ એ સતત છેતરાયો છે. વાત વિચિત્ર લાગી? તો હવે હકીકતોની મદદ લઈએ.

‘ગરીબમિત્ર’ ગણાતા સામ્યવાદી પક્ષના ત્રીસ વર્ષના શાસન દરમિયાન પશ્ચિમ બંગાળની ગરીબીને ઊની આંચ પણ આવી નહોતી. સામ્યવાદી પક્ષને હરાવીને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ તો દોઢગણી ‘ગરીબમિત્ર’ નીકળી? સિંગુરમાં દીદીએ જે ચળવળ ચલાવી તેથી તાતાનો નેનો પ્લાન્ટ ગુજરાતમાં આવ્યો. આજે મમતા દેશના ઉદ્યોગપતિઓ આગળ ખોળો પાથરે છે, તોય એ રાજ્યમાં રોકાણ કરવા કોઈ ઉદ્યોગપતિ તૈયાર નથી. સમાજવાદના નશામાં ઈન્દિરા ગાંધીએ ‘ગરીબી હટાવ’ જેવું આકર્ષક સૂત્ર વહેતું મેલ્યું. પરિણામે મતના ઢગલા થયા, પરંતુ ગરીબી ન હટી. લાલુ યાદવે ગરીબોને નામે પંદર વર્ષ રાજ કર્યું, પરંતુ બિહાર પાયમાલ થયું! મુલાયમ અને માયાવતીએ તો ઉત્તરપ્રદેશની પાયમાલીને પણ ચાર ચાંદ લગાવી દીધા!

વિશ્વ પર નજર માંડીએ. સમતાવાદી (ઈગેલિટેરિયન) અર્થતંત્ર રશિયાને, ચીનને અને પૂર્વ યુરોપના દેશોને ખૂબ જ મોંઘું પડ્યું. એ દેશોએ લિબરલ મૂડીવાદી અર્થતંત્ર સ્વીકારીને ભૂલ સુધારી લીધી છે. કોંગ્રેસી વડાપ્રધાન નરસિંહ રાવે નાણાપ્રધાન મનમોહન સિંહની મદદથી લિબરલ અર્થનીતિ સ્વીકારી અને સમાજવાદ પડતો મૂક્યો. દેશમાં ગરીબી દૂર કરવાની ખરેખરી શરૂઆત નરસિંહ રાવે કરી ગણાય.

એમની સાથે એ અંગે અડધો કલાક સુધી વાતો કરવાની તક મને ન્યુ યોર્કની રામડા હોટેલ (મેનહેટન)માં તા. 27મી સપ્ટેમ્બર 2003ના દિવસે મળી હતી. હજી સુધી કોઈ સરકારે એમની અર્થનીતિમાં ફેરફાર નથી કર્યો. ભારતનો Mr. ગરીબ એના આદર્શવાદી અને સમાજવાદી મિત્રો દ્વારા જ વારંવાર છેતરાયો છે. યહ કડવા સચ હૈ.ગરીબોની ધીરજ ખૂટી છે. તેઓ પોતાની આસપાસ ધનસમૃદ્ધિનો નગ્ન નાચ જુએ છે. ગરીબનાં અરમાનો ગરીબ નથી હોતાં. ‘Fiddler on the Roof’ નામની યાદગાર ફિલ્મમાં એક યહૂદી ખેડૂત નાચતો જાય અને ગાતો જાય છે :

હું પૈસાદાર બની જાઉં,
તો શું કરું?
મારા બંગલામાં ત્રણ દાદર રાખું.
એક દાદર ઉપર જવા માટે,
બીજો દાદર નીચે ઊતરવા માટે
અને ત્રીજો દાદર, બસ એમ જ!

વડનગરના વામન મોદીએ ગરીબોનાં અરમાન જગાડી મૂક્યાં છે. એ વામન સાડાત્રણ ડગલાં ભરવા માટે નિષ્ઠાપૂર્વક મંડી પડ્યો છે. ગરીબીને પંપાળનારો સૌથી ભૂંડો શબ્દ છે: ‘મફત.’ આમ આદમી પાર્ટી (AAP)નો વિજય જેટલો સોલિડ છે, તેટલો જ ગરીબોનાં અરમાનોનો વિસ્ફોટ ભયજનક બની શકે છે. સોલિડ વિજય પણ સોલિડ અહંકારનો જનક બની શકે છે. પૂરા એક વર્ષ સુધી લોકો પ્રતીક્ષા કરશે, પણ પછી ઉઘરાણી કરશે. નરેન્દ્ર મોદી પ્રતીક્ષાકાળમાંથી પસાર થઈને ઉઘરાણીકાળમાં પ્રવેશી ચૂક્યા છે. જો આવાનારું બજેટ વિકાસલક્ષી હોવા ઉપરાંત ગરીબોની આંતરડી ઠારનારું ન હોય તો શત્રુઓ ટાંપીને બેઠા છે. હવે એમને કોંગ્રેસનો ડર નથી. એમને ખરો ડર સંઘ પરિવાર તરફથી રોજ રવાના થતો રહે છે.

સાધુવેશમાં અસાધુ એવા લોકો નાકની પેલે પાર જોવા તૈયાર નથી. દિલ્હીમાં ચર્ચ પર હુમલા શા માટે થાય? હિંદુ રાષ્ટ્રની વાત કરનારા શ્રી મોહન ભાગવત ભારતીય બંધારણના ગુરુત્વ મધ્યબિંદુ પર જ સીધો પ્રહાર કરે છે. લઘુમતીની વોટબેંકને પંપાળવી એ સેક્યુલર અનિષ્ટ છે, પરંતુ લઘુમતીમાં ડર પેદા કરવો એ કેવળ અનિષ્ટ જ નહીં, ગુનો પણ છે. ‘સબકા સાથ સબકા વિકાસ’ – જેવું મોદીસૂત્ર ઝંખવાણું પડતું રહ્યું છે. વડાપ્રધાન જો ખરા દિલથી લઘુમતી પ્રજાને ભરોસો ન પહોંચાડે, તો હિંદુત્વની અસલી શોભા કરમાઈ જશે. વડાપ્રધાનને ઠરીને દસ વર્ષ સુધી કામ કરવાની તક મળે એમાં રાષ્ટ્રહિત રહેલું છે. આવનારા બજેટની રાહ જોઈએ.

રાહુલ ગાંધીનું શું કરીશું? નટવર સિંહે હરીશ ખરેને સાચું કહ્યું હતું. : ‘એના (રાહુલ) પેટમાં આગ નથી. There is no fire in his belly.’ પરિવારની નાગચૂડમાંથી મુક્ત ન થાય, તો કોંગ્રેસ ખતમ થશે. ફરીથી કહેવું છે કે કોંગ્રેસ ખતમ થાય તે દેશના હિતમાં નથી. શિલા દીક્ષિતના પંદર વર્ષનો કારભાર ખોટો ન હતો. અરવિંદ કેજરીવાલનો કારભાર કોંગ્રેસના કારભાર કરતાં વધારે સારો હશે ખરો? એક વર્ષ સુધી રાહ જોવી રહી. અરવિંદ કેજરીવાલની પ્રામાણિકતા શંકાથી પર છે.

શાસનની સફળતા કેવળ પ્રામાણિકતા પર આધાર રાખનારી નથી. અરમાનો જ્વાળામુખીના ઝાડ પર જઈ બેઠાં છે. જે ગરીબમિત્ર અરમાનો જગાડે તેણે જ તે પૂરાં કરવાં રહ્યાં. દેશની ગરીબી દૂર કરવી હોય, તો માત્ર શુભ ઈરાદા ખપ ન લાગે. એ માટે ગૂડ ગવર્નન્સ (સુશાસન) જરૂરી બને છે. કોઈક શાણા માણસે સાચું કહ્યું છે : ‘નરકનો માર્ગ પણ શુભ ઈરાદાઓનો બનેલો હોય છે.’ સુશાસન ન હોય, તો ગરીબીને જબરી નિરાંત રહેતી હોય છે. આદરણીય અરવિંદભાઈ! ‘આપ’ કા સમય શુરૂ હોતા હૈ…. અબ!

(લખ્યા તા. 10-2-2015)
પાઘડીનો વળ છેડે
એ નોંધવું પ્રસ્તુત ગણાશે કે યુરોપ
યહૂદીઓનો, મુસલમાનોનો
અને બૌદ્ધોના સમાવેશ કરવા માટે
સેક્યુલર નહોતું બન્યું, પરંતુ
ખ્રિસ્તી ધર્મમાં જે કજિયો હતો
તેનાથી લોકોને રક્ષણ આપવા માટે
સેક્યુલર બન્યું હતું
અમેિરકાના સેક્યુલરિઝમનો ઉદ્્ભવ
પણ કંઈક આવો જ ગણાય.
ભારત પણ સેક્યુલર છે તે હિંદુઓને કારણે છે,
મુસ્લિમો, શીખો કે પારસીઓને કારણે નહીં.
તનવીર આલમ (ટા.ઓ.ઈ., 21-3-2014)
(દિલ્હીમાં સક્રિય કર્મશીલ).

સેક્યુલર સનેપાતથી બચો અને ઇસુની વાત માનો. DIVYA BHASKER 28-12-2015

સેક્યુલર સનેપાતના દિવસો હજી પૂરા નથી થયા. કદાચ હવે ‘હિંદુ અવિવેક’ આળસ મરડીને બેઠો થતો જણાય છે. અવિવેક કદી સેક્યુલર નથી હોતો કારણ કે એ માનવતાવિરોધી હોય છે.
કોઇ મનુષ્યનું ધર્મપરિવર્તન કરાવવું એ મહાપાપ છે એમ જો તમે માનતા હો, તો ઇસુ તમારી વાત સાથે પૂરેપૂરા સહમત છે. થોડાંક વર્ષ પહેલાં આદરણીય મોરારિબાપુ બારડોલીમાં રોકાયા હતા. બીજે દિવસે તેઓ ડાંગની એક સભામાં પ્રવચન માટે જવાના હતા. પ્રવચનોના કેન્દ્રમાં ધર્માંતરનો પ્રશ્ન હવામાં ચકરાતો હતો. રાતે બાપુ સાથે ફોન પર વાત થઇ ત્યારે મેં બાપુને કહ્યું: ‘બાપુ! ઇસુ ભગવાન ધર્માંતરના પ્રખર વિરોધી હતા અને બાઇબલમાં એમના શબ્દો પ્રગટ થયા છે.’ બાપુનો ભક્ત વડોદરાના મારા ઘરેથી બાઇબલની નકલ લઇ ગયો અને રાતોરાત મારી નિશાની સાથે એ પુસ્તક વહેલી સવારે બાપુ પાસે બારડોલી પહોંચી ગયું. ડાંગની મોટી સભામાં બાપુએ ઇસુ ભગવાનના કડવા શબ્દો વાંચી સંભળાવ્યા હતા:

ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ અને દંભીઓ!
તમારી કેવી દશા થશે?
તમે એક જણનો ધર્મપલટો કરવા માટે
પૃથ્વી પર અને સમુદ્ર પર ફરી વળો છો.
અને જ્યારે તે ધર્મપલટો કરે છે
ત્યારે તમે તેને તમારાં કરતાં
બમણા નરકને પાત્ર બનાવો છો.
(‘સંપૂર્ણ બાઇકલ’, અનુવાદકો: નગીનદાસ પારેખ અને ઇસુદાસ કવેલી, માથ્થી: પાન-35)

એ સભામાં આર.એસ.એસ.ના યુવાન પ્રવક્તા તરુણ વિજય પણ હાજર હતા. ત્રણ-ચાર દિવસ પછી એમનો ફોન દિલ્હીથી આવ્યો હતો અને એમણે મારી પાસે બાઇબલના અવતરણની વિશેષ જાણકારી માગી હતી. કોઇ પણ માણસને પોતાની ઓળખ બદલવી પડે તેના જેવી વિષમ અને કરુણ સ્થિતિ બીજી ન હોઇ શકે. કોઇ છોડને મૂળસોતો ઉખેડીને એને બીજે રોપવા જેવી જ એ બાબત ગણાય. જો ધર્માંતર કરાવવું એ પાપ હોય, તો પછી એની દિશા ગમે તે હોય તેથી શું? લાખો હિંદુઓ વટલાઇને મુસલમાન બન્યા તે પણ પાપ અને લાખો હિંદુઓ વટલાઇને ખ્રિસ્તી બન્યા એ પણ પાપ! એ જ રીતે ધર્મપરિવર્તન દ્વારા મુસલમાન કે ખ્રિસ્તીને હિંદુ બનાવવામાં આવે એ પણ પાપ! જો સેક્યુલર સનેપાતથી બચીને ઇસુની વાત માનીએ તો મહાત્મા ગાંધી પણ રાજી રાજી! એમણે કહેલું: ‘જો મારી પાસે સત્તા અને અધિકાર હોય તો હું બધી જાતનાં ધર્માંતરો નાબૂદ કરી નાખું.’ દાદા ધર્માધિકારી જેવા મૌલિક વિચારક કહેતા રહ્યા કે ધર્માંતર કેવળ ધર્માંતર ન રહેતાં ‘રાષ્ટ્રાંતર’ પણ બની રહે છે. કટ્ટરતા એક જ કામ કરે છે. એ ધર્મનું અથાણું કરી નાખે છે. કેરીધર્મ ઉમદા હોય છે, પરંતુ અથાણાધર્મ બડો ઉત્પાતિયો હોય છે. આજે માનવજાતને ઉત્પાતિયા અથાણાધર્મો પજવી રહ્યા છે.

‘સેક્યુલર સનેપાત’ ની વ્યાખ્યા શી? અત્યારે મારા હાથમાં લગભગ 35 વર્ષ પહેલાં મારી જ કટારમાં લખાયેલો લેખ (ગુ. મિત્ર, કાર્ડિયોગ્રામ, 30-5-1979). આદરણીય મોરારજી દેસાઇ ભારતના વડાપ્રધાન હતા. સંસદસભ્ય ઓમપ્રકાશ ત્યાગીએ લોકસભામાં ધર્માંતરવિરોધી બિલ રજૂ કર્યું ત્યારે શું બન્યું? કમનસીબે એ પસાર ન થયું. મધર ટેરેસાએ એ બિલનો વિરોધ કરવા માટેના સરઘસની આગેવાની લીધી હતી. મારી દૃષ્ટિએ એમ કરવામાં ઇસુના ઉપરોક્ત શબ્દોનો સ્પષ્ટ અનાદર હતો. એ બિલ તો કોઇ ખ્રિસ્તી કે મુસ્લિમ મનુષ્યને ધર્માંતર થકી હિંદુ બનાવી ન દેવાય તે સામે પણ ખપ લાગે તેવું ‘સેક્યુલર’ બિલ હતું. અમૃતા પ્રીતમે મધર ટેરેસાની સખત ઝાટકણી કાઢી હતી. બહુમતી જો ધર્માંતર કરાવે તો ગેરવાજબી ગણાય અને લઘુમતી ધર્માંતર કરાવે તો વાજબી ગણાય? આવા વલણમાં ન્યાય ક્યાં? આવા વલણમાં ઇસુ ક્યાં? આવા વલણમાં ગાંધીજી ક્યાં? ‘ન્યાય’ જેવી સેક્યુલર ઘટના બીજી કઇ હોઇ શકે? ‘સેક્યુલર સનેપાત’ એટલે એવા વલણનો જયજયકાર જેમાં બહુમતીને છોલવાની અને લઘુમતીને પંપાળવાની ફેશન હોય. બાકી સાક્ષી મહારાજ, (સાધ્વી?) નિરંજન જ્યોતિ, (યોગી?) આદિત્યનાથ કે આસારામની કડક આલોચના કરવામાં આ લખનારને બીજે નંબરે મૂકવાનો અવિવેક કોઇ પણ તટસ્થ વાચક નહીં કરે, કદી નહીં કરે. સેક્યુલર સનેપાતના દિવસો હજી પૂરા નથી થયા. કદાચ હવે ‘હિંદુ અવિવેક’ આળસ મરડીને બેઠો થતો જણાય છે. અવિવેક કદી સેક્યુલર નથી હોતો કારણ કે એ માનવતાવિરોધી હોય છે. એક સનેપાતનો સામનો બીજા સનેપાતથી થઇ શકે?

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના અંતેવાસી આચાર્ય ક્ષિતિમોહન સેને એક વાત નોંધી છે. કબીરના સમયમાં સિકંદર લોદીનું રાજ તપતું હતું. ક્ષિતિમોહન સેન નોંધે છે: ‘સિકંદર શાહે બ્રાહ્મણ બદૂનને પ્રાણદંડની સજા ફરમાવી હતી. બ્રાહ્મણનો અપરાધ એ હતો કે તેણે ભગવાનની આગળ સર્વે ધર્મો સરખા છે એવું જણાવ્યું હતું.’ (‘સાધનાત્રયી’ પાન- 274) કેટલાક ધર્માંધ મુસ્લિમ શાસકોના કારભાર (ઇ.સ. 712થી 1707) દરમિયાન બનેલા આવા અસંખ્ય બનાવો નોંધાયા પણ નહીં હોય. અરે! વટલાયેલા લાખો હિંદુઓના જ વંશવારસો કટ્ટરતાપૂર્વક મંદિરો તોડવામાં સક્રિય બન્યા હશે! કાળની લીલા અનંત છે.

ઇસુ અને ગાંધીને પરિતોષ થાય તેવી ઘટના ઓસ્લોમાં બની. નોબેલ પારિતોષિક સ્વીકારતી વખતે કૈલાસ સત્યાર્થીએ કરેલું પ્રવચન હૃદયસ્પર્શી હતું. એમણે પ્રવચનનો પ્રારંભ જ ઋગ્વેદના મંત્રથી કર્યો અને ઉપનિષદના મંત્રથી પ્રવચનની પૂર્ણાહુતિ કરી. મલાલા યુસુફઝાઇને પ્રવચન કરતી જોઇ ત્યારે મને ઝવેરચંદ મેઘાણીની ‘ચારણકન્યા’ યાદ આવી ગઇ. મલાલાને પાકિસ્તાન પૂરી સલામતી પણ પૂરી પાડી નહીં શકે. મલાલાનું પ્રવચન દિલના ઊંડાણમાંથી વહેતું થયું.

યુનોએ 177 દેશોના સમર્થનથી સર્વાનુમતે ઠરાવ્યું કે પ્રતિવર્ષ 21મી જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વભરમાં મનાવવામાં આવશે. ઇસુ મહાન યોગી હતા એવું ઋષિ યોગાનંદજીએ પોતાના (બેસ્ટ-સેલર) પુસ્તક ‘An Autobiography of A Yogi’માં વારંવાર જણાવ્યું છે. એક સૂચન કરું? આંતરરાષ્ટ્રીય કક્ષાએ દસ મહાન શબ્દોનો બધી જ ભાષાઓમાં સ્વીકાર થવો જોઇએ: (1) Dharma (2) Satya (3) Shanti (4) Yoga (5) Love (6) Karuna (7) Ahimsa (8) Islam (સમર્પણ) (9) Khairat (10) Nirvana. આવા થોડાક શબ્દો દ્વારા વિશ્વકક્ષાએ એક સેક્યુલર હાઇવેનું નિર્માણ થશે. જેમ જેમ પૃથ્વી ચણીબોર જેવી બનતી જાય તેમ તેમ આપણાં હૃદય વિશાળ બનતાં જાય એ જરૂરી છે. આ દસ મહાન શબ્દોની યાદીમાં એક શબ્દ ઉમેરી જુઓ: ‘મા.’ મધર મેરીમાં સીતા દેખાશે.

કોઇ પણ ધર્મનું મૂલ્યાંકન એ ધર્મ પાળનારાં લોકોની સંખ્યા પરથી કરવાની કુટેવ છોડવી પડશે. કોઇ નદીનું મૂલ્યાંકન એમાં તરતી માછલીઓની સંખ્યા પરથી થઇ શકે? જો આવો કુરિવાજ સ્વીકારીએ તો જૈન ધર્મ પાળનારા લોકોની સંખ્યા કેટલી? શીખોની સંખ્યા કેટલી? ધર્મ એટલે રિલિજિયન નહીં. ‘ધર્મ’ જેવો સેક્યુલર શબ્દ બીજો ન હોઇ શકે. માનવતાને ટકાવી રાખે તે ધર્મ કહેવાય. જરા સોચો! ટ્રાફિકના નિયમો ન હોય તો રોજ કેટલા અકસ્માતો થાય? ‘ટ્રાફિકધર્મ’ આદરણીય છે કારણ કે એને કારણે કશુંક ટકી રહે છે. ઇસુએ જગતને પ્રેમધર્મનું મહત્ત્વ સમજાવ્યું. નાતાલના પવિત્ર દિવસોમાં મારા ઘરે આખી રાત એક ચમકતો તારો લટકતો જોવા મળશે. આવી પ્રથા પરિવારમાં ક્યારથી શરૂ થઇ? ઘણાં વર્ષો થઇ ગયાં! ઇસુ કેવળ ખ્રિસ્તી પ્રજાના મહામાનવ નથી. તેઓ મારા તમારા અને આપણા સૌના પૂજ્ય છે. એમને સમજવાની જવાબદારી કેવળ પાદરીઓની નથી. તેઓ ચર્ચમાં પણ છે અને ચર્ચની બહાર પણ છે. તેઓ સર્વત્ર છે કારણ કે ધરતીના કણ કણમાં પ્રેમનું સામ્રાજ્ય સંતાયેલું છે.{ (લખ્યા તા. 15-12-2014)

પાઘડીનો વળ છેડે
એક વૃક્ષને
કાપી નાખવામાં આવ્યું અને
એના ફળો ફંગોળાઇ ગયાં!
હું રડી પડી.

-ઝીન્દજી
નોંધ: એન્થની સેમ્પસને નેલ્સન મેન્ડેલાની વિસ્તૃત જીવનકથા લખી છે. એમાં ઝીન્દજી નામની આફ્રિકન સ્ત્રીએ ગોરા લોકોના આર્થિક અને ધાર્મિક શોષણ અંગે લખેલી પંક્તિઓ આવી હતી.

લોકતંત્રનું બ્લડપ્રેશન નોર્મલ રહે તે માટે કોંગ્રેસ અનિવાર્ય છે DIVYA BHASKER, 4-1-2015

એકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 44 બેઠકો મળી. પછી હરિયાણા અને મહારાષ્ટ્રમાં એનો ધબડકો થયો. પછી ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં એનું ભારે ધોવાણ થયું. કદાચ હવે થનારી દિલ્હીની ચૂંટણીમાં પણ એ જબરો માર ખાશે. So what? આવા કંગાળ દેખાવ પછી પણ મને કોંગ્રેસનું કેમ ચચરે છે? કેવળ એક જ કારણ છે. ભારતના રાજકારણમાં સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય વિકલ્પ તરીકે આજે કોંગ્રેસ સિવાય બીજો કોઇ પક્ષ સક્ષમ નથી. વારંવાર કહેવું પડશે કે લોકતંત્રનું બ્લડપ્રેશર નોર્મલ રહે તે માટે કોંગ્રેસ અનિવાર્ય છે.

કોંગ્રેસની સરખામણીમાં કયો પક્ષ રાષ્ટ્રીય કક્ષાએ લોકોનો સ્વીકાર પામે તેવી ગુણવત્તા ધરાવે છે? ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી કોંગ્રેસ કરતાં કઇ રીતે સારી? બિહારમાં લાલુ અને નીતીશ કરતાં કોંગ્રેસ શું ખોટી? પશ્ચિમ બંગાળમાં સામ્યવાદી પક્ષ અને તૃણમૂલ કોંગ્રેસે પાયમાલી સિવાય બીજું શું આપ્યું? તામિલનાડુમાં ડીએમકે અને એઆઇડીએમકે જેવા પ્રાદેશિક પક્ષો ભ્રષ્ટાચારવર્ધક તો ખરા અને વળી પ્રદેશાભિમાનમાં ડૂબેલા? જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સ જેવા પ્રાદેશિક પક્ષોની મથરાવટી કેટલી મેલી? કેરાલામાં સામ્યવાદીઓ અને મુસ્લિમ લીગની સરખામણીમાં કોંગ્રેસ સો દરજ્જે સારી નહીં? પંજાબમાં અકાલીદળ ક્યાં અને કોંગ્રેસ ક્યાં? ઝારખંડમાં શિબુ સોરેનના ઝારખંડ મુક્તિ મોરચા સાથે કોંગ્રેસને ક્યાં મૂકવી? હા, પરિવારમુક્ત કોંગ્રેસ ભવિષ્યમાં જરૂર આળસ મરડીને બેઠી થવાની છે. કોંગ્રેસનું ભવિષ્ય દસ વર્ષ વીતે પછી ઉજ્જ્વળ દીસે છે.
કોંગ્રેસ પડી તે માટે એક શબ્દ જવાબદાર છે: ‘સેક્યુલરિઝમ.’ મારી વાત ગળે ન ઊતરે તો એક કામ કરો. થોડાક દિવસ પર 97 વર્ષની વયે સર્વોદયના આદર્શ પ્રમાણે જીવી જનારા મુ. ચુનીભાઇ વૈદ્યનો દેહવિલય થયો. તેઓના સેવાકર્મમાં નક્કરતા હતી અને એમનું મન અન્ય કેટલાક સેવકો જેવું બંધિયાર ન હતું. એમને વર્ષો પહેલાં સરદાર પટેલના નામ સાથે જોડાયેલો એવોર્ડ મળ્યો તે માટેની સમિતિમાં મારી ભૂમિકા કેવી સોલિડ હતી તેના સાક્ષી કૃષ્ણકાંત વખારિયા હતા. અમે જ્યારે મળતા ત્યારે નિખાલસ વાતો થતી. તેમણે મને લખેલો એક પત્ર અહીં પ્રસ્તુત છે:

ગાંધીઆશ્રમ
અમદાવાદ-390027
તા. 20-8-2002
સ્નેહી ભાઇશ્રી ગુણવંતભાઇ,
તમારી વાતને મારું મન ટેકો આપે છે. સેક્યુલરિસ્ટો
લઘુમતીને પણ સાચી વાત કહે ત્યારે જ ‘ન્યાય’
ગણાય અને મારો અનુભવ છે કે એમ નથી થતું.
એમાં કદાચ બાળકને પટાવવા માટે એની ખોટી
વાતને પણ થાબડવામાં આવે, તેમાં જે ન્યાય
હોય છે તે હોઇ શકે, પરંતુ એ ન્યાય નહીં,
પટામણું છે.
– ચુનીભાઇ વૈદ્ય
(‘શબ્દે શબ્દે સેતુબંધ’, પાન-83)
ખાસ યાદ રાખવા જેવું છે કે ગોધરામાં ડબ્બો સળગ્યો પછી જે હુલ્લડો થયાં ત્યાર પછીના લગભગ છ મહિનાના ઉદ્વેગયુક્ત માહોલમાં આ પત્ર લખાયો છે. સ્વરાજ મળ્યા પછીનાં 66-67 વર્ષો દરમિયાન જે સેક્યુલરિઝમ કોંગ્રેસે અને કર્મશીલોએ હંકાર્યું તે અંગે આટલા ઓછા શબ્દોમાં આટલી માર્મિક વાત અન્ય કોઇ ગાંધીજને કરી નથી. ડાંગમાં જ્યારે ધર્માંતરણને પ્રશ્ને તોફાનો થયાં ત્યારે વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીએ ડાંગની મુલાકાત લીધી હતી. તે સમયે શ્રી ઘેલુભાઇ નાયક સાથે મળીને મુ. ચુનીભાઇએ ધર્માંતરપ્રવૃત્તિનો સ્પષ્ટ વિરોધ વાજપેયીજી સમક્ષ નોંધાવ્યો હતો. ચુનીભાઇએ એમ કર્યું ત્યારે અન્ય ગાંધીજનો એમના પર તૂટી પડ્યા હતા. એ વખતે મારી કટારમાં આ પત્ર પ્રગટ થયો હતો. એ કટારમાં મેં લખ્યું હતું કે ધર્માંતરનો વિરોધ ગાંધીજી, વિનોબા, સરદાર પટેલ, રાજાજી, રવીન્દ્રનાથ ટાગોર, મૌલાના આઝાદ અને ખુદ ઇસુ ખ્રિસ્તે પણ કરેલો. ‘સેક્યુલર ધર્માંતર’ જેવું કશુંક હોઇ શકે?
કોંગ્રેસે જે સેક્યુલર વિચારધારા સ્વીકારી તે પ્રદૂષિત હતી. એમાં ભારોભાર ‘પટામણું’ હતું અને એ પટામણું મુસ્લિમ વોટબેંકનું મોહતાજ હતું. આવું ઘણાં વર્ષો સુધી ચાલ્યું તે અંગે મારે ચાર પુસ્તકો લખવાનું બન્યું. પુસ્તકોને પાને પાને કોંગ્રેસનું સિન્થેટિક સેક્યુલરિઝમ કેટલું પોલું હતું તે દર્શાવ્યું છે. સ્વરાજ મળ્યા પછી લાખો હિંદુઓ વટલાયા છે. શું એ બધા સમજપૂર્વક અન્ય ધર્મોમાં ગયા હતા? સ્વરાજ મળ્યા પછી પણ કેટલાં હિંદુ મંદિરો તૂટ્યાં? કાશ્મીરમાં એક જૈન મંદિર જમીનદોસ્ત થયું હતું. સ્વરાજ મળ્યા પછી ચાલેલી આવી એકતરફી સેક્યુલર લીલા આજે કોંગ્રેસને નડી રહી છે. મારી વાત ખોટી લાગી? તો હવે આગળ વાંચો.

બાબરી મસ્જિદ તૂટી પછી તા. 8-8-1993ને દિવસે ‘ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના તંત્રી દિલીપ પાડગાંઉકરને આપેલી મુલાકાતમાં જાણીતા વિચારક અને રેશનલિસ્ટ નિરદ ચૌધરીએ કહેલા શબ્દો કાન દઇને સાંભળો: ‘એ મસ્જિદનો ધ્વંસ થયો તે અંગે ફરિયાદ કરવાનો મુસ્લિમોને જરા જેટલો અધિકાર નથી. ઇ.સ. 1000 પછી કાઠિયાવાડથી તે બિહાર સુધી અને હિમાલયથી તે વિંધ્યાચળ સુધીના વિસ્તારમાં આવેલા પ્રત્યેક હિંદુ મંદિરને ક્યાં તો તોડી પાડવામાં આવ્યું હતું કે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતુ઼ં. ઉત્તર ભારતમાં બધેબધ એક પણ હિંદુ મંદિરને સલામત રહેવા દેવામાં આવ્યું ન હતું.’ પૂછવા જેવો પ્રશ્ન એક જ છે: ‘શું હિંદુઓને પણ સંવેદના હોઇ શકે એવું ખરું? ભારતનું સેક્યુલરિઝમ એવી વાજબી સંવેદનાને ધરાર અવગણીને ચાલે તે યોગ્ય ખરું? સ્વરાજ મળ્યા પછી એમ જ બન્યું છે અને વારંવાર બન્યું છે.’

કોંગ્રેસે એક જ કામ કરવાનું છે. આપણે એને ‘કોર્સ કરેક્શન’ કહી શકીએ. ખોટા માર્ગે ફંટાઇ ગયા પછી સાચા માર્ગે પાછા આવવાની વાત છે. વિજ્ઞાનની પરિભાષામાં એને ‘સાયબરનેટિક્સ’ પણ કહે છે. આ શબ્દનું ગ્રીક મૂળ દરિયા સાથે જોડાયેલું છે. જ્યારે વહાણ એની ખરી દિશાથી ફંટાઇ જાય પછી પાછું સાચી દિશામાં આવી જાય, તેને cybernatics કહે છે. કોંગ્રેસે સેક્યુલરિઝમની જે અવદશા કરી તે પાપની પ્રતિક્રિયાનો લાભ નરેન્દ્ર મોદીને મળ્યો છે. સેક્યુલરિઝમ કંઇ હિંદુ-વિરોધી કે મુસ્લિમ તરફી સંકલ્પના નથી. એનો ખરો સંબંધ માનવતા સાથે છે. વર્ષોથી ધૂંધવાઇ રહેલી હિંદુ પ્રતિક્રિયા ભાજપને ફળી છે. આજે જે બની રહ્યું છે, તેમાં ‘પ્રતિક્રિયાત્મક અવિવેક’ કેટલાક હિંદુ પાગલો દ્વારા રોજ પ્રગટ થતો જણાય છે. મને સતત એવું લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇને ઠરીને દસ વર્ષ સુધી વિકાસની રાજનીતિ માટે કામ કરવા દેવું જોઇએ. સેક્યુલર સનેપાતનો સામનો હિંદુ સનેપાત દ્વારા ન થઇ શકે. નરેન્દ્રભાઇની સ્થિતિ કફોડી થાય એવાં ઉચ્ચારણો રોજ પ્રગટ થતાં રહ્યાં છે. બધા બાવાઓ કાંઇ સાધુ કે યોગી કે સ્વામી નથી હોતા. બધા બાપુ કાંઇ મોરારિબાપુ નથી હોતા. બધા ફાધર કાંઇ ફાધર વાલેસ નથી હોતા. બધા મુલ્લાંજી કાંઇ મૌલાના વહિદુદ્દીન ખાન નથી હોતા. આપણે ક્યારે સુધરીશું?{ (તા. 23-12-2014)
પાઘડીનો વળ છેડે
કોંગ્રેસ પક્ષે મુસ્લિમ કટ્ટરતા સામે
એવી જ રીતે
હુમલો કરવો જોઇએ, જે રીતે
એ હિંદુ કટ્ટરતા પર તૂટી પડે છે.
આપણે મુસ્લિમ કટ્ટરતા વિરુદ્ધ
એટલી તીવ્રતાથી નથી બોલતા,
જેટલી તીવ્રતાથી હિંદુ કટ્ટરતાની
વિરુદ્ધ બોલીએ છીએ.
– દિગ્વિજય સિંઘ
(ટા.અો.ઇ. 25-9-2014)
નોંધ: હવે મારે કશુંય કહેવાનું બચે છે ખરું? ‘પટામણું’ મોંઘું પડ્યું!

નરેન્દ્ર મોદીનું નવું વર્ષ કેવું હશે? DIVYA BHASKER. 20-10-2014

સત્યનિષ્ઠા વિનાની કોરીધાકોડ બુદ્ધિનિષ્ઠા ઘણા ઉપદ્રવો પેદા કરતી હોય છે. અસત્યના પોટલામાં સંતાયેલી આવી બુદ્ધિખોર માનસિકતાને કારણે જ ‘સેક્યુલરિઝમ’ જેવો પવિત્ર શબ્દ બદનામ થયો. યુવાની સર્વોદયના રંગે રંગાયેલી હતી ત્યારે એક અનોખી ઘટના બનેલી. સત્યનિષ્ઠા અને બુદ્ધિનિષ્ઠાના સમન્વયનું એવરેસ્ટ દાદા ધર્માધિકારી જેવા વિચારકમાં ચરિતાર્થ થતું જોવા મળેલું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરેલા પ્રથમ પ્રવચનમાં દાદાનો ઉલ્લેખ કર્યો ત્યારે અંદરથી હરખ થયેલો. વિચારોની સ્વતંત્ર અભિવ્યક્તિ માટે વર્ષોથી દાદા મારા રોલ-મોડલ રહ્યા છે.

જેમનાં મૂળિયાં માર્ક્સવાદમાં હોય અને પછી જેઓ મહાત્મા ગાંધી તરફ વળ્યા હોય એવા બે મહાનુભાવોનો પરિચય થયો એ મારું સદ્ભાગ્ય! એક હતા ભોગીલાલ ગાંધી અને બીજા છે લોર્ડ ભીખુ પારેખ. બંનેનું સૌજન્ય સો ટચનું. બંને ખુલ્લા મનના વિચારક અને બંનેને એવી પત્નીઓ મળી, જેને કારણે સહજીવન સુગંધમય બન્યું. છેલ્લા ત્રણેક મહિના દરમ્યાન ભીખુભાઇ સાથે મારા ઘરે છ-સાત કલાક સુધી વિચારવિમર્શ ચાલ્યો. પ્રથમવાર મળ્યા ત્યારે ચર્ચાના કેન્દ્રમાં નરેન્દ્ર મોદી હતા. બીજી વાર મળ્યા ત્યારે ચર્ચાના કેન્દ્રમાં મહાત્મા ગાંધી હતા. લોકતંત્રમાં બનતી સૌથી સુંદર ઘટના કઇ? ‘દ્વેષરહિત અસંમતિ’ લોકતંત્રની ખરી શોભા ગણાય. Let us agree to disagree without being disagreeable. ખુલ્લું મન પવિત્રતાનું મંદિર છે.

નરેન્દ્ર મોદીનું નવું વર્ષ કેવું જશે? મને જ્યોતિષમાં લગીરે શ્રદ્ધા નથી. તા. 9મી ઓક્ટોબર (2014)ને દિવસે ભીખુભાઇ ચા-પાણી માટે આવ્યા ત્યારે અંગ્રેજીમાં લખેલી નોંધ સાથે લેતા આવ્યા. અત્યારે એ નોંધ મારા હાથમાં છે. મારું એવું માનવું છે કે એ નોંધમાં નરેન્દ્રભાઇનું ઉજ્જ્વળ ભવિષ્ય પ્રગટ થયું છે અને સાથોસાથ થોડીક ચેતવણી પણ છતી થઇ છે. નિરપવાદ તટસ્થતા ભીખુભાઇની સંપ્રાપ્તિ છે. આ નોંધના પ્રથમ પાંચ મુદ્દા અત્યંત હકારાત્મક છે, જ્યારે બીજા ચાર મુદ્દાને ભીખુભાઇ ‘My concerns’ તરીકે રજૂ કરે છે. હવે હું ખસી જાઉં છું અને આપણે ભીખુભાઇએ જે લખ્યું તેનો અનુવાદ કાન દઇને સાંભળીએ:

નરેન્દ્રભાઇએ એવું કશું જ કહ્યું નથી કે કર્યું નથી, જેથી લઘુમતીઓ અળગાપણું અનુભવે કે ગભરાટ પામે હકીકતમાં તેમણે લઘુમતીઓને ધીરજ બંધાવી છે.

– પરદેશમાં વસતા ભારતીય લોકોમાં તેમણે અપાર સ્વાભિમાન જગાવ્યું છે, એ લોકોમાં કલ્પનાને પ્રદીપ્ત કરી છે અને એમને ભારતના વિકાસમાં ફાળો આપવા માટે અામંત્રિત કર્યા છે. હકીકતમાં તો તેઓએ ભારતીય અસ્મિતાના વિચારની નવી વ્યાખ્યા કરીને વિદેશમાં વસતા ભારતીય લોકોને રાષ્ટ્રીય પરિવારના સરખા ભાગીદાર ગણાવ્યા છે. આવું અગાઉ કોઇ અન્ય વડાપ્રધાને કર્યું નથી.

– જો આપણે સાંપ્રત વિધાનસભાની ચૂંટણીઓ બાજુએ રાખીએ, તો નમો ભારતના વડાપ્રધાન તરીકે વર્ત્યા છે, નહીં કે કેવળ ભાજપના એક નેતા તરીકે. આ તફાવત તારવવાનું સહેલું નથી, પરંતુ એ તફાવત મહત્ત્વનો છે, નેહરુ અને વાજપેયીએ એમ કર્યું હતું, પરંતુ બીજાઓએ કર્યું ન હતું.

– પોતાની નીતિઓ અને પોતાનાં પગલાંના ટેકામાં સતત ગાંધીનું નામ આગળ કરીને એમણે આર.એસ.એસ.નાં ગાંધીવિરોધી તત્ત્વોને શિથિલ કરીને હકીકતમાં તો આર.એસ.એસ.નાં વર્તુળોમાં અગત્યની ચર્ચા જગાવી છે આવું કરવામાં, પણ એમને પક્ષે આર.એસ.એસ.ની અસરથી ભાજપને સુરક્ષિત રાખવાની વ્યૂહરચના હોય એમ જણાય છે.

– આર્થિક વિકાસની સાથોસાથ પાયાની જરૂરિયાતો અને સેવાઓ તરફ યોગ્ય ધ્યાન અપાઇ રહ્યું છે.

આ પાંચ હકારાત્મક મુદ્દાઓ રજૂ કર્યા પછી ચાર મુદ્દાઓ અંગે ભીખુભાઇએ પોતાની ચિંતા (concern) પણ નિર્ભયપણે પ્રગટ કરી છે. સાંભળો:

– શાસનશૈલી અતિશય કેન્દ્રિત છે અને અંગત છે. ટીમના સર્જનની જરૂર છે.
– ઉચ્ચ શિક્ષણમાં થોડાંક ગતકડાં બાદ કરતાં સમગ્ર કાર્યક્ષેત્ર ઉપેક્ષિત છે.
– પહેલ ઘણીબધી થાય છે, પરંતુ અનુકાર્ય (follow up) થતું નથી.
– વિદેશનીિતમાં ઘણા મોરચે કામ થાય છે, પરંતુ એનું સંકલન સુધરવું જોઇએ.

ભીખુભાઇની આ નોંધ નરેન્દ્રભાઇ સુધી પહોંચે ખરી? ખુલ્લા મનથી પ્રગટ થયેલા આ વિચારોમાં કશુંક એવું તત્ત્વ પડેલું છે, જેમાં પૂર્વગ્રહનો અંશ પણ ન હોય. પ્રિય વાચકોને નૂતન વર્ષની શુભકામના પાઠવીને એક જ વાત કહેવી છે: ‘આપણું મન ખુલ્લું રાખીએ.’ નરક એટલે શું? પૂર્વગ્રહોના મ્યુઝિયમ જેવું મન એટલે જ નરક! પછી ખુલ્લા મનના ભીખુભાઇ સાથે મારા ઘરે જે બીજી બેઠક થઇ (9-10-2014)તેમાં કેવળ ગાંધીજી કેન્દ્રમાં હતા. ભીખુભાઇએ કેટલાક પશ્ચિમના વિચારકોનાં લખાણોનો હવાલો આપીને ગાંધીજીની કેટલીક મર્યાદાઓનો ઉલ્લેખ કર્યો. જવાબમાં મારા શબ્દો ઓછા હતા અને તે આ પ્રમાણે હતા:

બધી મર્યાદાઓ સ્વીકારી લઇએ
અને બધી વિગતો સાચી માનીએ,
તોય એક વાત મારા મનમાં બિલકુલ પાકી છે:
ગાંધીજીએ ‘સત્યનો હાઇવે’ ક્યારેય
છોડ્યો હતો ખરો?
એમને મહાત્મા કહેવા માટે શું
આટલું ઓછું છે?
(લખ્યા તા. 11-10-2014)

પાઘડીનો વળ છેડે
1. અમેરિકન ભારતીયોને સંબોધીને વિશ્વના 120 દેશોમાં રહેતા 2.40 કરોડ જેટલા ભારતીયોને, તમે પારકા નથી, તમે અમારા જ છો- એમ કહીને ભાવનાત્મક રીતે વડાપ્રધાને આવકાર્યા હતા.
2. નરેન્દ્ર મોદીને રૂબરૂ જોવાની એક ઝલક પામવા માટે સમગ્ર અમેરિકામાંથી લોકો મેડિસન સ્ક્વેર ખાતે પહોંચ્યા હતા. ખાસ કરીને ગુજરાતીઓ તો નરેન્દ્રભાઇને જોઇને જ ખુશ થઇ ગયા હતા.
3. સિનિયર સિટિઝન્સમાં જ નહીં, પણ યુવાનોમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા મહત્ત્વની બાબત પુરવાર થશે.
4. મહાત્મા ગાંધી પછી સ્વચ્છતા આંદોલનમાં લોકોને જોડી રહ્યા છે. મહાત્મા ગાંધી પછી સ્વચ્છતાનું આંદોલન મોટા પ્રમાણમાં શરૂ કરાવનાર કોઇ નેતા હોય, તો તે નરેન્દ્ર મોદી જ છે.
5. યુવાનોને પણ ભારત પ્રત્યે અને ખાસ કરીને ગંગા સ્વચ્છ કરવાના અભિયાનમાં જોડવામાં આવશે. આ ઉપરાંત મૂળ ભારતીયોને તેઓ જે સ્કૂલમાં ભણ્યા હતા તેના પ્રત્યે સક્રિય થવા પ્રેર્યા હતા.
– લોર્ડ ભીખુ પારેખ
નોંધ: તા. 30-09-2014ના દિવસે વડોદરાના અખબારમાં પ્રગટ થયેલા પ્રવચનનો રિપોર્ટ.

ખુલ્લા મનથી પ્રગટ થયેલા આ વિચારોમાં કશુંક એવું તત્ત્વ પડેલું છે, જેમાં પૂર્વગ્રહનો અંશ પણ ન હોય. પ્રિય વાચકોને નૂતન વર્ષની શુભકામના પાઠવીને એક જ વાત કહેવી છે: ‘આપણું મન ખુલ્લું રાખીએ.’

ગુણવંત શાહ

Article in Divya Bhasker,8-12-2009

લોકતંત્રની વાડમાં કેટલાં છીંડાં?

Gunvant Shah

શીલા દીક્ષિત જેવાં મુખ્યપ્રધાન જનમટીપ પામેલા મનુ શર્માને પેરોલ પર છોડવાની બાબતે પોતાના હસ્તાક્ષર શી રીતે આપી શકે? દેશની જનતાને એક બાબત નથી સમજાતી. લાલુ યાદવની જગ્યાએ કોઇ સામાન્ય નાગરિક હોત તો એને જેલની બહાર રહીને રેલવે પ્રધાન બનવાની તક પ્રાપ્ત થઇ હોત ખરી? શિકારનો શોખ ધરાવનારા પટૌડીને જેલની બહાર રહેવાની તક મળી હોત ખરી? આવા જ ગુના હેઠળ સલમાન ખાન આજે નિરાંતે જેલની બહાર રહીને કમાણી કરે છે. સંજય દત્તને જેલની સજા થઇ, પરંતુ જામીન મેળવ્યા પછી એ એવી રીતે જીવે છે, જાણે ગુનો થયો જ નથી. Gunvant Shah

Gunvant Shahયાદ આવે છે? શિવસેનાની સ્થાપના થઇ પછી પહેલી રાજકીય હત્યા ક્રિશ્ના દેસાઇની થઇ હતી. ૧૯૬૭-૬૯ના ગાળામાં દત્તા સામંત મુંબઇની મજૂર આલમમાં લોકપ્રિય નેતા હતા. દત્તા સામંતને હરાવવા માટે કોંગ્રેસે શિવસેના સાથે હાથ મેળવ્યા હતા.

ક્રિશ્ના દેસાઇ કોમ્યુનિસ્ટ પાર્ટીનાં મજૂર-નેતા હતાં. એમની હત્યા થઇ પછી કદીય શિવસેનાએ પોતાનું ગુંડાસ્વરૂપ છુપાવ્યું નથી. એ ગુંડાસેનાએ અનેક ડોક્ટરોને, નર્સોને, પત્રકારોને, અભિનેતાઓને, વેપારીઓને અને નિર્દોષ બિનમહારાષ્ટ્રીયનોને હેરાન-પરેશાન કર્યા છે. એનો તો અંદાજ માંડવો મુશ્કેલ છે.

શરૂઆત દક્ષિણ ભારતીય નાગરિકોને હેરાન કરવાથી થઇ અને પછી હિંદુત્વના કોન્ટ્રાક્ટર બની જઇને શિવસેનાએ મુસલમાનોએ નિશાન બનાવ્યા. બેફામ ગુંડાગીરી કરાવ્યા પછી પણ બાળ ઠાકરેને જેલમાં જવાનો વારો ન આવ્યો. કોંગ્રેસ એમનાથી કાયમ ગભરાતી રહી અને ભાજપે એમને આદર આપ્યો. મુંબઇ પાંચ દાયકા જેટલું પાછળ રહી ગયું!

વ્યવસાયે કાટૂર્નિસ્ટ એવા ઠાકરે પોતે હવે કાટૂર્ન બની ગયા છે. શિવસેનામાં ઊભી તિરાડ પડી છે. ઉઘ્ધવ અને રાજની દુકાનો અલગ થઇ ગઇ છે. રાજ ઠાકરેની આક્રમકતા ઉઘ્ધવની આક્રમકતાને હરાવી દેનારી છે. બંને કહે છે : ‘તારા ગુંડાઓ કરતાં મારા ગુંડાઓ વધારે સંનિષ્ઠ છે.’

કોંગ્રેસ-એન.સી.પી.ને એ તિરાડ આબાદ ફળી છે. જો રાજ ઠાકરેની ગુંડાગીરીનો ચોકો જુદો ન હોત, તો ગઇ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધન અવશ્ય હારી ગયું હોત. સચિન તેંડુલકરે કહ્યું : ‘હું ભારતીય છું અને મહારાષ્ટ્રી હોવાનું મને ગૌરવ છે.’ બસ, બાળ ઠાકરેનો મિજાજ ગયો. સચિનની વાતને દેશના બધા સમજુ નાગરિકોનો ટેકો પ્રાપ્ત થયો.

બાળ ઠાકરેએ મોરારજી દેસાઇને પણ ન છોડ્યા અને એમને, ‘માનવભક્ષી મર્ડરજી મોરારજી’ કહ્યા. શિવસૈનિકોએ મરાઠી ટીવી ચેનલ આઇ.બી.એન. લોકમતની કચેરી પર પહોંચીને મવાલીગીરીનું પ્રદર્શન કર્યું. લગભગ એવી જ મવાલીગીરી રાજ ઠાકરેના ગુંડાઓએ મહારાષ્ટ્ર વિધાનસભામાં સમાજવાદી પાર્ટીના અબુ આઝમીએ હિંદીમાં શપથ લીધા ત્યારે કરી હતી.

ટૂંકમાં વાત એટલી કે મુંબઇને બાળ ઠાકરેના પરિવારે બાનમાં રાખ્યું છે. ક્રિશ્ના કમિશને બાળ ઠાકરેને દોષિત ઠેરવ્યા છે, છતાં કોંગ્રેસની સરકારોએ એમના અહેવાલને અભરાઇને મૂકી રાખ્યો છે. અશોક ચવાણે કડક પગલાં ભરવાની ખાતરી આપી છે. આવી પોલી ખાતરી આપનારા તેઓ પહેલા મુખ્યપ્રધાન નથી. રાહ જોઇએ.

ભારતીય લોકતંત્રની વાડમાં કેટલાં છીંડાં? સેક્યુલરિઝમની વંડીમાં કેટલાં બાકોરાં? શિવસેના, બજરંગદળ અને રામસેના જેવાં હિંદુ સંગઠનો પર પ્રતિબંધ મૂકવા માટે હજી કેટલી ગુંડાગીરી સહન કરવાની બાકી છે?

નછૂટકે અંગત વાત કરવી છે. આ કટારમાં છેલ્લાં વીસેક વર્ષથી બાળ ઠાકરેની કડક આલોચના થતી રહી છે. વર્ષો પહેલાં એમની વિરુદ્ધ એક લેખ એક ગુજરાતી અખબારના માલિક અને તંત્રીને પહોંચાડ્યો હતો. એમનો ફોન આવ્યો : ‘ગુણવંતભાઇ, એ લેખ મુંબઇની આવૃત્તિમાં પ્રગટ થાય અને ત્યાંની અમારી ઓફિસને આગ લગાડવામાં આવે તો મારે શું કરવાનું?

મેં કહ્યું : ‘આગ લાગે તેવું હોય તો લેખ ન છાપશો.’ એક પણ શબ્દના ફેરફાર વિના એ લેખ પ્રગટ થયો હતો. અને હા, આગ લગાડવામાં આવી ન હતી. ભારતીય જનતા પાર્ટી જો રાષ્ટ્રીય પક્ષ તરીકે ટકી રહેવા માગતી હોય, તો તેણે જેમ બને તેમ જલદી શિવસેના સાથે છૂટાછેડા લેવા જોઇએ.

આવી તક વારે વારે નહીં મળે. રાજકારણમાં ‘અક્કલવાળું જોખમ’ ખેડવું એ લાભદાયી છે એવું ઇન્દિરાજીએ અને નરેન્દ્ર મોદીએ સિદ્ધ કરી બતાવ્યું છે. શિવસેનાની કીમોથેરપી ચાલી રહી છે. રોગની પીડા કરતાંય ઉપચારની પીડા વધારે? શિવસેનાને શિવાજીનું નામ ઉચ્ચારવાનો પણ અધિકાર નથી. વર્ષો પહેલાં મેં એને ‘અશિવસેના’ કહી હતી.

લોકતંત્રના રથનાં બે પૈડાં છે : કાયદો અને વ્યવસ્થા. કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ને કોઇ બાંધછોડ ન હોઇ શકે. એ મુદ્દે દેશના ત્રણે રાહુલ સમાન જાણવા : રાહુલ ગાંધી, રાહુલ મહાજન અને રાહુલ ભટ્ટ. એ ત્રણમાં કેવળ પ્રથમ રાહુલનું અભિજાત્ય શંકાથી પર છે.

શીલા દીક્ષિત જેવાં મુખ્યપ્રધાન જનમટીપ પામેલા મનુ શર્માને પેરોલ પર છોડવાની બાબતે પોતાના હસ્તાક્ષર શી રીતે આપી શકે? દેશની જનતાને એક બાબત નથી સમજાતી. લાલુ યાદવની જગ્યાએ કોઇ સામાન્ય નાગરિક હોત તો એને જેલની બહાર રહીને રેલવે પ્રધાન બનવાની તક પ્રાપ્ત થઇ હોત ખરી?

શિકારનો શોખ ધરાવનારા પટૌડીને જેલની બહાર રહેવાની તક મળી હોત ખરી? આવા જ ગુના હેઠળ સલમાન ખાન આજે નિરાંતે જેલની બહાર રહીને કમાણી કરે છે. સંજય દત્તને જેલની સજા થઇ, પરંતુ જામીન મેળવ્યા પછી એ એવી રીતે જીવે છે, જાણે ગુનો થયો જ નથી.

સમર્થ વકીલો ખૂબ મોંઘા હોય છે અને ગુનેગારને નિર્દોષ સાબિત કરી શકે એટલા પહોંચેલ હોય છે. ભારતના ગરીબ ગુનેગારને આવો લાભ મળી શક્યો હોત ખરો? ન્યાયતંત્ર પણ જ્યારે ધનતંત્ર અને શાસનતંત્રથી પ્રભાવિત હોય ત્યારે ગરીબ ચીભડાંચોરને જેલમાં મારપીટ સહન કરવી પડે છે. વિક્ટર હ્યુગોની વિખ્યાત નવલકથા ‘લા મિઝરેબલ’ હજી આજે પણ ટટ્ટારપણે પ્રસ્તુત છે.

સોહરાબ મોદીની ફિલ્મ ‘કુંદન’ તમે જોઇ હશે. નવલકથાનો ગુજરાતી અનુવાદ પામેલા પુસ્તકનું મથાળું હતું : ‘ગુનો અને ગરીબાઇ’. ન્યાયમાં થતો વિલંબ એ જ ન્યાયની વિડંબના! શબ્દકોશમાં જ જોડણીદોષ હોય તો જવું પણ ક્યાં! બધાં જ તપાસ કમિશનોના રિપોર્ટ ઊધઇનો આહાર બનતા રહ્યા છે.

યુરોપિયન યુનિયનમાં જોડાયેલા દેશો સભ્ય સમાજ (સિવિલ સોસાયટી)ના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. એ દેશોમાં ફાંસીની સજા રદ થઇ છે. વર્ષોથી ટર્કી યુરોપિયન યુનિયનમાં જોડાવા મથી રહેલું રાષ્ટ્ર છે. જો ટર્કીને પ્રવેશ મળે, તો ટર્કી દુનિયાનો પહેલો મુસ્લિમ દેશ હશે, જ્યાં ફાંસીની સજા નહીં હોય.

બ્રિટન જેવા ખાસા લિબરલ દેશમાં થોડાંક વર્ષો પર બોમ્બ ધડાકા થયા. બીજે દિવસે ધોળા અજવાળામાં લંડનના રેલવે સ્ટેશન પર પાકા વહેમને આધારે એક માણસ પર લંડનના પોલીસે ગોળી છોડી. પાછળથી ખબર પડી કે મરી ગયો તે માણસ તો બ્રાઝિલનો નિર્દોષ નાગરિક હતો.

કલ્પના કરો, એ પોલીસ આજે ક્યાં હશે? એ પોલીસ જેલમાં નથી. એને સખત ઠપકો (રિપ્રિમાન્ડ) આપવામાં આવ્યો છે અને એ નોકરીમાં ચાલુ છે. કાયદો અને વ્યવસ્થાની માવજત કરવી હોય તો રક્ષક અને ભક્ષક વચ્ચેનો ભેદ સમજવો પડે.

મુંબઇમાં ઇન્ડિયા ગેટની અંદર ભોંય પર પાથરણાં પાથરીને પડી રહેલા અર્ધલશ્કરી જવાનો દરિયાપારથી આવનારા આતંકવાદીઓથી આપણું રક્ષણ કરી શકશે? પોલીસ કંઇ માનવયંત્ર (રોબો) નથી. એને પણ બાળબરચાં હોય છે. એને પણ પ્રતીક્ષા કરનારી પત્ની હોય છે. એને પણ માનવ-અધિકાર મળવા જોઇએ. પોલીસ કંઇ વાપરવાની ચીજ નથી.

રાજ ઠાકરે અને મુત્તાલિક (રામસેના) જેવા ‘ગુનાહોં કે દેવતા’ રાજકારણની ચોપાટ રમતા હોય છે. સભ્ય સમાજમાં એમનું સ્થાન જેલમાં હોવું જોઇએ. શરમનો કુલ જથ્થો ખૂટી પડે ત્યારે મિડિયા પર હુમલા થતા હોય છે. મિડિયા લોકતંત્રની ચોથી જાગીર છે.

મિડિયા-જસ્ટિસ જોખમકારક બાબત છે. એ ન્યાયતંત્રને દબાણમાં મૂકે છે અને બિનગુનેગારને આગળથી ગુનેગાર ઠેરવી દે છે. બાળ ઠાકરે ઘરડા થયા છે. તેઓ ભીષ્મ નથી, ધૃતરાષ્ટ્ર છે. (આ લેખ તા.૨૬/૧૧ની પુણ્યતિથિએ લખાયો છે. આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલાં બધાં નિર્દોષ લોકો અને શહીદ થયેલા જવાનોની સ્મૃતિને વંદન.)

પાઘડીનો વળ છેડે…
અંધારાએ કહ્યું : ‘સાવધાન!
દૂર દૂરથી પ્રકાશ લઇને કોઇ આવી રહ્યું છે.
સૂરજનું પ્રથમ કિરણ આવી પહોંચે
તે પહેલાં જ એને ખતમ કરી નાખો,
કારણ કે આપણને હવે કોઇ
જયપ્રકાશનું આગમન પરવડે તેમ નથી.’

(વર્ષો પહેલાં હૃદયમાં ઊગેલી પંક્તિઓ)

The true minority

I am by nature, very communal. Whenever I get the chance, I blindly set forth about my community. Since I was born in the community of humans, I raise my voice passionately when the human community’s welfare is threatened. I am not interested in any truth above humanity. I do not believe in any other religion except that of humanity. I am a fanatic humanitarian. This is my secularism.

I can take an oath that my respect for Mohammed is not any less than that of a devout Muslim. My respect for Mahavir is no less than that of a devout Jain. I have as much respect for Christ as does a devout Christian. My respect for Guru Nanak is not a wee bit less than that of a Sikh.In the same way, Ram, Krishna, Buddha are my idols. After saying this, I add that the great men of every religion have the most injustice done to them by the fanatic followers of their own religion.

Ram’s followers break the most promises. Krishna’s followers have no shame in taking dowry. Terrorists kill innocent people in the name of Mohammed and Allah. The followers of Christ bombed Hiroshima. Mahavir’s followers do not flinch at the dishonesty prevalent on the counters of their shops. Buddha did not believe in God, but Buddhists have made so many statues of Buddha that the word ‘Buddha’ (Bu-ut) came to mean ‘statue’!

Krishna was troubled most by his Yadav kin. The members of his own Qureshi clan did their utmost to harass Mohammed. They went to the extent of throwing the intestines and waste of dead animals on him.

Revolutionary great men have to bear the harassment of believers. No great man has been born on this earth who has not borne this harassment.

Now let me say something that may not please you. In India today, the minorities have to bear much. Our politicians have made jam out of the word ‘minorities’. But after all, what are the ‘minorities’? Which is the minority that is truly unhappy in India?

In this country, fake Hindus are in militant majority, and tolerant Hindus are in a minority. Fake Muslims are in a heavy majority and Muslims who understand Mohammed are in a minority. This can be said of tolerant people of all religions. Extending this thought, I would like to say that in our country fake secularists are in a majority and genuine ones in a minority. Fake secularists are very talkative and are able to project their untruth in aggressive, strident tones through the media.

Those who are genuine, have no conflict. A true Hindu does not fight with a true Muslim. A true Christian does not fight with a true Hindu. I am willing to bear responsibility for this statement. Conflict is between the fake ones, and is even that conflict genuine?

Let me finish with this. Mohammed’s mosque was made of mud and clay, with a thatch of palm leaves. Today mosques have become grand, but faith has fallen low. Temples are made of marble, but worship has become less gracious. Churches are beautiful, but the prayers less beautiful. Our worship places have become huge but our religions have become narrow. The noise of religion has become loud, but the spirit has become invisible. ‘Religionism’ has increased, but spiritualism has taken a beating.

Can the true ‘minorities’ not come together even to face terrorism? Can we not evade fake secularism to bring to life Gandhi’s ideal of ‘sarva-dharma-samabhava‘?

( from Dr. Gunvant B. Shah’s lecture at the Darul Koran Madrasa in Jambusar, near Vadodara, Gujarat, 16th November 2008.
Also published in Divya Bhaskar Sunday, 30 November 2008)

Translated by Batul Mukhtiar, 6 December 2008

Sarva dharma sama bhava

Q – Dr. Gunvant Shah, what is your viewpoint on Indian secularism? Is it an article of faith or irrational rhetoric?

A – In response to your provocative question, I would like to ask two questions. 1. Was Moghul king Akbar a secular person? 2. Was Mahatma Gandhi a secular saint? It seems to me that the answer to both these questions is an emphatic ‘yes’. Please remember that both of them were highly religious persons.

Akbar was a Muslim ruler but with a difference. He had respect for other religions. He did not try to convert Hindus and nor did he impose the religious tax ‘jiziya‘ on Hindus. Gandhi called himself a ‘sanatani‘ Hindu, but he had respect for all other religions. In his last days, Gandhi used to address prayer meetings in the evening at Birla House. People of all religions joined these prayers.

Gandhi was not ready to forgo his Hindu identity. And he never wanted a Muslim or a Christian to lose their identities either. Now if you sum up the mind set of both these great persons you will get one usage ‘sarva dharma samabhava‘.

I must admit that this is the essence of my secularism. I am a Hindu. That is my identity. But my identity is not at war with a person who has a Muslim identity. Or a Christian identity. I firmly believe that 99.5% population of India is theist. An ordinary Indian, irrespective of his religion has great faith in God. Whenever some tragedy takes place, an Indian, whether he is Hindu, Muslim or Christian involuntarily utters: “Oh Lord, let your wish prevail” (Hey Malik, jaisi teri marzi).

Atheism has its own value. But in a democracy, the freedom to follow the religion of one’s choice cannot be wished away. Such freedom should not be criticized by some secular fundamentalists in the name of activism and atheism. The Nehruvian model of secularism has been followed for years in India. And yet, we are nowhere near secular peace. This is precisely because the term ‘secularism’ seems to be alien to Indian ethos. Such a non-religious secularism perhaps does not suit the Indian soil. Gandhi knew this better than anybody else. And I find myself in perfect agreement with Akbar and Gandhi.

Indian secularism cannot be concieved as non-religious secularism. MJ Akbar in his article (TOI, 19 Oct 2008) observes that in Jharkhand, Muslims, although feeling disquiet are not ready to actively join the Naxalite movement there, because the Muslims cannot stomach atheism. This is a very important observation.

Our Constitution was already secular when it was framed by Dr. Ambedkar and others. Mrs. Indira Gandhi added the word ‘secular’ later on keeping in mind vote-bank politics.

It is for this reason that I propose replacing the word ‘secularism’ by ‘sarva dharma samabhava‘. I honestly believe that the Congress Party has followed pseudo-secularism during the last 6 decades. At the same time, I don’t consider the Hindutva of BJP, RSS, Vishwa Hindu Parishad and Bajrang Dal as real Hindutva. If Congress has gone for pseudo-secularism, the BJP has gone for pseudo-Hindutva.

We must remember that secularism in India did not start with the commencement of the Constitution. If I mention a message from the Rig Veda I will be able to drive home my point better. ‘Aa no bhadraha kratavo yantu, Vishwa taha‘. The mantra tells us, “Let good thoughts come to us from all directions.”

You know that the Rig Veda is considered to be the first book of humanity. It may be as old as 5000 years. This mantra gives me secular space in abundance. A good thought may come to me from Mecca or Medina, from Bethlehem or Jerusalem, from Varanasi or Kapilavastu. So long as it is a good thought it is acceptable to me no matter where it comes from. A good thought may come to me from Ram, Krishna, Buddha, Mahavir, Socrates, Jesus, Mohammed or Gandhi. The openness with which I receive good thoughts from all directions is my secularism.

The Western model of secularism does not suit the Indian psyche. It has created many problems and these problems are there for all of us to see.

Secularism in its Western connotation creates the problems of politics of identity. Samuel P. Huntington in his book ‘Who are we?’ writes:

“Historically the substance of American identity has involved four key components: race, ethnicity, culture (most notably language and religion), and ideology. The racial and ethnic Americans are no more. Cultured America is under siege. And as the Soviet experience illustrates, ideology is a weak belief to hold together people otherwise lacking racial, ethnic and cultural sources of community. Reasons could exist, as Robert Kaplan observed why, ‘America, more than any other nation, may have been born to die’.”

If we wish to avoid what can be called identity crisis, the term ‘secularism’ has to be replaced by ‘sarva dharma sama-bhava‘. I honestly believe that multi-culturalism has to depend upon cultural identity. And one cannot wish away various religious ethos.

– Transcribed by Batul Mukhtiar, 27 Oct 2008